રસાયણશાસ્ત્ર

વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest)

વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest) (જ. 7 જાન્યુઆરી 1941, હેલિફેક્સ, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ રસાયણવિદ અને 1997ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1969માં યુનિવર્સિટી ઑવ્ ઑક્સફર્ડમાંથી ડૉક્ટરેટ પદવી મેળવ્યા બાદ વૉકરે અમેરિકા અને પૅરિસમાં આવેલ યુનિવર્સિટીઓ ખાતે વિવિધ સંશોધન-યોજનાઓ પર કાર્ય કર્યું. 1974માં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મેડિકલ રિસર્ચ કાઉન્સિલ…

વધુ વાંચો >

વ્હૉલર, ફ્રેડરિક (Wohler, Friedrich)

વ્હૉલર, ફ્રેડરિક (Wohler, Friedrich) (જ. 31 જુલાઈ 1800,  જર્મની; અ. 23 સપ્ટેમ્બર 1882, ગોટિન્જન, જર્મની) : અકાર્બનિક (inorganic) પદાર્થમાંથી કાર્બનિક (organic) સંયોજન(યુરિયા)નું સૌપ્રથમ સંશ્લેષણ કરનાર તેમજ ધાત્વિક ઍલ્યુમિનિયમ બનાવવાની વિધિ વિકસાવનાર જર્મન રસાયણવિદ. તેમણે ફ્રૅન્કફર્ટ જિમ્નેશિયમમાં અભ્યાસ કર્યો હતો પણ તેઓ વિદ્યાર્થી તરીકે બહુ ઝળક્યા ન હતા. પાછળથી તેમણે આનું…

વધુ વાંચો >

શારપોનટીર, ઇમાન્યૂએલ્લે (Charpentier, Emmanuelle)

શારપોનટીર, ઇમાન્યૂએલ્લે (Charpentier, Emmanuelle) (જ. 11 ડિસેમ્બર 1968 જુવીસી-સૂર-ઑર્ગે, ફ્રાંસ) : ફ્રાંસના પ્રાધ્યાપક અને રસાયણશાસ્ત્રનો 2020નો નોબેલ પુરસ્કાર અમેરિકાના જેનિફર ડાઉના સાથે મેળવનાર તથા સૂક્ષ્મજીવશાસ્ત્ર, જનીનવિદ્યા અને જૈવરસાયણમાં સંશોધન કરનાર. તેઓ 2015થી બર્લિનમાં આવેલી મેક્સ પ્લાંક ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ફેક્શન બાયૉલૉજીમાં નિયામક તરીકે સેવા આપે છે. 2019માં તેમણે મેક્સ પ્લાંક એકમની…

વધુ વાંચો >

શાર્ક માછલીનું તેલ

શાર્ક માછલીનું તેલ : જુઓ માછલીનું તેલ.

વધુ વાંચો >

શાહ, નરસિંહ મૂળજીભાઈ

શાહ, નરસિંહ મૂળજીભાઈ (જ. 18 ડિસેમ્બર 1899, લીંબડી; અ. 28 સપ્ટેમ્બર 1971, અમદાવાદ) : રસાયણવિદ્યાના પ્રાધ્યાપક, સંશોધક અને લેખક. જૈન પોરવાડ જ્ઞાતિમાં મૂળજીભાઈ કાલિદાસને ત્યાં તેમનો જન્મ થયો હતો. શરૂઆતનું શિક્ષણ લીંબડીમાં લઈ 1916માં મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા બાદ ભાવનગરની શામળદાસ કૉલેજમાં જોડાઈ ઇન્ટર સાયન્સના અભ્યાસ માટે 1918માં મુંબઈની વિલ્સન…

વધુ વાંચો >

શિમોમુરા, ઓસામુ (Shimomura, Osamu)

