ચન્દ્રકાન્ત શેઠ

મણિપુરી ભાષા અને સાહિત્ય

મણિપુરી ભાષા અને સાહિત્ય : સિનોટિબેટન ભાષાકુળની બે મહત્વની શાખાઓ, તેમાંની એક તે ટિબેટો-બર્મન જૂથ, તેની સાથે મણિપુરી સંકળાયેલી છે. બ્રાયન હૉટન હૉજ્સને આ ભાષાનો પ્રથમ અભ્યાસ કર્યો. તે પછી જ્યૉર્જ ગ્રિયર્સને મણિપુરીનાં મૂળ અને તેની વિલક્ષણતાઓ વિશે અભ્યાસ કર્યો. મણિપુરીને કાચીનમાં બોલાતી ભાષા સાથે સૌથી ગાઢ નાતો હોવાનું તેણે…

વધુ વાંચો >

મનોવિશ્લેષણ (સાહિત્ય)

મનોવિશ્લેષણ (સાહિત્ય) : સાહિત્ય જેવી વાક્કળાનો માનવચિત્ત સાથેનો સંબંધ ઘણો ગાઢ-ગૂઢ ને તેથી સંકુલ છે. સાહિત્યના સર્જન-ભાવનનો કારયિત્રી-ભાવયિત્રી પ્રતિભા સાથે, વ્યષ્ટિ તેમજ સમષ્ટિ-ચેતના સાથે, માનવસંવિતનાં આંતરબાહ્ય સ્ફુરણો-સંચલનો સાથેનો સંબંધ ઘણો ગહન, વ્યાપક અને સૂક્ષ્મ છે. જેમ જીવનનો તેમ સાહિત્યના અંતસ્તત્વનો પૂરો તાગ મેળવવો અશક્ય છે. તેથી સાહિત્યના સર્જન-ભાવનના સંદર્ભમાં રહસ્યતત્વનો,…

વધુ વાંચો >

મલયાળમ ભાષા અને સાહિત્ય

મલયાળમ ભાષા અને સાહિત્ય ભારતના કેરળ પ્રદેશમાં બોલાતી ભાષા અને તેનું સાહિત્ય. ભારતના પશ્ચિમ તટનો ઉત્તર ભાગ જો ગુજરાતનો છે તો તે તટનો દક્ષિણ ભાગ કેરળનો. ગુજરાતે ગુર્જરો, પારસીઓ વગેરેને તેમ કેરળે ઈસાઇઓ-યહૂદીઓ વગેરેને આશ્રય આપેલો. આ કેરળ પુરાણ-પ્રસિદ્ધ છે. કાલયવનથી ભાગેલા ભૃગુઓને પરશુરામે કેરળમાં વસાવેલા અને તેઓ પૂર્વજો લેખાય…

વધુ વાંચો >

મૂલ્ય (સાહિત્યમાં)

મૂલ્ય (સાહિત્યમાં) : વસ્તુ, વ્યક્તિ કે સમષ્ટિની હસ્તીમાં, એના વિકાસ-વિસ્તાર-પરિવર્તનના મૂળમાં રહીને ધારક અને પ્રભાવક બળ રૂપે કામ કરતું અંતસ્તત્વ. તે સત્-તત્વ પર નિર્ભર, સત્વશીલતાનું દ્યોતક એવું પરિબળ છે. આ સૃષ્ટિના સર્વ પદાર્થો આંતર-બાહ્ય, નિમ્ન-ઊર્ધ્વ, સ્થૂળ-સૂક્ષ્મ એવા વિવિધ સ્તરો-સંબંધોથી કોઈ ને કોઈ રીતે સંલગ્ન હોય છે. જ્યારે જ્યારે કોઈ પદાર્થ…

વધુ વાંચો >

મૈથિલી ભાષા અને સાહિત્ય

મૈથિલી ભાષા અને સાહિત્ય : મૈથિલીએ એની પ્રાચીનતા તેમજ સમૃદ્ધ સાહિત્યિક પરંપરાને કારણે છેલ્લી બે સદીઓથી વિદ્વાનોનું ધ્યાન ખેંચ્યું છે. મૈથિલીને ‘અવહઠ્ઠ’, ‘મિથિલા અપભ્રંશ’ જેવી વિવિધ સંજ્ઞાઓથી ઓળખવામાં આવે છે. જ્યૉર્જ ગ્રિયર્સને ‘મૈથિલી’ નામ પ્રચારમાં આણ્યું. મૈથિલી ભારતીય-આર્ય ભાષાજૂથની છે અને તે લગભગ 1000 વર્ષથી પ્રવર્તે છે. જેમ મગહી, બંગાળી,…

