Political science

વર્બા, સિડની

વર્બા, સિડની : રાજકીય સંસ્કૃતિની વિભાવનામાં પાયાનું પ્રદાન કરનાર અભ્યાસી. તેઓ કાર્લ એચ. ફોરઝાઇમર યુનિવર્સિટીના પ્રાધ્યાપક છે. 1959માં પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી તેમણે ડૉક્ટરેટની પદવી મેળવી. વર્તનલક્ષી રાજ્યશાસ્ત્રના વિકાસ સાથે બીજી ઘણી નવી વિભાવનાઓ વિકસી. તેમાંની એક વિભાવના રાજકીય સંસ્કૃતિની હતી. સિડની વર્બાએ આ ક્ષેત્રે વિશિષ્ટ અભ્યાસો કરી અભ્યાસીઓનું ધ્યાન દોર્યું. રાજકીય…

વધુ વાંચો >

વર્સ્ટર, બાલ્થાઝાર જ્હૉન્સ

વર્સ્ટર, બાલ્થાઝાર જ્હૉન્સ (જ. 13 ડિસેમ્બર 1915, જેમ્સટાઉન, કેપ પ્રાંત, દક્ષિણ આફ્રિકા; અ. ? 1983) : દક્ષિણ આફ્રિકાના વડાપ્રધાન અને રાજકીય નેતા. વરવુર્ડના અવસાન બાદ તેઓ 1966થી ’78 સુધી વડાપ્રધાનના હોદ્દા પર રહ્યા. એક દસકા સુધી દક્ષિણ આફ્રિકાના રાજકારણ પર બિસ્માર્ક જેવો પ્રભાવ ભોગવ્યો. તે પૂર્વે નૅશનાલિસ્ટ પક્ષની સરકારમાં શિક્ષણ-વિભાગના…

વધુ વાંચો >

વંગ

વંગ : પ્રાચીન તથા મધ્યકાલમાં પૂર્વ અને દક્ષિણ બંગાળનું રાજ્ય. તેની સરહદો નિશ્ચિત નહોતી, પરંતુ વખતોવખત બદલાતી રહેતી હતી. ઈ. સ.ની ચોથી સદીમાં ગુપ્તવંશના મહાન વિજેતા સમ્રાટ સમુદ્રગુપ્તને ખંડણી ભરતાં સરહદનાં રાજ્યોમાં વંગનો સમાવેશ થતો હતો. ઈસુની છઠ્ઠી શતાબ્દીમાં વંગના રાજાઓએ ગુપ્તોનું આધિપત્ય ફગાવી દીધું અને તેને સ્વતંત્ર રાજ્ય તરીકેનું…

વધુ વાંચો >

વાઘા સરહદી થાણું

વાઘા સરહદી થાણું : ભારત-પાકિસ્તાન સીમા-રેખા પરનું પંજાબમાં આવેલું થાણું. પંજાબ રાજ્યની પશ્ચિમ અને વાયવ્ય ખૂણાની સીમા પડોશી દેશ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. ભારત-પાકિસ્તાન સરહદ પરનું આ મહત્વનું સરહદી થાણું પંજાબના અમૃતસર શહેર અને પાકિસ્તાનના લાહોર શહેર વચ્ચેની રેખા પર બરાબર મધ્યમાં આવેલું છે. વાઘાથી અમૃતસર અને વાઘાથી લાહોર વચ્ચે…

વધુ વાંચો >

વાઘેલા, જયવન્તસિંહજી રણમલસિંહજી મહારાણા (સાણંદના બાપુ)

વાઘેલા, જયવન્તસિંહજી રણમલસિંહજી મહારાણા (સાણંદના બાપુ) (જ. 16 ઑક્ટોબર 1904, સાણંદ, જિ. અમદાવાદ; અ. 18 જૂન 1980, સાણંદ, જિ. અમદાવાદ) : અમદાવાદ નજીકના સાણંદ રિયાસતના ઠાકોર; ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના મર્મજ્ઞ, પ્રોત્સાહક અને પુરસ્કર્તા; નવા રાગોના સર્જક અને શબ્દ તથા સ્વર બંનેના વિખ્યાત રચનાકાર. મૂળ કર્ણાટકના સોલંકી વંશમાં જન્મ. પિતાનું…

