પુરાતત્વ

ભાડભૂત

ભાડભૂત : ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકામાં નર્મદા નદીના ઉત્તર કિનારે આવેલું હિંદુઓનું પ્રાચીન પૌરાણિક તીર્થસ્થાન. ભરૂચથી તે 20 કિમી. દૂર છે. ભાડભૂત ભરૂચ-દહેજ રાજ્યમાર્ગ ઉપર આવેલું છે. નજીકનું રેલવે-સ્ટેશન ભરૂચ છે. અહીં ગ્રામપંચાયત-સંચાલિત દવાખાનું, બૅંક, પ્રાથમિક શાળા, સાર્વજનિક પુસ્તકાલય તથા સેવા સહકારી મંડળી આવેલાં છે. નર્મદાની પરિક્રમા કરનારની સગવડ ખાતર…

વધુ વાંચો >

ભારહૂત

ભારહૂત : પુરાતત્વીય ઉત્ખનન દ્વારા મળેલો પ્રસિદ્ધ સ્તૂપ. તેના અવશેષો મધ્ય ભારતમાંથી મળી આવ્યા છે. આ સ્તૂપનો સમય આશરે ઈ. પૂ. 125નો માનવામાં આવે છે. સ્તૂપનો હર્મિકાનો કેટલોક ભાગ તેમજ તેના પૂર્વનું તોરણદ્વાર મળી આવ્યાં છે. આ તોરણદ્વાર સ્તૂપ પછી આશરે પચાસેક વર્ષ બાદ તૈયાર કરવામાં આવેલું છે. આ હર્મિકા…

વધુ વાંચો >

ભાવનગર પ્રાચીન શોધસંગ્રહ (1887)

ભાવનગર પ્રાચીન શોધસંગ્રહ (1887) : ભૂતપૂર્વ ભાવનગર રાજ્યના પ્રાચીન શોધખાતા તરફથી પ્રગટ થયેલો, મહત્વની ઐતિહાસિક સામગ્રીરૂપ શિલાલેખોની નકલો, માહિતી વગેરે આપતો સંદર્ભગ્રંથ. મહારાજા તખ્તસિંહજી ગોહિલે ગોહિલોનો પ્રમાણભૂત ઇતિહાસ તૈયાર કરાવવા માટે પ્રાચીન શોધખાતાની સ્થાપના કરી હતી. આ ખાતા દ્વારા પૂર્વમાં ઘોઘાથી પશ્ચિમે દ્વારકા સુધી અને દક્ષિણમાં દીવથી લઈને ઉત્તરમાં છેક…

વધુ વાંચો >

ભાંડારકર, દેવદત્ત રામકૃષ્ણ

ભાંડારકર, દેવદત્ત રામકૃષ્ણ (જ. 19 નવેમ્બર 1875; અ. 30 મે 1950) : સુપ્રસિદ્ધ ભારતીય વિદ્યાવિદ અને પુરાવસ્તુશાસ્ત્રી. પિતા રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર પ્રસિદ્ધ વિદ્વાન હતા. દેવદત્ત પુણેની ડેક્કન કૉલેજમાંથી 1896માં બી.એ. થયા અને કાયદો ભણવા માંડ્યા. એવામાં ભગવાનલાલ ઇંદ્રજી સુવર્ણચંદ્રક અને એ નામના પ્રાઇઝ માટેની સંશોધન-નિબંધસ્પર્ધા યોજાતાં તેમાં ભાગ લઈ ‘એ…

વધુ વાંચો >

ભૌમકર સંવત

ભૌમકર સંવત : જુઓ સંવત

વધુ વાંચો >

મગીસન

મગીસન : જુઓ સંવત

વધુ વાંચો >

મલ્લ સન

મલ્લ સન : જુઓ સંવત

વધુ વાંચો >

મવલૂદી સન

મવલૂદી સન : જુઓ સંવત.

વધુ વાંચો >

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પુરાતત્વવિષયક મ્યુઝિયમ, વડોદરા

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પુરાતત્વવિષયક મ્યુઝિયમ, વડોદરા : ગુજરાતનું પુરાતત્વવિષયક એક મહત્વનું મ્યુઝિયમ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગ તરફથી અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે સ્થળ-તપાસ અને ઉત્ખનનની તાલીમ અર્થે દર વર્ષે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનનાં પુરાતાત્ત્વિક મહત્વ ધરાવતાં સ્થાનોએ સંશોધન-ઉત્ખનન હાથ ધરવામાં આવતાં અને તે નિમિત્તે જે સામગ્રી પ્રાપ્ત થતી તેનો સંગ્રહ…

વધુ વાંચો >

મહેતા, રમણલાલ નાગરજી

મહેતા, રમણલાલ નાગરજી (જ. 15 ડિસેમ્બર 1922, કતારગામ, જિ. સૂરત; અ. 22 જાન્યુઆરી 1997, વડોદરા) : પ્રસિદ્ધ પુરાવસ્તુવિદ તથા અન્વેષક. રમણલાલનો જન્મ મધ્યમવર્ગના અનાવિલ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નવસારી, મરોલી અને વડોદરામાં તથા ઉચ્ચ શિક્ષણ વડોદરામાં લીધું હતું. તેમણે સ્નાતક અને અનુસ્નાતક શિક્ષણ વડોદરામાં તથા…

વધુ વાંચો >