પ્રહલાદ છ. પટેલ

યાંત્રિકી (mechanics)

યાંત્રિકી (mechanics) : બળની અસર હેઠળ પદાર્થ કે પ્રણાલીની ગતિનો અભ્યાસ. યાંત્રિકીનો કેટલાક વિભાગોમાં અભ્યાસ કરી શકાય છે. સ્થૈતિકી (statics) અને ગતિકી (dynamics) એમ તેના બે મુખ્ય અને મહત્વના વિભાગ છે. સ્થૈતિકીમાં સ્થિર અથવા અચળ ઝડપ અને એક જ દિશામાં ગતિ કરતા પદાર્થનો અભ્યાસ કરવામાં આવે છે. પદાર્થ કે પ્રણાલી…

વધુ વાંચો >

યુકાવા, હિડેકી

યુકાવા, હિડેકી (જ. 23 જાન્યુઆરી 1907, ટોકિયો; અ. 10 સપ્ટેમ્બર 1981, કિયોટો) : ન્યૂક્લિયર બળો ઉપર સૈદ્ધાંતિક સંશોધન કરતાં મેસૉન નામના કણના અસ્તિત્વની આગાહી કરનાર જાપાનીઝ ભૌતિકવિજ્ઞાની. 1949માં (ભૌતિકવિજ્ઞાનનો) નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ જાપાની. 1926માં તેઓ કિયોટો યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. ત્યારબાદ ઓસાકા યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની ઉપાધિ મેળવી. તે પછી તેમણે આ…

વધુ વાંચો >

યુગ્મ-નિર્માણ (pair production)

યુગ્મ-નિર્માણ (pair production) : પૂરતી ઊંચી ઊર્જા ધરાવતા ફોટૉન(પ્રકાશનો ઊર્જા-કણ)માં એકસાથે ઇલેક્ટ્રૉન અને પૉઝિટ્રૉન પેદા થવાની ઘટના. જ્યારે ઉચ્ચ ઊર્જા ગૅમા-કિરણનો ફોટૉન (>1.02 MeV) પારમાણ્વિક ન્યૂક્લિયસના સાંનિધ્યમાં થઈને પસાર થાય છે ત્યારે આ ઘટના બને છે. ગૅમા-કિરણો દ્રવ્યમાં થઈને પસાર થાય છે ત્યારે તેમનું નીચેની ત્રણ રીતે શોષણ થાય છે…

વધુ વાંચો >

રક્ત સ્થાનાંતર (red shift)

રક્ત સ્થાનાંતર (red shift) : પાર્થિવ (terrestrial) વર્ણપટની સાપેક્ષે પરાગાંગેય તારાકીય (extragalactic steller) વર્ણપટની રેખાઓનું ર્દશ્ય રક્ત(લાલ)વર્ણી છેડા તરફ સ્થાનાંતર. તારાઓના પશ્ચસરણ[પીછેહઠ(recession)]ને લીધે ઉદભવતી ડૉપ્લર ઘટનાને કારણે આવું સ્થાનાંતર થતું હોવાનું મનાય છે. દૂરદરાજનાં તારાવિશ્વો(galaxies)માંથી આવતા પ્રકાશના વર્ણપટની રેખાઓ વધુ તરંગલંબાઈ તરફ ખસે છે. અતિદૂરની નિહારિકા (nebulae) માટે આવું સ્થાનાંતર…

વધુ વાંચો >

રાજગોપાલ ચિદંબરમ્

રાજગોપાલ ચિદંબરમ્ (જ. 12 નવેમ્બર 1936, ચેન્નઈ) : પોકરણ-2 પરમાણુ-પરીક્ષણના સંયોજક અને પરમાણુ-ઊર્જા પંચના માજી અધ્યક્ષ. તેમણે શિક્ષણ ચેન્નઈની વિવિધ સંસ્થાઓમાંથી લીધું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ (IISC), બગલોર ખાતેથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરીને 1962માં મુંબઈમાં આવેલ ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર(B.A.R.C.)માં તેઓ જોડાયા. તેમને તેમના પીએચ.ડી.ના ઉત્તમ સંશોધન માટે તે વર્ષનો…