વધુ વાંચો >

વાઘેલા, શંકરસિંહજી લક્ષ્મણસિંહજી

વાઘેલા, શંકરસિંહજી લક્ષ્મણસિંહજી (જ. 21 જુલાઈ 1940, વાસન, ગાંધીનગર) : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી. તેઓ પ્રતિભાશાળી, પ્રભાવી અને ચુંબકીય વ્યક્તિત્વ ધરાવતા રાજપુરુષ, કુશળ સંગઠક, ત્વરિત નિર્ણયશક્તિ અને લોખંડી મનોબળ ધરાવનારા મુત્સદ્દી હોવાની સાથે સરળ સ્વભાવના રાજકારણી છે. કિસાન પરિવારમાં તેમનો જન્મ થયો. પિતા લક્ષ્મણસિંહજી અને માતા નાથુબાની ગોદમાં ઊછરીને ગ્રામ સંસ્કૃતિની…

વધુ વાંચો >

વાચ્છા, દીનશા એદલજી (સર)

વાચ્છા, દીનશા એદલજી (સર) (જ. 2 ઑગસ્ટ 1844, મુંબઈ; અ. 1936) : મહાન રાષ્ટ્રવાદી, જાહેર સેવક, કૉંગ્રેસના સ્થાપક-સભ્ય અને પ્રમુખ. દીનશાનો જન્મ મધ્યમવર્ગના પારસી પરિવારમાં થયો હતો. એયરટન સ્કૂલમાં અભ્યાસ કરીને તે 1858માં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા; અને ત્રણ વર્ષ બાદ, પિતાશ્રીના મુંબઈ અને એડનના વેપારમાં મદદ કરવા અભ્યાસ છોડી દીધો.…

વધુ વાંચો >

વાજપેયી, અટલબિહારી

વાજપેયી, અટલબિહારી (જ. 24 ડિસેમ્બર 1924, લશ્કર, ગ્વાલિયર) : ભારતના અગ્રણી રાજપુરુષ, વિચક્ષણ સાંસદ, સાહિત્યપ્રેમી કવિ તથા દેશના પૂર્વ પ્રધાનમંત્રી. પિતા કૃષ્ણવિહારી ગ્વાલિયરમાં શિક્ષક હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગ્વાલિયરમાં લીધા બાદ વિનયન વિદ્યાશાખાની સ્નાતક પદવી ગ્વાલિયરની લક્ષ્મીબાઈ (મૂળ નામ વિક્ટોરિયા) કૉલેજમાંથી અને અનુસ્નાતક પદવી ડી. એ. વી. કૉલેજ, કાનપુરથી…

વધુ વાંચો >

વાજા વંશ

વાજા વંશ : મારવાડના રાઠોડ સરદાર અજના બીજા પુત્ર વીંજોજીએ દક્ષિણ સૌરાષ્ટ્રમાં સ્થાપેલ વંશ. એક અનુશ્રુતિ પ્રમાણે દ્વારકામાં અનંતદેવ ચાવડાનો  દીકરો ભીખનસિંહ શાસન કરતો હતો, ત્યારે મારવાડના અજ નામના રાઠોડ સરદારે હેરોલ તથા ચાવડાઓના સંઘર્ષમાં હેરોલ રાજપૂતોને સહાય કરી. તેણે દ્વારકા પ્રદેશમાંથી ચાવડા સત્તાનો અંત આણ્યો. ત્યારબાદ હેરોલોને પણ અંકુશમાં…

વધુ વાંચો >

વાટાઘાટ

વાટાઘાટ : મંત્રણા દ્વારા સંઘર્ષો ઉકેલવાની પ્રમુખ પદ્ધતિ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સંઘર્ષો, વિવાદો અને સમસ્યાઓના નિરાકરણની પ્રક્રિયામાં વાટાઘાટ એક અનિવાર્ય સાધન છે. સાંસ્કૃતિક, ભૌગોલિક, રાજકીય અને ઐતિહાસિક પરિબળોથી પ્રભાવિત આંતરરાષ્ટ્રીય સ્તરની વાટાઘાટ આંતરિક વાટાઘાટ કરતાં વધુ જટિલ અને સંકુલ હોય છે. વાટાઘાટ દ્વિપક્ષીય કે બહુપક્ષીય હોઈ શકે અને તે…

વધુ વાંચો >