યતીન્દ્ર દીક્ષિત

ઉત્તરાપથ

ઉત્તરાપથ : વિંધ્યથી ઉત્તરે હિમાલય સુધીનો સમગ્ર ઉત્તર ભારતનો પ્રદેશ. કાવ્યમીમાંસા પ્રમાણે પૃથુદક(આધુનિક પેહોઆ, થાણેશ્વરથી પશ્ચિમે લગભગ 22.44 કિમી.)થી પશ્ચિમે આવેલો પ્રદેશ. બ્રાહ્મણ કે બૌદ્ધ સાહિત્યમાં આ પ્રદેશની સરહદો દર્શાવવામાં આવી નથી. છતાં એક પરંપરા પ્રમાણે ઉત્તરાપથ કે ઉત્તર હિંદમાંના સમગ્ર સિંધુખીણના વિસ્તારનો તેમાં સમાવેશ થતો. ધર્મસૂત્રો પ્રમાણે જ્યાં સરસ્વતી…

વધુ વાંચો >

ઉદયપ્રભસૂરિ (તેરમી સદી)

ઉદયપ્રભસૂરિ (તેરમી સદી) : મંત્રી વસ્તુપાલના ગુરુ આચાર્ય વિજયસેનસૂરિના શિષ્ય. વસ્તુપાલ મંત્રીએ તેમને સૂરિપદથી સમલંકૃત કરેલા હતા. વસ્તુપાલના વિદ્યામંડલના અનેક વિદ્વાનો તથા સાહિત્યકારોમાં તેમનો સમાવેશ થતો હતો. તેમણે ‘ધર્માભ્યુદય’ અપરનામ ‘સંઘપતિચરિત’ નામનું પંદર સર્ગનું કાવ્ય રચ્યું છે. મંત્રી વસ્તુપાલે સંઘપતિ બનીને ભારે દબદબાથી શત્રુંજય અને ગિરનાર તીર્થોની યાત્રા કરી હતી,…

વધુ વાંચો >

ઋષિપત્તન (સારનાથ)

ઋષિપત્તન (સારનાથ) : સારનાથ અંતર્ગત બૌદ્ધ તીર્થ. ગૌતમ બુદ્ધે અહીંથી ધર્મચક્ર પ્રવર્તાવ્યું હતું. તેનું પ્રાચીન નામ ઇસિપત્તનમિગદાય (ઋષિપત્તનમૃગદાવ) છે. આ સ્થળેથી બૌદ્ધ ધર્મના અવશેષો વિશાળ પ્રમાણમાં ઉપલબ્ધ થયા છે. તેમાં સારનાથનો શિલાલેખ, ધર્મસ્તૂપ અને ગુપ્ત સમયના વિહારોના અવશેષો મહત્વના છે. ઈ. પૂ. બીજી સદીમાં ઇસિપત્તનમાં મોટી સંખ્યામાં બૌદ્ધ સાધુઓ વસતા…

વધુ વાંચો >

એઉક્રતિદ

એઉક્રતિદ (યુક્રેટિડિસ): દિમિત્રનો પ્રતિસ્પર્ધી યવન રાજા (ઈ. પૂ. ત્રીજી શતાબ્દીની પૂર્વાર્ધ). બૅક્ટ્રિયાનો બાહલિક રાજા દિમિત્ર ભારત ઉપર ચઢાઈમાં રોકાયેલો હતો. તે દરમિયાન બૅક્ટ્રિયાનું રાજ્ય એઉક્રતિદ (એના સિક્કા પરના પ્રાકૃત લખાણમાં ‘એઉક્રતિદ’ રૂપ પ્રયોજાયું છે) નામે યવન પ્રતિસ્પર્ધીએ પડાવી લીધું, પણ આ સમાચાર મળતાં ડિમેટ્રિયસ તરત જ બાહલિક પાછો ફર્યો ને…

વધુ વાંચો >

એઝિકેલ

એઝિકેલ (Ezekiel) : પ્રાચીન ઇઝરાયલની જૂડાહ જનજાતિના પેગંબર (prophet) અને પાદરી (priest). ધાર્મિક ગ્રંથના લેખક અને સંકલનકર્તા. ઈ. પૂ. છઠ્ઠી સદી તેમનો જીવનકાળ તથા પ્રવૃત્તિઓનો સમય ગણાય છે. તે જેરૂસલેમમાં રહેતા હતા. તે સદીના પ્રથમ ત્રણ દસકામાં જેરૂસલેમ તથા બૅબિલૉનમાં તેમના ધર્મોપદેશક સંગઠન(ministry)નું કાર્ય ચાલતું હતું. યહૂદી ધર્મ(judaism)ના વિકાસમાં તેમણે…

