Sociology

ભૂદાન

ભૂદાન : ગાંધીવાદી માર્ગે, ખેતી હેઠળની જમીનની ન્યાયસંગત પુનર્વહેંચણી કરવા માટેનું વિનોબાજી-પ્રેરિત આંદોલન. આઝાદી પછીના ગાળામાં તેલંગણ(આંધ્રપ્રદેશ)ના સામ્યવાદીઓએ મોટા જમીનદારોની જમીન બળજબરીથી આંચકી ગરીબ ખેડૂતોમાં વહેંચવાની પ્રવૃત્તિ આદરી હતી. તે વેળા શિવરામપલ્લીના સર્વોદય સંમેલનમાંથી પદયાત્રા કરતાં પાછા ફરતાં વિનોબા ભાવે 15મી એપ્રિલ 1951(રામનવમી)ના દિવસે સામ્યવાદી નેતાઓને જેલમાં જઈને મળ્યા અને…

વધુ વાંચો >

મજૂર-કલ્યાણ

મજૂર-કલ્યાણ : માલિક, સરકાર કે સેવાની સંસ્થાઓ દ્વારા મજૂરોના બૌદ્ધિક, ભૌતિક, નૈતિક તેમજ આર્થિક વિકાસમાં સહાયભૂત થવા લેવાતાં પગલાંઓ. ઔદ્યોગિક ક્રાંતિનો પ્રારંભ થયો ત્યારે શરૂઆતમાં મજૂરોનું ભારે શોષણ થતું હતું. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ઇંગ્લૅન્ડથી થઈ તેમજ મજૂરોનું કલ્યાણ કરવાની ભાવના અને તે માટેના કાર્યની શરૂઆત પણ ઇંગ્લૅન્ડમાં જ થઈ. ઇંગ્લૅન્ડમાં…

વધુ વાંચો >

મજૂર પ્રવૃત્તિ

મજૂર પ્રવૃત્તિ : મજૂરોના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓ. તેમાં તેમના પ્રશ્નોનું સંગઠિત રીતે નિરાકરણ લાવી શકાય તે માટે સ્થાપવામાં આવતાં મંડળોની પ્રવૃત્તિઓ તેમજ તેમના સામાજિક, ધાર્મિક વગેરે પ્રસંગોએ તથા વૃદ્ધાવસ્થામાં જ્યારે તેમની આવક બંધ થાય ત્યારે તેમના માટે હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. 1857માં રાણી વિક્ટોરિયા હિન્દુસ્તાનની સમ્રાજ્ઞી…

વધુ વાંચો >

મજૂર મહાજન સંઘ

મજૂર મહાજન સંઘ : ગાંધીવાદી વિચારસરણીને વરેલું અમદાવાદના મિલ-કામદારોનું સંગઠન. 1914થી મિલમાલિક અંબાલાલ સારાભાઈનાં મોટાં બહેન અનસૂયાબહેન મજૂરો અને તેમનાં કુટુંબીઓની સ્થિતિસુધારણા માટે પ્રયત્નશીલ હતાં. તેમના પ્રયત્નોમાં ગાંધીજીના મજૂર-વિષયક વિચારો – સિદ્ધાંતોનો રચનાત્મક અમલ જણાતો હતો. આ પ્રયત્નોને સંગઠિત રૂપ આપવાના હેતુથી 1920માં મજૂર મહાજન સંઘની સ્થાપના થઈ. 1920ના ફેબ્રુઆરી…

વધુ વાંચો >

મદન, ત્રિલોકીનાથ

મદન, ત્રિલોકીનાથ (ટી. એન. મદન) (જ. 12 ઑગસ્ટ 1931) : ભારતીય સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. સમાજ-નૃવંશશાસ્ત્ર વિષયમાં ડૉ. ડબ્લ્યૂ. ઈ. એચ. સ્ટેનરના માર્ગદર્શન હેઠળ ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટી, કૅનબરામાંથી 1960માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે કાશ્મીરના બ્રાહ્મણો વિશે ક્ષેત્રકાર્ય કર્યું અને સગાઈ-સંબંધોનો અભ્યાસ કર્યો. કેટલાંક…

