સાહિત્યપ્રકાર

લેખ (article)

લેખ (article) : જે તે વિષયની સમજ આપતું મુદ્દાસર લખાણ, જે અખબાર-સામયિકમાં પ્રકાશિત થતું હોય છે અને ટૂંકું નિબંધ-સ્વરૂપી હોય છે. અખબાર-સામયિકોમાં મુખ્યત્વે તંત્રીલેખ, કટારલેખ (કૉલમ), ચર્ચાપત્ર અને વિશ્ર્લેષણલેખ વગેરે લખાતાં હોય છે, જેમનાથી વાચકોને જે તે વિષય ઉપર વિગતવાર વિસ્તૃત અને ઉપયોગી માહિતી મળે. અખબાર-સામયિકોનું સૌથી મહત્વનું પાસું તંત્રીલેખ…

વધુ વાંચો >

વાકા

વાકા : જાપાની કવિતાનું સ્વરૂપ. તેના રાજદરબારમાં છઠ્ઠીથી ચૌદમી સદી દરમિયાન રાજકવિઓ વાકા, ચૉકા અને સેદૉકા જેવાં સ્વરૂપોમાં લાંબી, ટૂંકી કાવ્યરચનાઓ કરતા. પાછળથી રેંગા, હાયકાઈ અને હાઇકુ જેવાં કાવ્યસ્વરૂપો પ્રગટ્યાં. તેના મૂળમાં ‘વાકા’ છે. વાકાને તાન્કા પણ કહેતા અને જાપાની કવિતાનું તે મૂળ કાવ્યરૂપ છે. ચૉકા દીર્ઘકાવ્યનો પ્રકાર છે; પરંતુ…

વધુ વાંચો >

વાઙ્મયસૂચિ

વાઙ્મયસૂચિ : વિદ્વાનો અને સંશોધકો માટે ધોરી માર્ગ પર પહોંચવાનું અતિ મહત્વનું સાધન. ગ્રંથવર્ણનની કળા કે તેના વિજ્ઞાન તરીકે વાઙ્મયસૂચિએ વીસમી સદીમાં એક મહત્વપૂર્ણ સ્થાન અર્જિત કર્યું છે. ગ્રંથ-ઉત્પાદનક્ષેત્રે થયેલી અભૂતપૂર્વ પ્રગતિએ, તેમજ અવિકસિત દેશોમાં વિશ્વની વૈજ્ઞાનિક અને યાંત્રિક માહિતી મેળવવા માટે ઊભી થયેલી નવી જરૂરિયાતે વાઙ્મયસૂચિના સર્જનમાં મહત્વપૂર્ણ ફાળો…

વધુ વાંચો >

વૃત્તિ-1 (નાટ્યશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્ર)

વૃત્તિ-1 (નાટ્યશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્ર) : નાટ્યશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રનો એક ખ્યાલ કે પદાર્થ. સર્વપ્રથમ આચાર્ય ભરત પોતાના ‘નાટ્યશાસ્ત્ર’માં એમ કહે છે કે ચાર નાટ્યવૃત્તિઓ એ કાવ્યની માતાઓ છે. પુરુષાર્થસાધક વ્યવહાર અને તેને સૂચવતા ક્રિયાકલાપ અને ચેષ્ટાઓ એટલે નાટ્યવૃત્તિ. ભરત કાયિક અને માનસિક ચેષ્ટાઓનો જ નાટ્યવૃત્તિમાં સ્વીકાર કરે છે, કારણ કે આવી…

વધુ વાંચો >

વૃત્તિ-2 (વ્યાકરણશાસ્ત્ર)

વૃત્તિ-2 (વ્યાકરણશાસ્ત્ર) : પાણિનીય વ્યાકરણશાસ્ત્રનો પારિભાષિક શબ્દ. પાણિનીય વ્યાકરણશાસ્ત્રમાં શબ્દના એક અર્થની અંદર બીજો નવો અર્થ પ્રગટ કરનારી શબ્દરચનાને વૃત્તિ કહે છે. વ્યાકરણશાસ્ત્રમાં પાંચ મુખ્ય વૃત્તિઓ માનવામાં આવી છે. એ સિવાય પણ બીજી વૃત્તિઓ છે. વૃત્તિ વિશે બીજો મત એવો છે કે જેના અર્થની સમજ આપવી પડે તેવી અસરવાળી શબ્દરચનાને…

