Culture (General)

તાઓ-તે-ચિંગ

તાઓ-તે-ચિંગ (ઈ. પૂ. છઠ્ઠો સૈકો) : લાઓ-ત્ઝેએ રચેલો તાઓ-દર્શનનો મહત્ત્વનો ગ્રંથ. આ ગ્રંથમાં મુખ્યત્વે મહાત્મા લાઓ-ત્ઝેનાં વચનામૃતોનો તથા તેમના નૈતિક ઉપદેશનો સમાવેશ થયો હોવાનું કહેવાય છે. જોકે આ ગ્રંથને છેવટનું સ્વરૂપ તો ઈ. સ. પૂ.ની ત્રીજી સદીમાં જ આપવામાં આવ્યું હતું. તાઓ-દર્શનનું આ આધારભૂત  શાસ્ત્ર ગણાય છે. ‘તાઓ’ એટલે પંથ…

વધુ વાંચો >

તારા (દેવી)

તારા (દેવી) : નેપાળ, તિબેટ અને મૉંગોલિયામાં પૂજાતી બૌદ્ધ ધર્મીઓની લોકપ્રિય તાંત્રિક દેવી. સંસ્કૃત ધાતુ ‘तृ—तर्’ ઉપરથી આ નામ બન્યું છે. ભવસાગર તરવામાં મદદ કરનાર આ દેવી છે. ઈ. સ.ના છઠ્ઠા સૈકાથી તારાને બૌદ્ધ ધર્મમાં દેવી તરીકે સ્થાન મળ્યું છે. પૂર્વ ભારતમાં તેની પૂજા પ્રચલિત છે, જ્યારે ગુજરાતમાં તારંગાની ટેકરીઓની…

વધુ વાંચો >

તુતનખામન

તુતનખામન : મિસરનો પ્રાચીન રાજવી. અખનાતનનો અનુગામી અને જમાઈ. તે અમેન હોટેપ ત્રીજાનો પૌત્ર હતો. તેનાં લગ્ન અખનાતન અને નેફેર્તીતીની ત્રીજી પુત્રી અંખેસેનપાએતુન સાથે થયાં હતાં. અને તેથી તેનો ગાદી ઉપર હક થતો હતો. અખનાતનના મૃત્યુ સમયે તુતનખામન નાની વયનો હતો તેથી રાજકુટુંબ સાથે સંકળાયેલા વજીર અને બીજા અમલદારો તેના…

વધુ વાંચો >

થોપ્પીલ વર્ગીસ એન્ટોની

થોપ્પીલ વર્ગીસ એન્ટોની (Thoppil Varghese Antony) (જ. 5 ઑક્ટોબર 1933; અ. 2020) :  સુપ્રસિદ્ધ પદ્મભૂષણ પદવીથી સન્માનિત લોકસેવક. ચેન્નાઈની લોયોલા કૉલેજમાંથી બી.એસસી. કેમિસ્ટ્રીના વિષય સાથે સ્નાતક થયા હતા. તેમજ બેચરલ ઑફ લૉઝની પદવી મદ્રાસ લૉ કૉલેજમાંથી પ્રાપ્ત કરી હતી. 1956માં ભારતીય પ્રશાસનિક સેવા (IAS)માં જોડાયા. તેમણે અનેક પદો પર રહીને…

વધુ વાંચો >

દલાઈ લામા તેન્ઝિન ગ્યાત્સ

દલાઈ લામા તેન્ઝિન ગ્યાત્સ (જ. 6 જુલાઈ 1935, ટાક્ટસર, તિબેટ) : તિબેટના ધાર્મિક અને  રાજકીય નેતા. 1989ના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા. તેઓ બૌદ્ધ ધર્મની એક શાખા લામાવાદની ‘યેલો હૅટ’ (Yellow Hat) પરંપરાના વડા છે. ‘દલાઈ’ એટલે મહાસાગર યા શાણપણનો ભંડાર અને ‘લામા’ એટલે બૌદ્ધ સાધુ. આમ ‘દલાઈ લામા’ એટલે શાણપણના…

વધુ વાંચો >

દાતાર, પંડિત ડી. કે.

