Religious mythology

જૈન વ્રતો

જૈન વ્રતો : હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહથી મન, વચન અને કાયા વડે નિવૃત્ત થવું તે વ્રત. જૈન સાધુ હિંસા આદિમાંથી સંપૂર્ણ નિવૃત્ત થાય છે તેથી તેમનાં આ પાંચ વ્રતો મહાવ્રતો કહેવાય છે. એથી ઊલટું, ગૃહસ્થાવસ્થાની મર્યાદાને કારણે જૈન ગૃહસ્થ હિંસા આદિમાંથી થોડા નિવૃત્ત થાય છે, તેથી તેમનાં આ…

વધુ વાંચો >

જૈમિનીય ઉપનિષદ બ્રાહ્મણ

જૈમિનીય ઉપનિષદ બ્રાહ્મણ : સામવેદીય જૈમિનીય શાખાનું આરણ્યક સર્દશ બ્રાહ્મણ. તે તલવકાર ઉપનિષદ-બ્રાહ્મણ તરીકે પણ જાણીતું છે. તેને તલવકાર (જૈમિનીય) શાખાનું આરણ્યક ગણવામાં આવે છે. હેન્સ ઓએર્ટલે આ ગ્રંથ, તેનું ભાષાન્તર અને ટિપ્પણ Journal of American Oriental Society, New Haven – JAOS, Vol. XVI, Part I(1894)માં પ્રસિદ્ધ કર્યાં છે, જે…

વધુ વાંચો >

જૈમિનીય બ્રાહ્મણ

જૈમિનીય બ્રાહ્મણ : સામવેદની જૈમિનીય શાખાનું બ્રાહ્મણ. આ બ્રાહ્મણ વૈદિક સાહિત્યના અગત્યના અને બૃહત્કાય ગ્રંથો (દા. ત., શતપથ બ્રાહ્મણ) પૈકી એક વિખ્યાત બ્રાહ્મણ ગ્રંથ છે; તે ‘તલવકાર બ્રાહ્મણ’ તરીકે પણ જાણીતું છે. સામગોના ગૂંચવણભર્યા આયોજનને સમજવા માટે ગ્રંથ ઘણો ઉપયોગી છે. બ્રાહ્મણના સંકલનકાર આચાર્ય જૈમિનિ અને તલવકાર ઋષિ છે. આ…

વધુ વાંચો >

જ્ઞાનમાર્ગ

જ્ઞાનમાર્ગ : પરમતત્વનો સાક્ષાત્કાર કરવા માટેના ભારતીય વૈદિક પરંપરામાં સ્વીકારાયેલા કર્મ, ભક્તિ અને જ્ઞાન  એ ત્રણ માર્ગોમાંનો એક. જ્ઞાનમાર્ગનો આરંભ વેદોથી થાય છે. વૈદિક મંત્રોમાં પરમતત્વના સાક્ષાત્કાર માટે જ્ઞાનમાર્ગનો સ્પષ્ટ ઉલ્લેખ છે. નારાયણ ઋષિએ કહ્યું છે કે ‘‘तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यतेडयनाय ।’’ ‘‘મૃત્યુને પેલે પાર જવા માટે તે…

વધુ વાંચો >

જ્યેષ્ઠાદેવી

જ્યેષ્ઠાદેવી : શૈવ આગમમાં વર્ણિત પરાશક્તિનું વિલક્ષણ સ્વરૂપ. આ દેવીની પૂજા ઘણી જૂની છે. બોધાયન ગૃહ્યસૂત્રમાં આ દેવીની પૂજા અંગે અક પ્રકરણ આપેલું છે. સમુદ્રમંથન વખતે ક્ષીરસાગરને વલોવવામાં આવ્યો ત્યારે લક્ષ્મીની પહેલાં જ્યેષ્ઠા ઉત્પન્ન થઈ, પણ કોઈએ એના કુરૂપને કારણે પસંદ કરી નહિ, પરંતુ ઋષિ કપિલે તેને પોતાની પત્ની તરીકે…

