પુરાતત્વ

દાની, અહમદ હસન

દાની, અહમદ હસન (જ. જૂન 1920, બસના; અ. 26 જાન્યુઆરી 2009, ઇસ્લામાબાદ) : પાકિસ્તાનના બૌદ્ધિક પુરાતત્વવિદ, ઇતિહાસવિદ અને ભાષાશાસ્ત્રી, મધ્ય એશિયા અને દક્ષિણ એશિયાના પુરાતત્વ અને ઇતિહાસના અભ્યાસ પર તેમનું પ્રભુત્વ હતું. તેમણે પાકિસ્તાન અને બંગ્લાદેશમાં ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે પુરાતત્વનો અભ્યાસ દાખલ કરાવ્યો હતો. વિશેષત: તેઓ ઉત્તર પાકિસ્તાનમાં પૂર્વસિંધુસભ્યતા અને…

વધુ વાંચો >

દીક્ષિત, કાશીનાથ નારાયણ

દીક્ષિત, કાશીનાથ નારાયણ (જ. 21 ઑક્ટોબર 1889, પંઢરપુર, મહારાષ્ટ્ર; અ. 13 ઑગસ્ટ 1946) : ભારતીય પુરાતત્ત્વવિદ. પંઢરપુરમાં પ્રાથમિક અને સાંગલીમાં માધ્યમિક શિક્ષણ લીધા બાદ મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.(સંસ્કૃત)ની પરીક્ષા ગુણવત્તા સહિત પસાર કરી પારિતોષિકો મેળવ્યાં. 1912માં પુરાતત્વ-ખાતામાં જોડાઈને મુંબઈ અને લખનૌનાં સંગ્રહાલયોના ક્યુરેટર તરીકે પ્રશંસનીય સેવા બજાવી. આર્કિયૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયાના…

વધુ વાંચો >

દેવની મોરી

દેવની મોરી : ગુજરાતમાં સૌથી પ્રાચીનતમ બૌદ્ધ અવશેષો. અરવલ્લી જિલ્લામાં શામળાજી પાસે દેવની મોરી નામના સ્થળેથી બૌદ્ધ વિહાર અને સ્તૂપના અવશેષો મળી આવ્યા છે. સ્થાનિક લોકોમાં ભોજ રાજાના ટેકરા તરીકે ઓળખાતા આ સ્થળેથી મોટા કદની ઈંટો અને માટીનાં વાસણોના અવશેષો મળી આવતાં 1960માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાતત્વ-વિભાગ દ્વારા ત્યા…

વધુ વાંચો >

દેશપાંડે, મધુસૂદન નરહર

દેશપાંડે, મધુસૂદન નરહર (જ. 11 નવેમ્બર 1920, રહિમતપુર, જિ. સતારા) : ભારતના પ્રસિદ્ધ પુરાતત્વવિદ. તેમણે 1942માં મુંબઈ વિશ્વવિદ્યાલય અંતર્ગત ફર્ગ્યુસન કૉલેજમાંથી અર્ધમાગધી ભાષા લઈ પ્રથમ વર્ગમાં સ્નાતકની પદવી મેળવી હતી. તેમના સંશોધન તરફના ખેંચાણને કારણે પુરાતત્વના પિતામહ અને ડેક્કન કૉલેજ, પુણેના સર્વેસર્વા એવા ડૉ. એચ. ડી. સાંકળિયા પાસે જૈન સાહિત્ય…

વધુ વાંચો >

દેસલપર

દેસલપર : કચ્છમાં ધરુડ નદીની ઉપનદી જેને તળપદમાં બામુ-છેલા કહે છે તે વોંકળાના ઉત્તર કાંઠે આવેલું સ્થળ. કચ્છમાં નખત્રાણા તાલુકામાં દેસલપરમાંના પુરાવશેષોમાં પરિપક્વ હડપ્પીય સંસ્કૃતિ જોવા મળે છે. એનો વિસ્તાર 130 × 100 મી. છે. ત્રણ મીટર ઊંડાઈના ભૂ-ભાગમાં બે સાંસ્કૃતિક કાલખંડો દટાયેલા છે : (1) આરૂઢ હડપ્પીય સંસ્કૃતિ બતાવતો તબક્કો…