દાતાર, પંડિત ડી. કે. (જ. 24 ઑક્ટોબર 1924, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત પરંપરાના વિખ્યાત બેલાવાદક. આખું નામ દામોદર કેશવ દાતાર. પિતા પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરના શિષ્ય હતા. દામોદરના બાલ્યકાળમાં પિતાનું અવસાન થયું, પરંતુ મોટા ભાઈ પાસેથી પ્રોત્સાહન મળતું રહ્યું. શાસ્ત્રીય સંગીતની વિધિસરની તાલીમ માટે તેઓ મુંબઈની જાણીતી સંસ્થા…

વધુ વાંચો >

ધર્મ

ધર્મ હિંદુ શાસ્ત્ર-ગ્રંથો પ્રમાણે ‘ધર્મ’ શબ્દનો અર્થ : ‘ધર્મ’ શબ્દનો સંસ્કૃત ભાષામાં જે રીતે પ્રયોગ થયો છે તે જોતાં તેનો બીજી ભાષામાં પર્યાય શોધવો મુશ્કેલ છે. કોશોમાં તેનો અર્થ આજ્ઞા કે વિધિ, ફરજ, અધિકાર, ન્યાય, નીતિ, સદગુણ, ધર્મ (religion), સત્કાર્ય કે લક્ષણ તરીકે આપેલો  મળે છે. ધર્મની કલ્પના દેવતા તરીકે…

વધુ વાંચો >

ધર્મસૂત્ર

ધર્મસૂત્ર : ધર્મ શબ્દનો અર્થ વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાજ્ય વગેરેને ધારણ કરનારા એટલે તેને ટકાવી રાખનારા નિયમો કે કાયદાઓ એવો છે. આવા નિયમો કે કાયદાઓને સંક્ષેપમાં રજૂ કરનારા સૂત્રાત્મક શૈલીએ લખાયેલા ગ્રંથોને ધર્મસૂત્રો કહે છે. ધર્મશાસ્ત્રનો આરંભ આ ધર્મસૂત્રોથી થયો છે. એ પછી ધર્મશાસ્ત્ર સ્મૃતિગ્રંથોમાં રજૂ થયું છે. છેલ્લે, સ્મૃતિઓનો…

વધુ વાંચો >

પરબ

પરબ :  સાર્વજનિક પીવાના પાણીનું સ્થાન. સામાજિક ઉત્તરદાયિત્વની નિભાવણી માટેની સાંસ્કૃતિક રચના, અગત્યની માનસિક તેમજ શારીરિક જરૂરિયાત પૂરી પાડવાની સામાજિક વ્યવસ્થા અને સાત્ત્વિક ભાવથી ઉદ્ભવેલી સ્થાપત્યરચના. નાનકડી જગ્યામાં વટેમાર્ગુ અને પદયાત્રી માટે જરૂરિયાત પ્રમાણે પાણી પૂરી પાડવાની વ્યવસ્થા એટલે પરબ. અહીં શીતળ, સ્વચ્છ અને શક્ય હોય તો મીઠું પાણી વિનામૂલ્યે આપવાની વ્યવસ્થા…

વધુ વાંચો >

પાણિયારું

પાણિયારું : પાણિયારું એટલે ઘરમાં પાણી ભરેલાં પાત્રોને વ્યવસ્થિત રાખવાની જગ્યા. પાણિયારાને પિતૃઓનું સ્થાન પણ ગણવામાં આવે છે. અહીં નાગપંચમીની પૂજા થાય છે અને શ્રાદ્ધના દિવસોમાં દીવો પ્રગટાવાય છે. પિતૃઓ તથા નાગદેવતા અર્ધ-દૈવી શક્તિ હોવાથી પાણિયારું એ અર્ધ-મંદિર, અર્ધ-પૂજાસ્થાનનું મહત્ત્વ ધારણ કરે છે. ઘણા પરિવારોમાં અહીં રોજ કંકુ વડે સ્વસ્તિક…

વધુ વાંચો >