Gujarati literature

શયદા

શયદા (જ. 24 ઑક્ટોબર 1892, પીપળી, ધંધૂકા તાલુકો; અ. 31 મે 1962, મુંબઈ) : ગુજરાતી સાહિત્યકાર. મુખ્યત્વે કવિ-ગઝલકાર અને નવલકથાકાર તરીકે પ્રસિદ્ધ. મૂળ નામ હરજી લવજી દામાણી. જ્ઞાતિએ સૌરાષ્ટ્રની ખોજા શિયા ઇસ્ના અશરી. જન્મ એક ગરીબ ખેડૂત કુટુંબમાં. વતન ધોલેરા. પિતા લવજીભાઈ અને માતા સંતોકબહેન. ‘શયદા’એ માત્ર ચાર ધોરણ સુધીનો…

વધુ વાંચો >

શરતના ઘોડા

શરતના ઘોડા (1943) : ગુજરાતી સાહિત્યમાં એકાંકીની ભોંય ભાંગનાર આદિ સર્જકત્રિપુટી પૈકીના એક એવા યશવંત પંડ્યાનો ત્રીજો એકાંકીસંગ્રહ, જેમાં પ્રારંભિક કાળમાં રચાયેલાં, ‘ભજવાય એવાં અને ભજવાયેલાં’ ચાર એકાંકીઓ અનુક્રમે ‘ઝાંઝવાં’, ‘સમાજસેવક’, ‘શરતના ઘોડા’ અને ‘પ્રભુના પ્રતિનિધિ’ સંગ્રહાયેલાં છે. પ્રથમ એકાંકીસંગ્રહ ‘મદનમંદિર’માં દેવોને મદન-દમન કે મદન-દહન માટે નહિ પણ મદનમંદિર માટે…

વધુ વાંચો >

શર્મા, ગોવર્ધન

શર્મા, ગોવર્ધન (જ. 1 જુલાઈ 1927, જોધપુર, રાજસ્થાન) : હિંદી, ગુજરાતી અને રાજસ્થાનીના લેખક. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ., પીએચ.ડી., અને ‘સાહિત્ય મહોપાધ્યાય’ની પદવી મેળવી. હિંદીના પ્રાધ્યાપક અને ગુજરાતમાં વિવિધ સરકારી કૉલેજોના પ્રાધ્યાપક તથા તેઓ પ્રિન્સિપાલ રહીને સેવાનિવૃત્ત થયા. તેઓ 1950-52 દરમિયાન ઑલ ઇન્ડિયા કુમાર હિંદી સાહિત્ય સંમેલનના જનરલ સેક્રેટરી…

વધુ વાંચો >

શર્મા, ભગવતીકુમાર હરગોવિંદભાઈ

શર્મા, ભગવતીકુમાર હરગોવિંદભાઈ (જ. 31 મે 1934, સૂરત) : ગુજરાતી સાહિત્યકાર. બહુમુખી પ્રતિભાશાળી સર્જક. એમણે નવલકથા, નવલિકા, નિબંધ, કવિતા, વિવેચન, પ્રવાસકથા, આત્મકથા, અનુવાદ તથા પત્રકારત્વક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું છે. જ્ઞાતિએ શ્રીમાળી બ્રાહ્મણ. વતન અમદાવાદ, પરંતુ પાંચેક પેઢીથી સૂરત મુકામે વસવાટ. માતા વાચનરસિક અને પિતા નાટ્યરસિક હતાં. ભગવતીકુમારમાં બાળપણથી જ તેમનાં…

વધુ વાંચો >

શર્મા, રાધેશ્યામ

શર્મા, રાધેશ્યામ (જ. 5 જાન્યુઆરી 1936, વાવોલ, જિ. ગાંધીનગર) : ગુજરાતી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, સંપાદક, અનુવાદક, પત્રકાર. રૂપાલ(ઉ. ગુ.)ના વતની. ગુજરાત કૉલેજ અમદાવાદમાંથી ગુજરાતી અને મનોવિજ્ઞાન વિષયો સાથે 1957માં બી.એ., સ્વતંત્ર લેખનનો વ્યવસાય. એમના પિતા સીતારામ શર્મા સુપ્રસિદ્ધ કથાકાર-કીર્તનાચાર્ય. 1958થી 1965ના ગાળામાં પિતાના પગલે અલગ અલગ સ્થળે સંગીત સમેત…

