બંગાળી સાહિત્ય

ચંડીદાસ (બડો) (પંદરમી સદી)

ચંડીદાસ (બડો) (પંદરમી સદી) : બંગાળી કવિ. બંગાળી વૈષ્ણવ સમાજમાં તેમનું ઘણું માન હતું. રાધાકૃષ્ણની લીલા સંબંધી કાવ્યો આપનાર આ કવિને આદિકવિ માનવામાં આવે છે. ‘દ્વિજ ચંડીદાસ’, ‘દીન ચંડીદાસ’, ‘બડો ચંડીદાસ’, ‘અનંતબડો ચંડીદાસ’ એવાં નામો સાથે જોડાયેલાં તેમનાં કેટલાંક પદો મળે છે. તેમની પદાવલીનાં ગીતોને લોકો કીર્તન તરીકે આજે પણ…

વધુ વાંચો >

ચાંદ સોદાગર

ચાંદ સોદાગર : બંગાળી મંગલકાવ્યોમાં નિરૂપિત લોકકથાનું પાત્ર. લોકજીવન અને લોકધર્મ પર આધારિત અનેક દેવદેવીઓ વિશે બંગાળીમાં મંગલકાવ્યો રચાયાં છે. આ કાવ્યોમાં આવતી ચાંદ સોદાગર અને લખિન્દર-બેહુલાની કથા ત્યાંના જનજીવનમાં વણાઈ ગઈ છે. મનસાદેવી એ સર્પદેવતા છે. ‘મનસામંગલ’માં મનસાદેવીના માહાત્મ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે. મનસા વિશે લખાયેલાં કાવ્યો ‘મનસાવિજય’, ‘મનસામંગલ’,…

વધુ વાંચો >

ચેટરજી, સુનીતિકુમાર

ચેટરજી, સુનીતિકુમાર (જ. 26 નવેમ્બર 1890, હાવરા; અ. 29 મે 1977, કૉલકાતા) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા બંગાળી ભાષાવિજ્ઞાની. તેમણે શાળા અને કૉલેજશિક્ષણ કૉલકાતામાં લીધું. 1911માં કલકત્તા યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી પ્રથમ નંબરે પ્રાપ્ત કરીને છાત્રવૃત્તિ મેળવી. 1913માં અંગ્રેજી તથા ભાષાવિજ્ઞાન સાથે એમ.એ.ની ડિગ્રી પણ પ્રથમ નંબરે પ્રાપ્ત કરી. તેથી 1919માં તેમને…

વધુ વાંચો >

ચૌધરી, પ્રમથ

ચૌધરી, પ્રમથ (જ. 7 ઑગસ્ટ 1868 જાસોર, બાંગ્લાદેશ; અ.  1948) : બંગાળી સામયિક ‘સબુજપત્ર’ના તંત્રી, નિબંધકાર, કવિ. કલકત્તા યુનિવર્સિટીમાંથી 1889માં તત્વચિંતનના વિષય સાથે પ્રથમ વર્ગમાં બી.એ. અને 1890માં અંગ્રેજી સાથે એમ.એ. થયા. ઇંગ્લૅન્ડ જઈ બૅરિસ્ટર થયા અને થોડો સમય કોલકાતાની હાઈકોર્ટના સભ્ય રહ્યા. તેમનું લગ્ન રવીન્દ્રનાથની ભત્રીજી ઇન્દિરાદેવી સાથે થયું…

વધુ વાંચો >

ચૌધરી, રમાપદ

ચૌધરી, રમાપદ (જ. 28 ડિસેમ્બર 1922, ખડકપુર, રેલવે કૉલોની, પશ્ચિમ બંગાળ; અ. 29 જુલાઈ 2018, કોલકાતા) : બંગાળી કથાસર્જક. તેમની ‘બાડિ બદલે જાય’ને 1988ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે કૉલકાતા યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. તેઓ ‘આનંદ બજાર પત્રિકા’ના સંયુક્ત તંત્રી હતા. મુખ્યત્વે તેઓ નવલકથાકાર છે;…

