જિગીશ દેરાસરી

લાલા શ્રીરામ

લાલા શ્રીરામ (જ. એપ્રિલ 1884; અ. જાન્યુઆરી 1963) : અગ્રણી ઉદ્યોગસાહસિક અને કુશળ વહીવટકર્તા. તેમના કાકા ગિરધરલાલની વિધવાને શૈશવકાળથી જ દત્તક આપવામાં આવ્યા હતા. પરિણામે પિતા મદનમોહનને શ્રીરામના ઉછેરમાં રસ ઓછો થઈ ગયો હતો. મૅટ્રિકની પરીક્ષા સામાન્ય ગુણવત્તા સાથે પસાર કરી 16 વર્ષની વયે એક કાપડિયાને ત્યાં કામે જોડાયા હતા.…

વધુ વાંચો >

વિકાસ બૅંકો

વિકાસ બૅંકો : આર્થિક વિકાસ માટે સહાયરૂપ બનતી બૅંકો. વિકાસ બૅંક અવિકસિત મૂડીબજાર તેમજ વ્યાપારી બૅંકોનું લાંબાગાળાનું ધિરાણ પૂરું પાડવાના આશયથી અસ્તિત્વમાં આવેલી સંસ્થા છે. તેનું કાર્ય મુખ્યત્વે નાણાકીય અછતને અનુરૂપ સહાય પૂરી પાડવાનું છે. આ ઉપરાંત તે તકનીકી સહાય તેમજ વિકાસ માટે તજ્જ્ઞો દ્વારા સલાહની પણ વ્યવસ્થા ગોઠવી આપે…

વધુ વાંચો >

વૉરંટી

વૉરંટી : વસ્તુની યોગ્યતાની ગ્રાહકને ખાતરી આપતો કરાર. તે અનુસાર જો ખાતરીનો ભંગ થાય તો ખરીદનાર સમારકામ કે નુકસાન માટે વળતર માગી શકે છે, પરંતુ બાંયધરી(guarantee)ની માફક કરાર રદ કરી માલનો અસ્વીકાર કરી શકતો નથી. કરારના મુખ્ય ઉદ્દેશ માટેના જરૂરી ઉલ્લેખને બાંયધરી (guarentee) કહેવામાં આવે છે, જ્યારે ઉદ્દેશના આનુષંગિક ઉલ્લેખને…

વધુ વાંચો >

વ્યાપારવાદ

વ્યાપારવાદ : મધ્યયુગમાં મહત્તમ નિર્યાત અને ન્યૂનતમ આયાત દ્વારા સોના જેવી બહુમૂલ્ય ધાતુઓનો સંગ્રહ કરી રાષ્ટ્રને સમૃદ્ધિ બક્ષવા યુરોપના દેશોએ અપનાવેલી વિચારસરણી. સોળથી ઓગણીસમી (1501થી 1900) સદીઓના સમયમાં સામંતશાહી યુગમાં રાજા, સામંતો, મહાજનો, ખેતમજૂરો તથા પ્રજા સ્થાનિક આત્મનિર્ભરતાથી જીવન ગુજારતાં હતાં. સ્થાનિક કૃષિ ઉત્પાદનો – કપાસ અને તમાકુ જેવા રોકડિયા…

વધુ વાંચો >

વ્યાપારિક નૈતિકતા (વ્યાપારમાં નૈતિકતા)

વ્યાપારિક નૈતિકતા (વ્યાપારમાં નૈતિકતા) : વાણિજ્યવ્યવહારમાં પાળવામાં આવતી નૈતિક ધોરણોની મૂલ્યવત્તા. ગ્રીક ભાષામાંનો ‘ethics’ શબ્દ નૈતિકતાનો અર્થ આપે છે. તે ઉપરાંત ચારિત્ર્ય, ધોરણો, સદાચાર, આદર્શ વગેરેને અનુલક્ષતી અન્ય અર્થચ્છાયાઓ પણ એમાંથી મળે છે. તેને કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં સમજદારીપૂર્વક સ્વીકારવામાં આવેલ વ્યક્તિઓની વર્તણૂકનાં અપેક્ષિત નીતિધોરણો કહી શકાય. તેને સમાજે માણસની…