વધુ વાંચો >

દૈમાબાદ

દૈમાબાદ : મહારાષ્ટ્રમાં પ્રવરા નદીના કાંઠે આવેલ તામ્રપાષાણયુગના અવશેષો ધરાવતું સ્થળ. તે અહમદનગરથી ઉત્તરે આશરે 60 કિમી. અને શ્રીરામપુરથી દક્ષિણે 15 કિમી. દૂર છે. ત્યાંનો તામ્રપાષાણયુગના અવશેષો ધરાવતો ટેકરો 6 મી. ઊંચો છે. તેના જુદા જુદા સમયના ત્રણ સ્તરોમાંથી વિવિધ અવશેષો મળ્યા છે. પહેલા કાલખંડના લોકો કર્ણાટકના બ્રહ્મગિરિના અવશેષોને મળતાં…

વધુ વાંચો >

ધાતુવિદ્યા

ધાતુવિદ્યા : કાચી ધાતુની ઓળખ, તેમાંથી મૂળ ધાતુને ગાળવી, ઓગાળવી અને પછી તેમાંથી ચોક્કસ પદ્ધતિઓ દ્વારા વિવિધ ચીજો, ઓજારો અને હથિયારો બનાવવાનો કસબ. ભારતમાં ધાતુવિદ્યા અને તેના ઉપયોગ પર આધારિત માનવજીવનના મુખ્ય ચાર તબક્કાઓ પડે છે. તેમાં પાષાણયુગ, તામ્રપાષાણયુગ, તામ્રકાંસ્ય-યુગ અને લોહયુગ કે લોહના ઉપયોગ સાથે સંકળાયેલ સંસ્કૃતિનો સમાવેશ થાય…

વધુ વાંચો >

ધોળાવીરા

ધોળાવીરા (કોટડો) : ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિનું એક સમૃદ્ધ કેન્દ્ર. કચ્છના મોટા રણમાં આવેલા ખડીર બેટની ઉત્તર-પશ્ચિમે આવેલા ઉજ્જડ થઈ ગયેલા આદ્ય-ઐતિહાસિક કાળના શહેરના અવશેષો અહીં આવેલા છે. કિલ્લાનો 16.5 મી. ઊંચો ભાગ 10 કિમી. દૂરથી દેખાય છે. કિલ્લાને સ્થાનિક લોકો કોટડો–મહાદુર્ગ કહે છે. ધોળાવીરા ગામની નજીક હોવાથી તે ધોળાવીરા તરીકે…

વધુ વાંચો >

નવપાષાણ યુગ

નવપાષાણ યુગ : પ્રાગૈતિહાસિક કાળના અશ્મયુગનો એક પેટાવિભાગ. માનવઇતિહાસના વર્ગીકરણમાં ભાષા અને સાહિત્યની પરંપરા મળે છે ત્યારથી ઐતિહાસિક યુગ નામ આપવામાં આવે છે, તેની પહેલાંના કાળને આદ્યૈતિહાસિક અને તેની પહેલાંના યુગને પ્રાગૈતિહાસિક યુગ નામ આપવામાં આવે છે. આ પરંપરા બે સદીથી દૃઢ થઈ છે. તેમાં પ્રાગૈતિહાસિક યુગનું પાષાણ કે અશ્મ…

વધુ વાંચો >

નાગાર્જુનકોંડા

નાગાર્જુનકોંડા : આંધ્રપ્રદેશમાં આવેલ નૂતન પાષાણયુગની વસાહત. આંધ્રપ્રદેશના ગંતૂર જિલ્લાના પલ્નડ તાલુકાના કૃષ્ણા નદીના દક્ષિણ કિનારા પર ‘નાગાર્જુનકોંડા’ એટલે કે નાગાર્જુનની ટેકરી આવેલ છે. આ પ્રાચીન વસાહતની ભાળ સને 1926માં મળી. ઇજિપ્તમાં આવેલ નાઈલ નદી પર આસ્વાન બંધ બાંધવાની યોજનાથી અબુ સિંબેલનાં સ્મારકો પર જે ભય ઊભો થયો હતો તેવો…

વધુ વાંચો >