વધુ વાંચો >

શર્વિલક

શર્વિલક (1957) : વિશિષ્ટ ગુજરાતી નાટક. લેખક રસિકલાલ છોટાલાલ પરીખ (1897-1982). સંસ્કૃત નાટ્યકાર શૂદ્રકના ‘મૃચ્છકટિક’ તથા તેની પહેલાંના ભાસકૃત ‘દરિદ્ર ચારુદત્ત’ને અનુસરીને લેખકે ‘શર્વિલક’ની રચના કરી છે. બંને સંસ્કૃત નાટકોના અમુક અંશોનો ખાસ કરીને શ્ર્લોકોનો સીધો અનુવાદ તેમણે કરેલો છે. તેમ છતાં આ નાટક નથી અનુવાદ કે નથી અનુકૃતિ. ‘દરિદ્ર…

વધુ વાંચો >

શામળ

શામળ (ઈ. 18મી સદી) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જાણીતા પદ્યવાર્તાકાર. અમદાવાદના વેગનપુર(હાલનું ગોમતીપુર)માં વસેલા માળવા બાજુના શ્રીગોડ બ્રાહ્મણ. પિતા વીરેશ્વર. માતા આણંદબાઈ. કવિ પોતાને ‘શામળ ભટ્ટ’ તરીકે ઓળખાવે છે, પરંતુ તેમાં ‘ભટ્ટ’ શબ્દ કથાકાર બ્રાહ્મણના અર્થમાં પ્રયોજાયો છે. ખરેખર તો કવિની અટક ‘ત્રવાડી’ હતી. તેઓ પોતાને ઘણી વાર ‘સામકી’ (=…

વધુ વાંચો >

શાસ્ત્રી, કેશવરામ કાશીરામ

શાસ્ત્રી, કેશવરામ કાશીરામ (જ. 28 જુલાઈ 1905, માંગરોળ, જિ. જૂનાગઢ) : ગુજરાતના જાણીતા વિદ્વાન. માંગરોળ(સોરઠ)ના વતની. તેઓ શાળાનું મૅટ્રિક્યુલેશન (માધ્યમિક શાળાંત પરીક્ષા) સુધીનું અને પિતાજી પં. કાશીરામ કરશનજી શાસ્ત્રી (બાંભણિયા) પાસે સંસ્કૃત વ્યાકરણ, કાવ્યો અને વેદાંતનું શિક્ષણ પામેલા. 1923માં માંગરોળ (સોરઠ) નજીકના ચંદવાણા ગામમાં અધ્યાપન માટે એક વર્ષ ગાળ્યા પછી…

વધુ વાંચો >

શાસ્ત્રી, જાદવજી નરભેરામ (શાસ્ત્રી)

શાસ્ત્રી, જાદવજી નરભેરામ (શાસ્ત્રી) (જ. 24 એપ્રિલ 1898, સેદલા, જિ. સુરેન્દ્રનગર; અ. 16 જુલાઈ 1984, અમદાવાદ) : આયુર્વેદના જાણીતા વૈદ્ય અને લેખક. ગુજરાતમાં સને 1925થી 1965ના સમયગાળામાં આયુર્વેદિક સાહિત્યસર્જન સાથે પ્રૅક્ટિસ કરી, જનતાની ઉત્તમ સેવા કરનારા નામી વૈદ્યોમાં મૂળ પાટડી(બાજાણા-વિરમગામ)ના વૈદ્યરાજ જાદવજી નરભેરામ શાસ્ત્રીની ખાસ ગણના થાય છે. ગુજરાતમાં આ…

વધુ વાંચો >

શાસ્ત્રી, વ્રજલાલ કાળીદાસ

શાસ્ત્રી, વ્રજલાલ કાળીદાસ (જ. 26 નવેમ્બર 1825, મલાતજ, તા. પેટલાદ; અ. 14 નવેમ્બર 1892, મલાતજ) : ગુજરાતી ભાષાશાસ્ત્રી, સંશોધક, અનુવાદક અને કવિ. સાઠોદરા નાગર બ્રાહ્મણ પરિવારમાં જન્મ. અવટંકે ત્રવાડી. પ્રાથમિક શિક્ષણ મલાતજમાં લીધું. પ્રાકૃત વ્યાકરણ, સંસ્કૃત કાવ્ય, કાવ્યશાસ્ત્ર, દર્શનો અને વ્યાકરણનો અભ્યાસ પેટલાદ સંસ્કૃત પાઠશાળામાં કર્યો. તેઓ પ્રાકૃત વ્યાકરણ અને…

વધુ વાંચો >