કળથી(Macrotyloma uniflorum, Horsegram)ના રોગ : સૂક્ષ્મ પરોપજીવી ફૂગ, જીવાણુ, કૃમિ વગેરે છોડમાંથી પુષ્પવિન્યાસ બહાર નીકળે તે પહેલાં અથવા બીજ તૈયાર થાય તે દરમિયાન આક્રમણ કરી કળથીને નુકસાન કરે છે.

નીચે દર્શાવેલ કારકો મારફત આ રોગ થાય છે : (1) ઘઉંનો ઢીલો આંજિયો (Ustilago tritici), (2) ડાંગરનો ગલત આંજિયો (Ustilaginoidea Virens), (3) ડાંગરનો ઉદબત્તા અથવા અગરબત્તી (ephis oryzae).

કળથી અથવા કંઠી એ ડાંગર, ઘઉં વગેરે જેવા ધાન્ય પાકોનો પુષ્પવિન્યાસ છે, જેમાં બીજ/દાણા તૈયાર થાય છે.

હિમંતસિંહ લાલસિંહ ચૌહાણ