Political science
રાજકીય સંસ્થાકરણ (political institutionalisation)
રાજકીય સંસ્થાકરણ (political institutionalisation) : રાજકીય સંસ્થાઓના નિર્માણની પ્રક્રિયા અને તેનો અભ્યાસ. કોઈ પણ રાજકીય પ્રથાના વિકાસનો આધાર તે સંસ્થા-નિર્માણનો પડકાર કઈ રીતે ઝીલે છે અને સંસ્થાને કેટલી સક્ષમ કે કાર્યક્ષમ બનાવે છે તેના પર રહેલો છે. સંસ્થાના નિર્માણ માત્રથી સંસ્થાકરણ સફળ થઈ જતું નથી. આ પ્રયોગમાં સક્ષમ, મજબૂત, અસરકારક…
વધુ વાંચો >રાજકીય હિંસા
રાજકીય હિંસા : સત્તા હસ્તગત કરવાના કે સત્તાધીશોને નુકસાન પહોંચાડવાના આશયથી કરવામાં આવતી ગેરકાયદેસરની પ્રવૃત્તિ. હિંસાનો જન્મ માનવસમાજ જેટલો જ પુરાણો અને વ્યાપક છે. મોટેભાગે સામાજિક કે રાજકીય પરિવર્તન લાવવાનો, સત્તા હાથ કરવાનો કે સત્તાધીશોને રંજાડવાનો હેતુ તેમાં મુખ્ય હોય છે. આવી હિંસા બિનઅધિકૃત કે ગેરકાયદેસરના માર્ગો અખત્યાર કરે છે.…
વધુ વાંચો >રાજકુમારી અમૃતકૌર
રાજકુમારી અમૃતકૌર (જ. 2 ફેબ્રુઆરી 1889, લખનૌ, ઉત્તરપ્રદેશ; અ. 6 ફેબ્રુઆરી 1964, દિલ્હી) : સ્વાતંત્ર્યસેનાની, મહિલા-નેત્રી અને ભારતનાં પ્રથમ અને મહિલા સ્વાસ્થ્ય-મંત્રી. તેઓ કપૂરથલાના રાજવી કુટુંબનાં સભ્ય હતાં. પિતા હરનામસિંહને સાત પુત્રો અને આ એક-માત્ર પુત્રી હતાં. રાજા હરનામસિંહે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો અને તેઓ ‘પવિત્ર અને શુદ્ધ’ ખ્રિસ્તી…
વધુ વાંચો >રાજગોપાલાચારી, ચક્રવર્તી
રાજગોપાલાચારી, ચક્રવર્તી (જ. ડિસેમ્બર 1878, હોસૂર, જિલ્લો સેલમ, તમિલનાડુ; અ. 25 ડિસેમ્બર 1972) : રાજનીતિજ્ઞ, મુત્સદ્દી અને સ્વતંત્ર ભારતના એકમાત્ર ગવર્નર-જનરલ. પિતા નલ્લન ચક્રવર્તી આયંગર, માતા સિંગરામ્મલ. તેમના કુટુંબના કેટલાક પૂર્વ સભ્યો મૈસૂરના શાહી દરબારના પંડિતો હતા, જ્યારે પિતા હોસૂર તાલુકાના થોરાપલ્લીમાં મુનસફ હતા. તેમણે પ્રારંભિક શિક્ષણ હોસૂરમાં અને કૉલેજશિક્ષણ…
વધુ વાંચો >રાજધર્મ
રાજધર્મ : રાજા અથવા શાસકનો ધર્મ. તેમાં શાસકના પદ ઉપર બેઠેલાનું પ્રજાની રક્ષાનું તથા પ્રજાની સુખશાંતિ જાળવવાનું કર્તવ્ય મુખ્યત્વે સમાવિષ્ટ થાય છે. પ્રાચીન કાળથી ધર્મશાસ્ત્રોમાં રાજધર્મ વિશે ચર્ચા થતી આવી છે. પ્રાચીન ભારતીય ચિંતનમાં ‘ધર્મ’ શબ્દ સર્વગ્રાહી અર્થ ધરાવે છે અને તેનો સહુપ્રથમ પ્રયોગ વૈદિક સાહિત્યમાં જોવા મળે છે. અંગ્રેજી…