વધુ વાંચો >

વૃત્તિ-3 (ગ્રંથપ્રકાર)

વૃત્તિ-3 (ગ્રંથપ્રકાર) : શાસ્ત્રનાં સૂત્રોની સમજ આપતી રચના. પ્રાચીન ભારતમાં દર્શનો, શાસ્ત્રગ્રંથો વગેરે સૂત્રશૈલીમાં રચાયાં છે. તેથી અલ્પ શબ્દોમાં ઘણો અર્થ સૂત્રકારોએ કહ્યો છે. સૂત્રમાં જે કોઈ સિદ્ધાન્તનો નિર્દેશ હોય તેને વિગતવાર સમજાવતી રચનાને વૃત્તિ કહે છે. અલબત્ત, તે ભાષ્ય કરતાં ટૂંકી હોય છે. વેદાંગ યાસ્ક્ના ‘નિરુક્ત’ પર દુર્ગાચાર્યની ‘ઋજ્વર્થા’,…

વધુ વાંચો >

વૃત્તિ-4 (શબ્દશક્તિ)

વૃત્તિ-4 (શબ્દશક્તિ) : વ્યાકરણશાસ્ત્ર, મીમાંસાશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રમાં પ્રયોજાતો પારિભાષિક શબ્દ. શબ્દ પર થતી શબ્દનો અમુક અર્થ આપતી પ્રક્રિયા તે વૃત્તિ. આ શબ્દવૃત્તિના ત્રણ પ્રકારો છે : (1) અભિધા (2) લક્ષણા અને (3) વ્યંજના. એમાં પહેલી બે વૃત્તિઓ વ્યાકરણાદિ બધાં શાસ્ત્રોમાં સ્વીકારવામાં આવી છે. ત્રીજી વ્યંજનાવૃત્તિ ફક્ત ધ્વનિવાદી આલંકારિકો જ સ્વીકારે…

વધુ વાંચો >

શતકકાવ્યો

શતકકાવ્યો : સો શ્ર્લોકો ધરાવતો સંસ્કૃત કાવ્ય-પ્રકાર. ઉપલબ્ધ સામગ્રી અનુસાર સંસ્કૃત સાહિત્યમાં ‘શતક’ કાવ્યની પરંપરા ઈ. સ.ની 7મી સદીથી આરંભાય છે. ‘શતક’ એટલે સો કે તેથી થોડાં વધારે પદ્યોવાળું કાવ્ય. શતકમાં ઓછામાં ઓછાં 100 પદ્યો તો હોય જ. શતક કોઈ નિશ્ચિત વિષયને અનુલક્ષીને પણ રચાયું હોય અથવા જેને ‘મુક્તક’ કહેવાય…

વધુ વાંચો >

શૈલી

શૈલી : સાહિત્યની લેખનરીતિના સંદર્ભમાં વપરાતો શબ્દ. અંગ્રેજી ભાષામાંના ‘style’ના પર્યાય રૂપે ગુજરાતમાં યોજાયેલી સંજ્ઞા. અંગ્રેજી ‘style’ શબ્દ મૂળ લૅટિન ભાષામાંથી ઊતરી આવ્યો છે, ત્યાં તે વિભિન્ન અર્થમાં યોજાતો જોવા મળ્યો છે. ‘પાષાણ, અસ્થિ કે ધાતુ વગેરેમાંથી બનાવેલી કલમ’ એ અર્થમાં લૅટિન ભાષામાં આ સંજ્ઞાનો ઉપયોગ થયો છે. પછી ‘લખવાની…

વધુ વાંચો >

સજ્ઝાય

સજ્ઝાય : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રચલિત જૈન પદપ્રકાર. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ખેડનારા અને વિકસાવનારા સર્જકોમાં જૈન સાધુકવિઓનું પ્રદાન અતિ મૂલ્યવાન છે. રાસા, ચરિય, ફાગુ આદિ પદ્યસ્વરૂપોની સાથે સાથે જ આ કવિઓને હાથે સ્તવન, સ્તુતિ, પૂજા, વિવાહલો, વેલિ, ચૈત્યવંદન, લેખ, હરિયાળી, ગહૂંળી જેવાં સર્જાયેલાં લઘુ પદ્યસ્વરૂપોમાંનું એક ગેય સ્વરૂપ છે સજ્ઝાય;…

વધુ વાંચો >