Geography
લ્હાસા (Lhasa)
લ્હાસા (Lhasa) : ચીનના આધિપત્ય હેઠળ રહેલા તિબેટનું પાટનગર તેમજ બૌદ્ધ ધર્મનું પવિત્ર શહેર. ભૌગોલિક સ્થાન : 29° 40´ ઉ. અ. અને 91° 09´ પૂ. રે.. આ શહેર ત્સાંગપો (બ્રહ્મપુત્ર નદીના ઉપરવાસના ભાગનું નામ) નદીની સહાયક નદી લ્હાસાહેના જમણા કાંઠા પર વસેલું છે. ભગવાન બુદ્ધના સમય પછીથી તે બૌદ્ધ ધર્મનું…
વધુ વાંચો >વઝીરાબાદ
વઝીરાબાદ : પાકિસ્તાનના લાહોર પ્રાંતના ગુજરાનવાલા જિલ્લામાં આવેલો તાલુકો અને શહેર. તે 32° 27´ ઉ. અ. અને 74° 07´ પૂ. રે. પર આવેલો છે. આ શહેર ચિનાબ નદીની પૂર્વે, લાહોરથી ઉત્તરે 105 કિમી.ને અંતરે આવેલું છે. તે સિયાલકોટ અને ફૈઝલાબાદને સાંકળતા ઉત્તર-પશ્ચિમ રેલમાર્ગ પરનું જંક્શન છે. 1876માં નિર્માણ કરવામાં આવેલો…
વધુ વાંચો >વઝીરિસ્તાન
વઝીરિસ્તાન : પાકિસ્તાનના વાયવ્ય સરહદી પ્રાંતના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 33° 00´ ઉ. અ. અને 70° 36´ પૂ. રે.ની આજુબાજુનો 11,326 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કુર્રમ નદી, પૂર્વે ડેરા ઇસ્માઇલખાન, કોહાટ અને બન્નુ જિલ્લા, દક્ષિણે આંતરિક સીમા રચતી ગુમાલ નદી, જ્યારે પશ્ચિમે…
વધુ વાંચો >વડનગર
વડનગર : મહેસાણા જિલ્લાના ખેરાળુ તાલુકામાં આવેલું, ગુજરાતનાં પ્રાચીન સ્થળો પૈકીનું એક નગર. ભૌગોલિક સ્થાન : 23° 42´ ઉ. અ. અને 72° 39´ પૂ. રે.. આ નગર સમુદ્રસપાટીથી 21 મીટરની ઊંચાઈએ વસેલું છે. નગરની બહાર શમેળા (કે શર્મિષ્ઠા) તળાવ આવેલું છે. આ નગરને અર્જુનબારી, નડિયોલ, અમતોલ, ઘાસકોલ, પથોરી અને અમરથોલ…
વધુ વાંચો >વડોદરા
વડોદરા મધ્ય ગુજરાતના પૂર્વભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 21° 49´થી 22° 49´ ઉ. અ. અને 72° 31થી 74° 17´ પૂ. રે. વચ્ચેનો આશરે 7,794 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે, અર્થાત્ તે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારનો લગભગ 3.8 % ભૂમિભાગ ધરાવે છે.…
વધુ વાંચો >વઢવાણ
વઢવાણ : ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો, તાલુકામથક (નગર) અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : 22° 30´ અને 23° ઉ. અ. તથા 71° 15´થી 72° પૂ. રે. પર. તે ભોગાવો નદીને કાંઠે આવેલું છે. આ તાલુકાનું ક્ષેત્રફળ 794 ચોકિમી. છે. તેમાં સુરેન્દ્રનગર, જોરાવરનગર અને વઢવાણ નામનાં ત્રણ શહેરો તથા…
વધુ વાંચો >વત્સદેશ
વત્સદેશ : ઈ. પૂ. છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતનું એક મહત્વનું રાજ્ય. બૌદ્ધ ધર્મના ગ્રંથ ‘અંગુત્તર નિકાય’ તથા જૈન ધર્મના ગ્રંથ ‘ભગવતી- સૂત્ર’માં સોલ મહાજનપદોમાંના એક તરીકે તેનો ઉલ્લેખ મળે છે. વત્સનું રાજ્ય ઘણું સમૃદ્ધ અને ઉચ્ચ કક્ષાના સુતરાઉ કાપડ માટે જાણીતું હતું. તેનું પાટનગર કોસામ્બી યમુના નદીના ક્ધિાારે આવેલું હતું.…
વધુ વાંચો >વનસ્થલી (વંથલી)
વનસ્થલી (વંથલી) : જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢથી પશ્ચિમે 12 કિમી. ઉપર ઉબેણ નદીના પૂર્વ કિનારે આવેલું નગર. તે ‘સ્કંદપુરાણ’માં ‘વામન નગર’ તરીકે નોંધાયેલું છે. ત્યાં નોંધાયેલી અનુશ્રુતિ મુજબ વામન ભગવાન બલિને બાંધી, નગર સ્થાપી રૈવતક ગિરિ ઉપર આવીને રહ્યા હતા. આ ગામમાં કેટલાક પ્રાચીન અવશેષો જળવાઈ રહ્યા છે. ત્યાં વામન ભગવાનનું…
વધુ વાંચો >વરસોડા
વરસોડા : ઉત્તર ગુજરાતમાં આવેલ વનરાજ ચાવડાના વંશજની નાની રિયાસત. ત્યાંના ઠાકોર માણસાના ચાવડા રાવળના ભાયાત હતા. આ ચાવડા પોતાને વનરાજ ચાવડાના વંશજ સામંતસિંહના પુત્ર અહિપતના વંશજ ગણાવતા. અહિપતે કચ્છના મોરગઢમાં ગાદી સ્થાપી. એમના વંશજ પૂજાજીએ અગાઉ ધારપુરમાં (પાલણપુર તાબે) અને ત્યારબાદ અંબાસણમાં રાજ્ય સ્થાપ્યું. તેમના પુત્ર મહેસાજીએ મહેસાણા વસાવ્યું.…
વધુ વાંચો >વર્જિન ટાપુઓ
વર્જિન ટાપુઓ : કૅરિબિયન સમુદ્રમાં પથરાયેલાં વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓનાં બે જૂથ – બૃહદ્ ઍન્ટિલ્સ અને લઘુ ઍન્ટિલ્સ – વચ્ચે આશરે 18° 30´ ઉ. અ. અને 65° 00´ પ. રે.ની આજુબાજુ વિસ્તરેલું લગભગ 100 જેટલા નાના નાના ટાપુઓનું જૂથ. આ જૂથ ‘વર્જિન ટાપુઓ’ તરીકે ઓળખાય છે. આ ટાપુઓ પ્યુર્ટોરિકોથી પૂર્વ દિશામાં…
વધુ વાંચો >