વધુ વાંચો >રાજનારાયણ
રાજનારાયણ (જ. 1917, મોતીકોટ, ઉત્તરપ્રદેશ; અ. 30 ડિસેમ્બર, 1986, દિલ્હી) : સ્વાતંત્ર્યસેનાની અને રાજકારણી. પિતા અનંત પ્રસાદ સિંઘ. કૉલેજ-શિક્ષણ લઈ સ્નાતક અને કાયદાના સ્નાતક બન્યા. શિક્ષણ દરમિયાન સમાજવાદી વિચારોથી આકર્ષાયા અને સમાજવાદી પક્ષના સભ્ય બન્યા. ત્યારબાદ રાજકીય જીવનના વિવિધ તબક્કે જનતા પક્ષ અને ભારતીય લોકદળમાં પણ જોડાયા. 1966થી ’72ના ગાળામાં…
વધુ વાંચો >રાજાશાહી
રાજાશાહી : રાજ્યશાસનનો એક પ્રાચીન પ્રકાર. તેમાં રાજા ગણાતી એક જ વ્યક્તિના હાથમાં રાજ્યની સાર્વભૌમ સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. તે મહદ્અંશે વંશપરંપરાગત અને આજીવન હોય છે. સત્તા પર હોય તે રાજા કે રાણીની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર નાગરિક ગુનેગાર ગણાય છે અને તેથી તે સજાને પાત્ર બને છે. રાજા કે…
વધુ વાંચો >રાજેન્દ્રપ્રસાદ (ડૉ.)
રાજેન્દ્રપ્રસાદ (ડૉ.) (જ. 3 ડિસેમ્બર 1884, ઝેરાદેઈ, જિલ્લો સારણ, બિહાર; અ. 28 ફેબ્રુઆરી 1963, પટણા) : અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, મહાત્મા ગાંધીના નિકટના સાથી અને પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ. પિતા મહાદેવ સહાય સંસ્કૃત અને ફારસી ભાષાના વિદ્વાન હતા. માતા કમલેશ્વરી દેવી અત્યંત ધર્મિષ્ઠ હતાં. તેમના પૂર્વજો હથુઆ રાજ્યમાં પ્રતિષ્ઠિત હોદ્દાઓ પર હતા…
વધુ વાંચો >રાજ્ય
રાજ્ય : સમાજની એકમાત્ર સંસ્થા, જે સાર્વભૌમ સત્તા વાપરવાનો કાયદેસરનો ઇજારો ધરાવે છે. માનવજીવન અને સમાજ સાથે વિવિધ સંસ્થાઓ સંકળાયેલી છે. તેમાંની એક સૌથી મહત્ત્વની સંસ્થા રાજ્ય છે. સમગ્ર દુનિયા આવાં વિવિધ રાજ્યોની બનેલી છે. પ્રત્યેક મનુષ્ય કોઈ ને કોઈ રાજ્ય હેઠળ જીવતો હોય છે. આ અર્થમાં રાજ્ય માનવજીવનની પાયાની…
વધુ વાંચો >રાજ્ય નાણા-નિગમો
રાજ્ય નાણા-નિગમો : નાના અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમોને લાંબા ગાળા માટે મૂડી પૂરી પાડતી રાજ્યો દ્વારા સ્થાપિત વિત્તીય સંસ્થાઓ. ભારત સરકારે 1951માં સ્ટેટ ફાઇનાન્શિયલ કૉર્પોરેશન ઍક્ટ પસાર કર્યો અને તેના પરિણામે બધાં રાજ્યોમાં રાજ્ય નાણાકીય નિગમો સ્થપાવાની શરૂઆત થઈ હતી. રાજ્યોમાં બૅંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ પછાત વિસ્તારોમાં અને…
વધુ વાંચો >