History of India

અઢારસો સત્તાવન(1857)નો સ્વાતંત્ર્યસંગ્રામ

અઢારસો સત્તાવન(1857)નો સ્વાતંત્ર્યસંગ્રામ બ્રિટિશ શાસન વિરુદ્ધ હિંદી લશ્કરના સિપાઈઓએ કરેલો બળવો. બરાકપુર છાવણીની 34મી પલટણના મંગલ પાંડેએ અંગ્રેજ અધિકારીઓ પર ગોળીબારો કર્યા. મેરઠના હિન્દી સૈનિકોએ 10મી મે 1857ના રોજ કેટલાક અંગ્રેજોની હત્યા કરીને બળવાની શરૂઆત કરી. ગુજરાતમાં : ભારતમાં 1857ના વિપ્લવ માટેનાં લગભગ બધાં જ પરિબળો અને કારણો ગુજરાતના વિપ્લવમાં…

વધુ વાંચો >

અનંતનાગ (2)

અનંતનાગ (2) : આદિનાગ અથવા આદિશેષ અથવા અનંતનાગ શિલ્પ. વિષ્ણુધર્મોત્તર પુરાણના વર્ણન પ્રમાણે અનંતનાગને ચાર હાથ, સંખ્યાબંધ ફણા, મધ્ય ફણા ઉપર પૃથ્વીદેવીની મૂર્તિ, જમણા હાથમાં કમળ/મુસળ અને ડાબા હાથમાં શંખ હોય છે. અનંતનાગ વિષ્ણુનું આસન છે. રસેશ જમીનદાર

વધુ વાંચો >

અનુઓ

અનુઓ (પુરાણોમાં) : યયાતિના પુત્ર અનુના વંશજો. વાયુ, બ્રહ્માંડ, બ્રહ્મ, હરિવંશ, મત્સ્ય, વિષ્ણુ વગેરે પુરાણોમાં અનુઓ વિશે માહિતી મળે છે. અનુ યયાતિનો પુત્ર હતો અને તેને ગંગા-યમુનાના દોઆબનો ઉત્તર ભાગ મળ્યો હતો. તેના વંશમાં થયેલા ઉશીનર અને તિતિક્ષુ નામના બે ભાઈઓથી શાખાઓ પડી. ઉશીનરના વંશજો યૌધેયો, શિબિ, મદ્રક, કેકય, ગાંધાર,…

વધુ વાંચો >

અનુશીલન સમિતિ

અનુશીલન સમિતિ : બ્રિટિશ હકૂમતની સામે વિદ્રોહ જગાડનારી ભારતની એક ક્રાંતિકારી સંસ્થા. ઓગણીસમી સદીના અંતભાગમાં, તથા વીસમી સદીની શરૂઆતમાં, ભારતમાં બ્રિટિશ સરકાર સામેના રાષ્ટ્રીય આંદોલનમાં એક બાજુએ કૉંગ્રેસની નેતાગીરી નીચે શાંત, વિનીત અને અહિંસક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, ત્યારે બીજી બાજુએ ભારતના જુદા જુદા ભાગોમાં ગોપનીય રીતે ક્રાંતિકારી સંસ્થાઓ દ્વારા,…

વધુ વાંચો >

અનૂપ

અનૂપ : પશ્ચિમ ભારતમાંના કોઈ એક વિસ્તારનો દેશવાચક શબ્દ. પાણિનિના ગણપાઠમાં જણાવ્યા પ્રમાણે ‘અનૂપ’નો નિર્દેશ ‘કચ્છ’, ‘દ્વીપ (દીવ)’ વગેરે દેશનામો સાથે થયેલો હોઈ આ વધુ સંગત જણાય છે. મહાભારત-આદિ પર્વમાં દક્ષિણ દિશામાં એને સાગર નજીક સૂચવાયો છે, જેમાં રમણીય પાંચ તીર્થ હતાં. કાર્તવીર્ય આ અનૂપદેશનો પતિ હતો એવું આરણ્યક પર્વના…