વધુ વાંચો >

રામચંદ્રન, ગોપાલસમુદ્રમ્ નારાયણ

રામચંદ્રન, ગોપાલસમુદ્રમ્ નારાયણ (જ. 8 ઑક્ટોબર 1922, એર્નાકુલમ, કેરળ; અ. 7 એપ્રિલ 2001) : આણ્વિક જૈવવિજ્ઞાન, સ્ફટિકવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાનના લબ્ધપ્રતિષ્ઠ સંશોધક અને અભ્યાસી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાંથી લીધું. 1942માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એસસી. (ઑનર્સ); 1944માં એ જ યુનિવર્સિટીમાંથી એમ.એસસી; 1947માં બૅંગલોરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ(I.I.Sc.)માંથી ડી.એસસી. થયા. 1947-49 દરમિયાન કેમ્બ્રિજ…

વધુ વાંચો >

રામન, ચંદ્રશેખર વેંકટ (સર)

રામન, ચંદ્રશેખર વેંકટ (સર) (જ. 8 નવેમ્બર 1888, તિરુચિરાપલ્લી, ભારત; અ. 21 નવેમ્બર 1970, બૅંગ્લોર) : પ્રકાશના પ્રકીર્ણન ઉપર સંશોધન કરી રામન ઘટનાની શોધ કરનાર અને તે માટે 1930માં ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય ભૌતિકવિજ્ઞાની. રામન બાળપણથી જ અસાધારણ હતા. 11 વર્ષની વયે તેમણે મૅટ્રિકમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.…

વધુ વાંચો >

રામનાથન્, કલપતિ રામકૃષ્ણન્

રામનાથન્, કલપતિ રામકૃષ્ણન્ (જ. 1893, કલપતિ, જિ. પાલઘાટ; અ. 1985, અમદાવાદ) : અમદાવાદની ભૌતિક સંશોધન પ્રયોગશાળા-(PRL)ના પ્રથમ નિયામક, મોસમવિજ્ઞાની (meteorologist) અને ઓઝોનસ્તરના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અભ્યાસી અને સંશોધક. તેમણે શાળાનું શિક્ષણ પાલઘાટની શાળા અને વિક્ટોરિયા કૉલેજમાંથી લીધું. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાં દાખલ થયા અને ત્યાંથી તેમણે ભૌતિકવિજ્ઞાનના વિષય…

વધુ વાંચો >

રામન્ના, રાજા

રામન્ના, રાજા (જ. 28 જાન્યુઆરી 1925, મૈસૂર, કર્ણાટક; અ. 24 સપ્ટેમ્બર 2004, મુંબઈ, મહારાષ્ટ્ર) : પ્રથમ પોકરણ પરમાણુ-પરીક્ષણ જેમની નિગાહબાની હેઠળ કરવામાં આવેલ તે ભારતના પરમાણુવિજ્ઞાની. મજબૂત મનોબળ અને સમર્પણની ભાવનાવાળાં માતા રુક્મિણીજીનું જીવન વૃંદાવન-ઉદ્યાન જેવું ભાતીગળ અને સ્ફૂર્તિપ્રેરક હતું. તેમના પિતૃપક્ષેથી સાહિત્ય અને સંસ્કારોની ગંગોત્રી વહેતી હતી. આથી રાજાના…

વધુ વાંચો >

રાયચૌધરી, અમલકુમાર

રાયચૌધરી, અમલકુમાર (જ. 14 સપ્ટેમ્બર 1923, બોરિસાલ, બાંગ્લાદેશ; અ. 18 જૂન 2005, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : ભારતના સાપેક્ષવાદના પ્રણેતા અને સૈદ્ધાંતિક બ્રહ્માંડવિજ્ઞાનના સંશોધક અને પ્રખર અભ્યાસી. પિતા સુરેશચંદ્ર અને માતા સુરબાલાના સાંસ્કારિક વારસા રૂપે તેઓ સૌમ્ય અને સૌહાર્દપૂર્ણ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં લીધેલું. ત્યારબાદ ઉચ્ચ…

વધુ વાંચો >