વધુ વાંચો >

જત દૂરેઇ જાઈ

જત દૂરેઇ જાઈ (1962) : સુભાષ મુખોપાધ્યાય(1919)નો બંગાળી કાવ્યસંગ્રહ. તેને 1964નો સાહિત્ય અકાદેમી ઍવૉર્ડ એનાયત થયેલો. લેખક કૉલકાતા યુનિવર્સિટીના ગ્રૅજ્યુએટ; રાજકીય પ્રવાહોથી પ્રભાવિત થયેલા; 1942માં ભારતની કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયેલા. બંગાળના પ્રગતિશીલ લેખકોને પ્રોત્સાહિત કરતા. માર્ક્સિસ્ટ વલણ ધરાવતા મુખોપાધ્યાયની કવિતામાં કચડાયેલા, ગરીબ લોકો પ્રત્યેની ઊંડી સહાનુભૂતિ જોવા મળે છે. શીર્ષક-કાવ્ય ‘જત…

વધુ વાંચો >

જનગણમન

જનગણમન : ભારતનું રાષ્ટ્રગીત. રવીન્દ્રનાથ ઠાકુરની આ રચના (1911) તેમના તંત્રીપદે પ્રસિદ્ધ થતી ‘તત્વબોધિની પત્રિકા’માં સૌપ્રથમ જાન્યુઆરી 1912માં ‘ભારત વિધાતા’ શીર્ષક સાથે પ્રસિદ્ધ થયેલી. કવિએ 1919માં ‘ધ મૉર્નિંગ સૉન્ગ ઑવ્ ઇન્ડિયા’ નામે આ ગીતનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો. (રાગ : કોરસ – તાલ ધુમાલી) જનગણમનઅધિનાયક જય હે ભારતભાગ્યવિધાતા, પંજાબ સિંધુ…

વધુ વાંચો >

જાત્રા

જાત્રા : બંગાળી લોકનાટ્યનો એક પ્રકાર. તે મધ્યકાળથી શરૂ થઈ આજ સુધી જુદે જુદે સ્વરૂપે પ્રવર્તમાન રહ્યો છે. ભૂતકાળમાં કોઈ ઉત્સવ પ્રસંગે ભક્તો નાચતાંગાતાં, સરઘસાકારે એક સ્થળેથી બીજે સ્થળે જતા. સમય જતાં તેમાં પુરાણોમાંથી કે કોઈ દંતકથામાંથી વાર્તાને જોડવામાં આવી, અને તેમાંથી ઉદભવ્યું જાત્રા–નાટક. આ જાત્રા તે લોક-રંગભૂમિ. તે ગામડાંમાં…

વધુ વાંચો >

જાપાને (1959)

જાપાને (1959) : અન્નદાશંકર રાય(1904)રચિત બંગાળી પ્રવાસકથા. લેખકે 1957માં આંતરરાષ્ટ્રીય પી.ઈ.એન. કૉંગ્રેસના ડેલિગેટ તરીકે જાપાનની મુલાકાત લીધી હતી તેના પરિણામરૂપ આ પુસ્તક છે. તેને 1962નો સાહિત્ય અકાદેમીનો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તેમની પ્રથમ પ્રવાસવર્ણનની કૃતિ ‘પથે પ્રવાસે’(1939)માં એમની નિરીક્ષણશક્તિ, સૌંદર્યર્દષ્ટિ અને માનવી તેમજ સમાજ સાથેની ઊંડી નિસબત ખાસ ધ્યાન…

વધુ વાંચો >

જેતે પારિ કિન્તુ કેનો જાબો

જેતે પારિ કિન્તુ કેનો જાબો : બંગાળી કવિ શક્તિ ચટ્ટોપાધ્યાયનો કાવ્યસંગ્રહ (1982). તેને સાહિત્ય અકાદેમીનો 1983નો ઍવૉર્ડ મળ્યો હતો. શક્તિ ચટ્ટોપાધ્યાયે (1933–1995) લેખનનો આરંભ વાર્તાઓથી કરેલો, પણ પછી કવિતા-સર્જનનો પડકાર ઝીલ્યો. રવીન્દ્રનાથ પછી બંગાળી કવિતાની અનેક દિશાઓ ઊઘડી, જેમાં સર્વોચ્ચ શિખર એટલે કવિ જીવનાનંદ દાસ. તે પછી વિદ્રોહ અને ક્રાન્તિકારી…

વધુ વાંચો >