વધુ વાંચો >

મોરારિબાપુ

મોરારિબાપુ (જ. 25 સપ્ટેમ્બર 1946, તલગાજરડા, તા. મહુવા, જિ. ભાવનગર) : રામકથાના સુપ્રસિદ્ધ કથાકાર ને પ્રચારક. પિતા પ્રભુદાસ હરિયાણી, માતા સાવિત્રીબહેન. નિમ્બાર્કાચાર્યની વૈષ્ણવ પરંપરાના એ અનુયાયી. દાદા-દાદીની નિશ્રામાં એમનો ઉછેર અને ઘડતર. દાદીમા દ્વારા પૌરાણિક કથાઓ તેમજ લોકવાર્તાઓનું શ્રવણપાન. દાદા અને ગુરુ ત્રિભોવનદાસ પાસે તુલસી-રામાયણનું અધ્યયન. મોરારિબાપુનું આ અધ્યયન જ્યાં…

વધુ વાંચો >

મ્હારાં સૉનેટ

મ્હારાં સૉનેટ (1935, સંવર્ધિત-વિશોધિત બીજી આવૃત્તિ, 1953) : ગુજરાતના મૂર્ધન્ય કવિ બલવંતરાય ક. ઠાકોર-રચિત સૉનેટોનો સંચય. તેની પહેલી આવૃત્તિ 1935માં કવિ દ્વારા અને તેની બીજી આવૃત્તિ તેમના અવસાન બાદ કવિ ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત થઈને પ્રકાશિત થઈ હતી. એ પછી તો ઉમાશંકર જોશી-સંપાદિત આવૃત્તિનાં એકાધિક પુનર્મુદ્રણો થયાં છે. આ ઉમાશંકર-સંપાદિત…

વધુ વાંચો >

રંગદર્શિતાવાદ અને રૂપદર્શિતાવાદ

રંગદર્શિતાવાદ અને રૂપદર્શિતાવાદ : કલા-સાહિત્યમાં પ્રચલિત બે સિદ્ધાંતો કે વાદો. રંગદર્શિતા ‘રોમૅન્ટિસિઝમ’નો તો રૂપદર્શિતા ‘ક્લાસિસિઝમ’નો પર્યાય છે. ‘રોમૅન્ટિસિઝમ’ તથા ‘ક્લાસિસિઝમ’ સંજ્ઞાઓ સામસામે તોળાતી સંજ્ઞાઓ છે અને ગુજરાતીમાં તેમના અનેક પર્યાયો છે : કવિ કાન્ત ‘રોમૅન્ટિક’ માટે ‘મસ્ત’ અને ‘ક્લાસિકલ’ માટે ‘સ્વસ્થ’ પર્યાય આપે છે. ખબરદાર અને વિજયરાય વૈદ્ય એ રીતે…

વધુ વાંચો >

રૂપકગ્રંથિ

રૂપકગ્રંથિ : રૂપક અલંકારનાં ઘટકતત્વો પર નિર્ભર એક સાહિત્યનિરૂપણરીતિ અને સાહિત્યસ્વરૂપ. ગુજરાતીમાં ‘રૂપકગ્રંથિ’ શબ્દ અંગ્રેજી શબ્દ allegory – ના પર્યાય તરીકે પહેલવહેલો પ્રયોજનાર નવલરામ હતા. એ પછી નરસિંહરાવ આદિ અન્ય વિદ્વાનોએ તેનું સમર્થન કર્યું. ‘રૂપકગ્રંથિ’માં પ્રયુક્ત ‘રૂપક’ની એક અલંકાર તરીકે સઘન વિચારણા સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં થઈ છે; પરંતુ ‘રૂપકગ્રંથિ’ની વિચારણામાં પાશ્ચાત્ય…

વધુ વાંચો >

રેખાચિત્ર

રેખાચિત્ર : સામાન્ય રીતે ચરિત્રચિત્રણ સાથે સંકળાયેલો એક સાહિત્યપ્રકાર. એક મહત્વના ગદ્યપ્રકાર તરીકે તેની પ્રતિષ્ઠા છે. આમ છતાં પદ્યમાં તે ન જ હોઈ શકે એવું નથી. કવિ ન્હાનાલાલનાં ‘ચિત્રદર્શનો’માં કેટલેક ઠેકાણે રેખાચિત્રના સત્વ-તત્વના અંશો જોવા મુશ્કેલ નથી. વળી તે આમ તો જ્ઞાનલક્ષી સાહિત્ય(Literature of knowledge)ના સીમાપ્રાન્તનો સાહિત્યપ્રકાર મનાય છે, પણ…

વધુ વાંચો >