ઇન્દ્રાણી : વૈદિક દેવતા તરીકે ઇન્દ્ર મહત્તમ હોવા છતાં, પત્ની તરીકે ઇન્દ્રાણીનું સ્થાન વેદોમાં ગૌણ રહ્યું છે. એક સૂક્ત(10-86)માં ઇન્દ્રના પ્રિય પાત્ર वृषाकपि(વાનર)ની દુષ્ટતાને કારણે ઇન્દ્રાણીએ તેનો બહિષ્કાર કર્યો હતો, પરંતુ અંતે તેમની વચ્ચે સમાધાન થયું હતું. ઇન્દ્રાણીએ ઋષિકા તરીકે કેટલાંક સૂક્તોનું દર્શન કર્યું છે.

જયાનંદ દવે