વધુ વાંચો >

વ્યાસ, જયનારાયણ

વ્યાસ, જયનારાયણ (જ. 14 એપ્રિલ 1947, વીરમગામ) : જનસેવામાં પ્રવૃત્ત તજ્જ્ઞ અને કુશળ વહીવટકર્તા. તેમના પિતા નર્મદાશંકર રેલવેમાં સેવા આપતા હતા. જ્યારે શિસ્તનાં આગ્રહી માતા પદ્માવતી ગૃહકાર્ય સંભાળતાં હતાં. પ્રાથમિક તથા એસ.એસ.સી. સુધીનું શિક્ષણ રાજપુર અને સિદ્ધપુરમાં પૂરું કર્યું. 1969માં એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાંથી બી.ઈ.(સિવિલ)ની પદવી મેળવી. 1971માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ…

વધુ વાંચો >

શાહ, મનુભાઈ મનસુખલાલ

શાહ, મનુભાઈ મનસુખલાલ (જ. 1 નવેમ્બર 1915, સુરેન્દ્રનગર; અ. 28 ડિસેમ્બર 2000, ન્યૂ દિલ્હી) : ગુજરાતના સ્વાતંત્ર્યસેનાની, દેશના ઉદ્યોગ-વિકાસના પ્રણેતા અને દૂરંદેશી રાજપુરુષ. પિતા મનસુખલાલ. માતા ઇચ્છાબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણ કૅમ્પ ઇંગ્લિશ નિશાળમાં લીધું હતું. કાયમ અવ્વલ નંબર રાખતા. મુંબઈ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑવ્ કેમિકલ ટૅક્નૉલૉજી(UDTC)માંથી ભૌતિકશાસ્ત્ર અને રસાયણ-શાસ્ત્રના…

વધુ વાંચો >

સલામતી અને સલામતી ઉદ્યોગ

સલામતી અને સલામતી ઉદ્યોગ : માનવીને ઈજા પહોંચાડતા અકસ્માતોને નિવારવા માટેનાં સાધનો કે ઉપકરણોનું આયોજન. તેનું કાર્યક્ષેત્ર કારખાનાં, દફતરો, દુકાનો, બાંધકામો, જાહેર સ્થળો, ખનન, ખેતી, પરિવહન, રસ્તા, ગૃહ વગેરે સ્થળોએ માનવીને આરક્ષણ પૂરું પાડવાનું છે. આદિકાળથી માનવી પર્યાવરણ, પશુઓ વગેરેથી પોતાની જાતનું રક્ષણ કરવા માટે પ્રયત્નશીલ રહ્યો છે. સંસ્કૃતિના વિકાસ…

વધુ વાંચો >

સંકલન

સંકલન : સંસ્થાનાં લક્ષ્યો અને વિવિધ વિભાગોનાં કાર્યો વચ્ચેની સંગઠન-વ્યવસ્થા. ઔદ્યોગિક સંગઠનો લક્ષ્ય સાધવા માટે કાર્યોનું વિવિધ વિભાગોમાં (દા.ત., ઉત્પાદનલક્ષી, નાણાકીય, માર્કેટિંગલક્ષી, માનવીય સંપત્તિલક્ષી, વહીવટી વગેરે) વિભાજન પસંદ કરે છે. દરેક વિભાગ પોતાની અલગ કાર્યપદ્ધતિ અપનાવે છે; પરંતુ સંગઠનનો હેતુ સાધવા માટે પરસ્પર સંકલનનો પણ અવકાશ રાખે છે. સંકલન-વ્યવસ્થાનું આયોજન…

વધુ વાંચો >

સંયુક્ત ક્ષેત્ર

સંયુક્ત ક્ષેત્ર : જાહેર ક્ષેત્રની સંસ્થાએ આર્થિક હેતુઓ માટે ખાનગી ક્ષેત્ર સાથે શૅરમૂડીની ભાગીદારીમાં સ્થાપેલ અલગ કંપની અથવા સહકારી મંડળી. કેન્દ્ર, રાજ્ય અથવા તો સ્થાનિક સરકારી સંસ્થા 100 ટકા શૅરમૂડીરોકાણ કરીને જે અલગ કંપનીની સ્થાપના કરે છે તેને જાહેર ક્ષેત્રની કંપની તરીકે ઓળખવામાં આવે છે. તેનો વહીવટ તેને સ્થાપનાર સંસ્થાના…

વધુ વાંચો >