વધુ વાંચો >

અન્ધક

અન્ધક : પૌરાણિક વૃત્તાંત મુજબ યાદવોની એક શાખા. તેઓ મથુરા પર રાજ કરતા હતા. વૃષ્ણિઓ સાથે સંકળાયેલા હોવાથી મહાભારત તથા અન્ય ગ્રંથોમાં તે બંને યાદવ-શાખાઓનાં નામ સાથે હોય છે. મથુરાના રાજા ઉગ્રસેન તથા કંસ અંધક કુળના હતા. યાદવોના પશ્ચિમી સ્થળાંતર પછી અંધકોનું સત્તા-સ્થાન વૃષ્ણિઓએ લીધું દેખાય છે. ભારતયુદ્ધ પછીની સદીઓમાં…

વધુ વાંચો >

અન્ધ્ર

અન્ધ્ર : કૃષ્ણા અને ગોદાવરી નદીના અંતરાલ પ્રદેશમાં રહેતી પ્રાચીન પ્રજા. ઐતરેય બ્રાહ્મણમાં ‘પુંડ્ર’, ‘શબર’, ‘પુલિંદ’ અને ‘મૂતિબ’ પ્રજાઓની સાથે એનો ઉલ્લેખ છે. વિશ્વામિત્રે શુન:શેપને દત્તક લીધો તેનો એના 50 મોટેરા પુત્રોએ અસ્વીકાર કરેલો ત્યારે સમાજબહિષ્કૃત કરવામાં આવેલાંઓમાં આ ચાર જાતિઓનો સમાવેશ થયેલો. આ ઉપરથી એમ કહી શકાય કે આ…

વધુ વાંચો >

અન્સારી, મુખ્તાર અહમદ (ડૉ.)

અન્સારી, મુખ્તાર અહમદ (ડૉ.) (જ. 25 ડિસે. 1880, યુસૂફપુર. ઉત્તરપ્રદેશ; અ. 10 મે 1936, ન્યુ દિલ્હી) : ભારતના એક રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતા. પિતાનું નામ હાજી અબ્દુલ રહેમાન અને માતાનું નામ ઇલ્હાનબીબી. લગ્ન 1899માં શમ્સુન્નિસા બેગમ સાથે થયેલું. મદ્રાસ મેડિકલ કૉલેજના સ્નાતક થયા બાદ તેઓ નિઝામ સ્ટેટ શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ…

વધુ વાંચો >

અફઘાન વિગ્રહ

અફઘાન વિગ્રહ : 19મી સદીમાં ભારત પર રાજ્ય કરતી બ્રિટિશ સરકારના અફઘાનિસ્તાન સાથેના બે વિગ્રહો : (1) કંપનીના શાસન સમયમાં, અને (2) ‘તાજ’ના શાસન દરમિયાન. (1) પ્રથમ અફઘાન વિગ્રહ (ઈ. સ. 1837થી 1843) કંપની સરકારના શાસન સમયમાં લડાયો હતો. વાસ્તવમાં તે અંગ્રેજોના રશિયા પ્રત્યેના ભયમાંથી ઉદભવ્યો હતો. અફઘાનિસ્તાન ભારત અને…

વધુ વાંચો >

અફઝલખાન

અફઝલખાન (જ. 20 નવેમ્બર 1659, પ્રતાપગઢ કિલ્લો, રાજપુરી) : બિજાપુર રાજ્યનો સૂબેદાર અને સેનાપતિ. શિવાજીએ બિજાપુર રાજ્યના કેટલાક પ્રદેશો જીતી લઈને પોતાના રાજ્યમાં સમાવી લેતાં વાઈ પ્રાંતના ભૂતપૂર્વ સૂબેદાર તથા લશ્કરી સેનાની અફઝલખાન(મૂળ નામ અબ્દુલ્લા ભટારી)ને શિવાજીને જીવતો કે મરેલો પકડી લાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તે અનુસાર અફઝલખાન 12,000ના…

વધુ વાંચો >