સંગીતકલા

અલ્લાબન્દેખાં

અલ્લાબન્દેખાં (જ. 1850 ?; અ. 1927, અલ્વર) : ભારતીય સંગીતકાર. અલ્વરનરેશના દરબારી ગાયક. જન્મ ઓગણીસમી સદીના અંતમાં થયો હોવાનો અંદાજ છે. તેઓ લોકપ્રિય ધ્રુપદ-ગાયક હતા અને શ્રુતિઓનું ગાન ઉત્તમ રીતે કરતા હતા. તેમના મોટા ભાઈ ઝાકિરહુસેનખાં પણ જાણીતા સંગીતકાર હતા. સંગીતના ક્ષેત્રે અલ્લાબન્દેખાંએ અવિસ્મરણીય સેવાઓ આપી છે. તેમના બે પુત્રો…

વધુ વાંચો >

અલ્લારખાં ઉસ્તાદ

અલ્લારખાં, ઉસ્તાદ (જ. 29 એપ્રિલ 1920, રતનગઢ, ગુરદાસપુર જિલ્લો, પંજાબ; અ. 3 ફેબ્રુઆરી 2000, મુંબઈ) : તબલાવાદનના પંજાબી ઘરાનાના વિખ્યાત કલાકાર. પિતા હાશિમઅલીની ઇચ્છા પુત્ર પણ ખેતી કરે એમ હતી, પરંતુ બાળપણથી જ પુત્રનો ઝુકાવ સંગીત તરફ હતો. 15–16 વર્ષની ઉંમરે તેઓ પઠાણકોટની એક નાટક કંપનીમાં જોડાયા. તેમણે તબલાવાદનની તાલીમ…

વધુ વાંચો >

અસદ અલીખાં

અસદ અલીખાં (જ. 1 ડિસેમ્બર 1937, અલવર, રાજસ્થાન; અ. 14 જૂન 2011, નવી દિલ્હી) : ભારતના પ્રાચીનતમ વાદ્ય રુદ્રવીણાના કુશળ વાદક. પિતા સાદિકઅલીખાં પાસેથી વીણા, સિતાર અને ગાયનનું શિક્ષણ મેળવ્યું. તેઓ ધ્રુવપદની ચાર વાણીઓમાંથી એક ખંડહાર વાણીની રીતે રુદ્રવીણા વગાડતા. વારાણસી વિશ્વવિદ્યાલયે તેમને ‘વીણા-વિશારદ’ની ઉપાધિ આપી છે. તેમણે ઇંગ્લૅન્ડ, ઇટાલી…

વધુ વાંચો >

અહોબલ

અહોબલ (સત્તરમી સદી) : પ્રસિદ્ધ સંગીતવિષયક ગ્રંથ ‘સંગીત પારિજાત’ના દક્ષિણ ભારતીય કર્તા. પિતા શ્રીકૃષ્ણ પંડિત પાસે સંસ્કૃતનું અધ્યયન કર્યું; તે પછી સંગીતનું શાસ્ત્રીય શિક્ષણ લીધું. સંગીતનિષ્ણાત થઈને એ ઉત્તર ભારતમાં ગયા. ત્યાં રહીને હિન્દુસ્તાની સંગીતનું ઊંડું અધ્યયન કર્યું અને એમાં પણ કુશળતા પ્રાપ્ત કરી. પછી ઘનબડ રાજા આગળ ગીતો ગાયાં.…

વધુ વાંચો >

અંધારિયા, રસિકલાલ

અંધારિયા, રસિકલાલ (જ. 13 ઑક્ટોબર 1931, ભાવનગર; અ. 19 જુલાઈ 1984, લંડન) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતને ગુજરાતના નકશા ઉપર સ્થાન અપાવનાર સમર્થ ગાયક. સંગીતનો વારસો તેમના પિતા અને દાદા પાસેથી મળેલો. દાદા ભાવનગરના રાજા ભાવસિંહજીના દરબારના રાજગવૈયા હતા. તેમને કોઈ પરંપરાપ્રાપ્ત ગુરુ નહોતા. સંગીતની પ્રાથમિક તાલીમ તેમણે સંગીતજ્ઞ પિતા…