વધુ વાંચો >

મમફર્ડ, લૂઈસ

મમફર્ડ, લૂઈસ (જ. 19 ઑક્ટોબર 1895, ફ્લશિંગ, ન્યૂયૉર્ક, અમેરિકા; અ. 1990) : અમેરિકાના સાંસ્કૃતિક ઇતિહાસકાર, સામાજિક તત્વચિંતક તેમજ સ્થાપત્ય અને નગર-આયોજનના નિષ્ણાત. બ્રિટનના સમાજવિજ્ઞાની પૅટ્રિક ગિડ્ઝનાં પુસ્તકો વાંચીને તેઓ માનવ-સમુદાયો તેમજ તેમના સાંસ્કૃતિક પર્યાવરણમાં રસ લેવા પ્રેરાયા. તેમણે ન્યૂયૉર્કની સિટી કૉલેજમાં અભ્યાસ કર્યો; પછી થૉર્સ્ટિન વેબ્લેનના હાથ નીચે ન્યૂ સ્કૂલ…

વધુ વાંચો >

મર્ટન, રૉબર્ટ

મર્ટન, રૉબર્ટ (જ. 1910, ફિલાડેલ્ફિયા, અમેરિકા) : અમેરિકાના પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી. મર્ટને બાળપણ ગંદી ઝૂંપડપટ્ટીમાં વિતાવ્યું હોવા છતાં નજીક આવેલા પુસ્તકાલયે તેમને આકર્ષેલા. માધ્યમિક શાળામાં તેમને તેજસ્વી વિદ્યાર્થી તરીકે શિષ્યવૃત્તિ મળવા માંડી, જે કૉલેજ અભ્યાસમાં પણ ચાલુ રહી. કૉલેજ – અભ્યાસમાં પ્રારંભમાં તેમને દર્શનશાસ્ત્રમાં રસ પડેલો; પરંતુ પ્રો. જ્યૉર્જ ઇ. સૅમ્પસને…

વધુ વાંચો >

મહેતા, ઉદયપ્રભાબહેન

મહેતા, ઉદયપ્રભાબહેન (જ. 26 જૂન 1914, અમદાવાદ; અ. 15 એપ્રિલ 1986, અમદાવાદ) : સ્ત્રીજાગૃતિનાં જ્યોતિર્ધર, જ્યોતિસંઘનાં અગ્રગણ્ય કાર્યકર અને સમાજસેવિકા. અમદાવાદની માંડવીની પોળમાં એક ચુસ્ત વૈષ્ણવ કુટુંબમાં જન્મ. પાંચ ભાઈઓ અને બે બહેનોમાં તે સૌથી નાનાં. માત્ર ચાર વર્ષની વયે પિતાનું અવસાન. માતાની કાળજી અને વહાલે તેમને સામાજિક જીવનમાં વિકસવાની…

વધુ વાંચો >

મહેતા, કાશીરામ લલ્લુભાઈ

મહેતા, કાશીરામ લલ્લુભાઈ (જ. 1895, વલભીપુર; અ. 17 મે 1959, અમદાવાદ) : ભારતના મુક્તિસંગ્રામના અદના સૈનિક, ગાંધીયુગના સત્યનિષ્ઠ આદર્શ ગ્રામસેવક, કેળવણીકાર. પ્રાથમિક શિક્ષકો માટેની ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષણ લીધું. પત્ની નર્મદાબહેન શિક્ષક તરીકે શરૂઆત વલભીપુરમાં. દરબારી શાળામાં બે રૂપિયાના માસિક પગારથી શિક્ષક રહ્યા. સોનગઢ ગુરુકુળમાં પણ હતા; પરંતુ ખીરસરાની શાળામાં બાળકોને…

વધુ વાંચો >

મહેતા, ગિરધરલાલ દયારામ

મહેતા, ગિરધરલાલ દયારામ (જ. 5 સપ્ટેમ્બર 1879, માળવા; અ. 18 જાન્યુઆરી 1966, વિસનગર) : ઉત્તર ગુજરાતના જાણીતા સમાજસેવક. વિસનગરના નાગર પરિવારમાં જન્મેલા ગિરધરલાલ પિતાના દ્વિતીય પુત્ર હતા. પ્રાથમિક શિક્ષણ આબુ અને વિસનગરમાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં મેળવીને 1896માં તેમણે મેટ્રિકની પરીક્ષા પસાર કરી. ત્યારપછી સરકારી કૉલેજમાં દાખલ થયા, પરંતુ કુટુંબની…

વધુ વાંચો >