વધુ વાંચો >

જ્યોતિર્લિંગ

જ્યોતિર્લિંગ : ભારતમાં આવેલાં બાર પ્રસિદ્ધ શિવલિંગો. ભગવાન શિવની લિંગસ્વરૂપે પૂજા વેદ અને પુરાણોમાં વર્ણવાઈ છે. અથર્વવેદમાં બ્રહ્મના સ્કંભ (સ્તંભ) સ્વરૂપના ઉલ્લેખો જોતાં વેદકાળમાં પ્રકાશપુંજના સ્તંભના પ્રતીકરૂપ લિંગપૂજા પ્રચલિત હશે. ઉપનિષદોમાં શિવને પરબ્રહ્મ તરીકે વર્ણવવામાં આવ્યા છે. પરબ્રહ્મમાંથી સર્વપ્રથમ તેજ સ્કંભ રૂપે ઉત્પન્ન થયું છે. પરબ્રહ્મના પ્રકાશથી — તેજથી —…

વધુ વાંચો >

જ્યોતિષશાસ્ત્ર : ત્રિસ્કંધ સિદ્ધાંત

જ્યોતિષશાસ્ત્ર ત્રિસ્કંધ સિદ્ધાંત : વેદોક્ત તથા અન્ય આવશ્યક કર્મો કરવા માટે કાલજ્ઞાપનનું નિરૂપણ કરતું શાસ્ત્ર. તે સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો વગેરે જ્યોતિ-પ્રકાશપુંજ ઉપર આધાર રાખતું હોવાથી જ્યોતિષશાસ્ત્ર કહેવાય છે. યજ્ઞો માટે વેદની રચના થઈ છે. કાલના આધારે યજ્ઞો થાય છે. એટલે કાલનાં વિધાનને કહેનાર જ્યોતિષશાસ્ત્રને જે જાણે છે તે જ યજ્ઞોને…

વધુ વાંચો >

જ્વાળામુખી શક્તિપીઠ

જ્વાળામુખી શક્તિપીઠ : ઉત્તર ભારતનું પ્રસિદ્ધ શક્તિપીઠ તીર્થ. હિમાચલ પ્રદેશમાં કાંગડા જિલ્લામાં 574 મી. ઊંચાઈ પર હિમાલયની પ્રારંભિક માળાની ખીણમાં આવેલું છે. નિકટમાં 960 મી. ઊંચું જ્વાળામુખી શિખર છે. જમ્મુ, કટરા આદિ સ્થળોથી બસ માર્ગે જવાય છે. લગભગ 400 કિમી. લાંબો માર્ગ વચ્ચે 775 મી. ઊંચાઈ પરથી જાય છે. જ્વાળામુખી…

વધુ વાંચો >

ઝરથુષ્ટ્ર

ઝરથુષ્ટ્ર : પ્રાચીન ઝરથોસ્તી ધર્મના આદ્યપુરુષ. ઝરથુષ્ટ્રને ઝરથુસ્ત્ર કે જરથોસ્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. એક મત મુજબ તેમનો સમય ઈ. સ. પૂ. આશરે 7000 ગણાય છે. બીજા મત મુજબ તે વૈદિક યુગની લગભગ સમાંતર છે. તેના આધારે ઝરથુષ્ટ્ર આશરે ઈ. સ. પૂર્વે 3000 સુધીમાં થયા હોવા જોઈએ. શહેનશાહી પંથી…

વધુ વાંચો >

ડોંગરે, રામચંદ્ર

ડોંગરે, રામચંદ્ર (જ. 15 ફેબ્રુઆરી 1926, ઇંદોર; અ. 8 નવેમ્બર 1990, નડિયાદ) : ભારતના સંત કથાકાર. પિતા કેશવદેવ ડોંગરે, માતાનું નામ કમલાતાઈ. જન્મસમયે સંતત્વનાં લક્ષણો પ્રગટ થયાં હોઈ જન્મનો આનંદ મોસાળપક્ષે ધામધૂમથી ઊજવ્યો હતો. આ પછી ડોંગરે પરિવાર વડોદરા આવી લક્ષ્મણ મહારાજના મઠમાં રહી કર્મકાંડી અને ધર્મપરાયણ જીવન વ્યતીત કરવા…

વધુ વાંચો >