વધુ વાંચો >

એટ્રુસ્કન

એટ્રુસ્કન : ઇટાલીની મધ્યમાં પશ્ચિમ કિનારા ઉપર માનવસંસ્કૃતિ સ્થાપવાની પહેલ કરનારી પ્રજા. આ પ્રદેશને એટ્રુરિયા કહેવામાં આવતો. ઈ. પૂ.ની છઠ્ઠી સદીમાં તેમની સંસ્કૃતિ સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. ઈ. પૂ.ની સાતમી સદીની મધ્યમાં મુખ્ય એટ્રુસ્ક્ધા નગરો સ્થપાયાં અને તેમણે ઈ. પૂ.ની છઠ્ઠી સદીમાં અનેક વિજયો પ્રાપ્ત કર્યા હતા, જેમાં તાર્કીની, પોપુલોનિયા,…

વધુ વાંચો >

એદલજી ડોસાભાઈ

એદલજી ડોસાભાઈ (જ. 1850; અ. 1894) : ગુજરાતના ઇતિહાસના લેખક. અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(હાલની ગુજરાત વિદ્યાસભા)એ વર્નાક્યુલર ભાષા(ગુજરાતી)માં ગુજરાતનો ઇતિહાસ લખવા માટે ઇનામની જાહેરાત કરી હતી. તેમાં એદલજી ડોસાભાઈએ આ ઇતિહાસ લખીને ઇનામ મેળવ્યું હતું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ તે ઇતિહાસ પ્રગટ કર્યો હતો. તેમનો આ ઇતિહાસ શાળાઓમાં પાઠ્યપુસ્તક તરીકે સ્વીકાર…

વધુ વાંચો >

એબેલાર્ડ, પીટર

એબેલાર્ડ, પીટર (જ. 1090; અ. 21 એપ્રિલ 1142) : ફ્રાન્સનો ઈશ્વરશાસ્ત્રવેત્તા (theologian). પીટર બ્રિટ્ટાનીના લેપેલેના ઉમરાવના પુત્ર. રોસ્કેલિન અને ચેમ્પોના હાથ નીચે લોચીસ અને પૅરિસમાં તેમણે તર્કશાસ્ત્રનો અભ્યાસ કર્યો. મેલૂન, કોર્બીલ, બ્રિટ્ટાની, પૅરિસ વગેરે સ્થળોએ શિક્ષક તરીકે તેમણે સેવા આપી. ફુલ્બર્ટની તેજસ્વી ભત્રીજી હેલોઇઝ સાથે તેમણે ખાનગીમાં લગ્ન કર્યાં એટલે…

વધુ વાંચો >

એભલ મંડપ

એભલ મંડપ : ભાવનગર જિલ્લાના, શેત્રુંજી નદીને કાંઠે આવેલા તળાજા ગામની લગભગ પશ્ચિમ દિશાએ આવેલી 97.53 મીટર ઊંચી ટેકરીની પશ્ચિમોત્તર બાજુની શૈલ-ઉત્કીર્ણ 30 ગુફાઓ પૈકીની એક. લગભગ 30.48 મીટરની ઊંચાઈએ આ ગુફા આવેલી છે. લગભગ 23 મીટર ´ 21 મીટર લંબાઈ-પહોળાઈવાળી આ ગુફા 6 મીટર ઊંચી છે. તેમાં રહેવાની નાની…

વધુ વાંચો >

એમેનહોટેપ

એમેનહોટેપ (16મી સદી) : પ્રાચીન ઇજિપ્તમાં 18મા રાજવંશમાં થઈ ગયેલા ચાર રાજાઓ. પરાક્રમી યુદ્ધવીર એમેનહોટેપ પહેલો એ આમોસે(Ahmose)નો પુત્ર અને વારસ હતો. તેણે ઈ. પૂ. 1546થી 1526 સુધી રાજ્ય કર્યું. તેણે ઇજિપ્તના મધ્યરાજ્યની સરહદોથી પણ આગળ દક્ષિણ તરફ રાજ્યવિસ્તાર કર્યો. ઇજિપ્તની સમૃદ્ધિ વધી હતી. એમોન-રે રાજ્યદેવતા હતો, થીબ્સમાં પવિત્ર સ્મારકો…

વધુ વાંચો >