વધુ વાંચો >

આગ્રા ઘરાણું

આગ્રા ઘરાણું : હિંદુસ્તાની સંગીતનું ઘરાણું. તેરમા સૈકાથી તે અસ્તિત્વમાં છે. શરૂમાં આ ઘરાણાનું સંગીત ધ્રુપદ-ધમારની શૈલીનું હતું. આ ઘરાણાના ઘગ્ગે ખુદાબક્ષ નામના એક કલાકારે ગ્વાલિયર ઘરાણાના મશહૂર ગાયક નત્થન પીરબક્ષ પાસેથી ખયાલગાયકીની તાલીમ મેળવીને પોતાના ઘરાણાની ધ્રુપદગાયકી તથા ખયાલગાયકીનો સુમેળ કરીને હાલ પ્રચલિત આગ્રા ઘરાણાના સંગીતની શૈલીનો પ્રારંભ કર્યો.…

વધુ વાંચો >

આડાચૌતાલ

આડાચૌતાલ (ચારતાલ) : સંગીતના એક તાલનું નામ. આ તાલ વિલંબિત લયની ખ્યાલ ગાયકી સાથે તથા મધ્યલયની બંદિશ સાથે પણ વગાડાય. કેટલાક ગાયકો ધ્રુપદ ગાયકીમાં પણ તેનો ઉપયોગ કરે છે. માત્રા 14. તેના ખંડ 7. દરેક ખંડમાં બે બે માત્રાઓ. તાલી 1, 3, 7, 11 માત્રા ઉપર. ખાલી 5, 9, 13…

વધુ વાંચો >

આદિત્યરામ વૈકુંઠરામ

આદિત્યરામ વૈકુંઠરામ (જ. 1763, જૂનાગઢ; અ. 1824) : પ્રસિદ્ધ સંગીતકાર. પિતા વૈંકુઠરામ સંસ્કૃતના વિદ્વાન અને કવિતા રચે, સંગીતના પણ શોખીન. પિતાએ આદિત્યરામને સંગીતનું શિક્ષણ આપ્યું. કિશોર આદિત્યરામે જૂનાગઢના નવાબ બહાદુરખાન સમક્ષ ગાઈને તેમની પાસેથી ઇનામ મેળવ્યું હતું. ગીરના કોઈ સિદ્ધ યોગીએ તેમને મૃદંગવાદન શીખવ્યું હતું. તેમણે ખયાલ તથા ગાયનની તાલીમ…

વધુ વાંચો >

આધુનિકતા-આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ

આધુનિકતા, આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ (તત્ત્વ, કલા, સાહિત્ય અને સમાજ) તત્ત્વજ્ઞાન : આધુનિક (modern) યુગ, આધુનિકતા (modernity) આધુનિકીકરણ (modernisation) નવ્ય સાહિત્યિક અને આધુનિકતાવાદ (modernism) એ બધી વિભાવનાઓને સમજવાનું હવે નવા સંદર્ભમાં એટલા માટે આવશ્યક છે કે તેની સમજણ વગર અનુઆધુનિકતા (post-modernity) કે અનુઆધુનિકતાવાદ(post-modernism)ની વિભાવનાઓને સમજવાનું મુશ્કેલ બને છે. આધુનિકતા અને અનુઆધુનિકતા…

વધુ વાંચો >

આમોણકર, કિશોરી

આમોણકર, કિશોરી (જ. 10 એપ્રિલ 1931, મુંબઈ; અ. 3 એપ્રિલ 2017, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જયપુર ઘરાનાની વિખ્યાત ગાયિકા. ખયાલ-ગાયકીનાં સિદ્ધહસ્ત કલાકારોમાં તેમની ગણના કરવામાં આવે છે. તેમણે સંગીતની શિક્ષા નાનપણથી પોતાની માતા મોગુબાઈ કુર્ડીકર પાસેથી લીધી હતી. મોગુબાઈ ભારતનાં વિખ્યાત શાસ્ત્રીય સંગીતકાર અલ્લાદિયાખાં સાહેબનાં અગ્રણી શિષ્યા હતાં.…

વધુ વાંચો >