શિમોમુરા, ઓસામુ (Shimomura, Osamu) (જ. 27 ઑગસ્ટ 1928, ફુકુચિયામ, ક્યોટો, જાપાન) : જાપાની કાર્બનિક રસાયણવિદ અને સમુદ્રી (marine) જીવવૈજ્ઞાનિક તથા 2008ના રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેમનો ઉછેર મંચુરિયા અને ઓસાકામાં જ્યાં તેમના પિતા લશ્કરી અફસર હતા ત્યાં થયેલો. ત્યાર બાદ તેમનું કુટુંબ ઈસાહાયા (Isahaya) નાગાસાકી ખાતે આવ્યું. નાગાસાકી ઉપર ફેંકાયેલા…

વધુ વાંચો >

શિરાકાવા હિડેકી

શિરાકાવા હિડેકી (જ. 20 ઑગસ્ટ 1936, ટોકિયો, જાપાન) : વીજસંવાહક બહુલકોની શોધ અને તેમના વિકાસ બદલ 2000ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. ટોકિયો ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજીમાંથી 1966માં પીએચ.ડી. પદવી મેળવ્યા બાદ શિરાકાવા તે જ વર્ષે યુનિવર્સિટી ઑવ્ સુકુબાના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મટીરિયલ્સ સાયન્સના અધ્યાપક તરીકે જોડાયા અને 1982માં ત્યાં રસાયણશાસ્ત્રના…

વધુ વાંચો >

શીલે, કાર્લ વિલ્હેલ્મ

શીલે, કાર્લ વિલ્હેલ્મ (જ. 9 ડિસેમ્બર 1742; સ્ટ્રાલસુંડ, જર્મની; અ. 21 મે 1786, કૉપિંગ, સ્વીડન) : જર્મન રસાયણશાસ્ત્રી. શીલેએ ઔષધ-વ્યાપારી (apothecary) રસાયણવિજ્ઞાની તરીકે તાલીમ લીધેલી. તે સમયે મોટાભાગની દવાઓ છોડવાઓ, ખનિજો વગેરેમાંથી બનાવવામાં આવતી. ગોથેનબુર્ગમાં તેમણે એપ્રેન્ટિસ તરીકે કામ શરૂ કરેલું. રાસાયણિક પ્રયોગો કરવાની તેમની વિશિષ્ટ કાબેલિયતને કારણે તેમને અનેક…

વધુ વાંચો >

શૃંખલા-પ્રક્રિયા (chain reaction)

શૃંખલા–પ્રક્રિયા (chain reaction) : જેમાં પ્રક્રિયાના પ્રથમ તબક્કાની નીપજો તે પછીના (ઉત્તરાવર્તી, subsequent) તબક્કાનો પ્રારંભ કરતી હોય તેવી સ્વપોષી (self-sustaining) પ્રક્રિયાઓ. રાસાયણિક શૃંખલા-પ્રક્રિયાઓ સામાન્ય રીતે મુક્ત મૂલકો (free radicals) અથવા મધ્યસ્થીઓ (intermediats) દ્વારા શ્રેણીબદ્ધ રીતે આગળ વધતી હોય છે. આવી પ્રક્રિયાઓ ક્રિયાશીલ (active) મધ્યસ્થીઓના સતત ઉદ્ભવનની લાક્ષણિકતા ધરાવે છે. ઇંધન…

વધુ વાંચો >

શેષાદ્રિ, તિરુવેંકટ રાજેન્દ્ર

શેષાદ્રિ, તિરુવેંકટ રાજેન્દ્ર (જ. 3 ફેબ્રુઆરી 1900, કુલિતલાઈ, તામિલનાડુ; અ. 27 સપ્ટેમ્બર 1975) : ટી. આર. શેષાદ્રિના નામથી જાણીતા ભારતીય રસાયણવિદ્. પિતા ટી. આર. આયંગર. પ્રેસિડેન્સી કૉલેજ, ચેન્નાઈમાંથી સ્નાતક થયા બાદ 1924માં તેમણે મદ્રાસ યુનિવર્સિટીની એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. વધુ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ પ્રાપ્ત થતાં 1927માં માન્ચેસ્ટર ખાતે નોબેલ પારિતોષિક-વિજેતા…

વધુ વાંચો >