અભિજિત વ્યાસ

ફિલ્મઉદ્યોગ (ભારત)

ફિલ્મઉદ્યોગ (ભારત) : ભારતમાં વિકસેલો ફિલ્મનો ઉદ્યોગ. પૅરિસમાં લુમિયર બંધુઓએ સૌપ્રથમ વાર ચલચિત્ર રજૂ કર્યું. તે પછી સાત મહિને 1896ના ડિસેમ્બરમાં મુંબઈની વૉટસન હોટલમાં ભારતમાં સૌપ્રથમ ચલચિત્ર દર્શાવાયું. એ દૃષ્ટિએ ભારતમાં 1996માં સિનેમાના આગમનને સો વર્ષ પૂરાં થયાં. જોકે ભારતીય ફિલ્મઉદ્યોગનો પાયો નાખનાર દાદાસાહેબ ફાળકેએ તેમનું પ્રથમ ચલચિત્ર ‘રાજા હરિશ્ચંદ્ર’…

વધુ વાંચો >

ફિલ્મનિર્માણ

ફિલ્મનિર્માણ : છબીઘરના પડદા પર પ્રદર્શિત કરાતા ચલચિત્રનું નિર્માણ. ચલચિત્ર અથવા ફિલ્મને નિર્માણના અનેક તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. ફિલ્મનિર્માણની પ્રક્રિયામાં જુદા જુદા તબક્કે જુદા જુદા કસબીઓ સંકળાયેલા હોય છે. આ બધામાં બે જણ સૌથી મહત્ત્વના હોય છે. એક તો નિર્માતા, જે ફિલ્મ બનાવવાનો ઇરાદો ધરાવે છે, અને તે માટે…

વધુ વાંચો >

ફિલ્મપ્રભાગ (ફિલ્મ્સ ડિવિઝન)

ફિલ્મપ્રભાગ (ફિલ્મ્સ ડિવિઝન) : દસ્તાવેજી ચિત્રોનું નિર્માણ કરતી દુનિયાભરની અગ્રણી સંસ્થાઓમાંની એક. ભારતની ભાતીગળ સંસ્કૃતિ, રીતરિવાજ, જાતિ-ધર્મ, રહેણીકરણી, પરંપરાઓ વગેરે અંગે દેશના અને વિદેશના લોકોને માહિતી મળી રહે, દેશના લોકો એકબીજાની નિકટ આવે, સરકારી કાર્યક્રમોના અમલમાં ભાગ લેવા લોકોને પ્રોત્સાહન મળે, લોકોમાં રાષ્ટ્રભાવનાનું સિંચન થાય તથા દસ્તાવેજી ચિત્રોની ઝુંબેશને વેગ…

વધુ વાંચો >

બ્રુક, પિટર

બ્રુક, પિટર (જ. 21 માર્ચ 1925, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 2 જુલાઈ 2022) : રંગભૂમિ અને રૂપેરી પડદાના ખ્યાતનામ દિગ્દર્શક. પિટર બ્રુકનાં માતા-પિતા લીથુઆનિયન જ્યુઈશ હતાં. પિટરનો જન્મ 21 માર્ચ, 1925ના રોજ લંડન (યુનાઇટેડ કિંગ્ડમ)માં થયો હતો. એમનું આખું નામ પિટર સ્ટિફન પૌલ બ્રુક. 1945ની સાલથી એમણે નાટકો કરવાં શરૂ કરેલાં.…

વધુ વાંચો >

ભટ્ટ આલિયા

ભટ્ટ આલિયા (જ. 15 માર્ચ 1993, લંડન –) : ફિલ્મજગતનાં જાણીતાં અભિનેત્રી. આલિયા ભટ્ટ એ ગુજરાતી  મૂળના જાણીતા ફિલ્મદિગ્દર્શક મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રાઝદાનની બીજા નંબરની પુત્રી છે. એના પિતા મહેશ ભટ્ટ એક દિગ્દર્શક તરીકે પ્રસિદ્ધ છે, જ્યારે માતા સોની રાઝદાન કાશ્મીરી પંડિત અને જર્મન વડવાની પુત્રી છે. લંડનમાં…

વધુ વાંચો >

ભવનાણી રણવીરસિંહ

ભવનાણી રણવીરસિંહ (જ. 6 જુલાઈ 1985, મુંબઈ) : ફિલ્મ અભિનેતા. એક સિંધી હિંદુ કુટુંબમાં રણવીર સિંહના દાદા ભારત પાકિસ્તાનના ભાગલા સમયે કરાંચીથી નિર્વાસિત તરીકે આવેલા. અભિનેત્રી સોનમ કપૂર રણવીર સિંહના માતૃ પક્ષે પિતરાઈ થાય. રણવીરસિંહનો અભ્યાસ મુંબઈની એચ. આર. કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સમાં થયો. ત્યાર બાદ અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >

મનોજકુમાર

મનોજકુમાર (જ. 24 જુલાઈ 1937, એબોટાબાદ, (હાલ પાકિસ્તાન);  અ. 4 એપ્રિલ 2025) : હિન્દી ફિલ્મજગતના દિગ્દર્શક, પટકથાલેખક, ગીતકાર, સંપાદક અને પ્રસિદ્ધ અભિનેતા. મનોજકુમારનું મૂળ નામ હરિકૃષ્ણગીરી ગોસ્વામી હતું. એમનો જન્મ એક પંજાબી હિન્દુ (સારસ્વત બ્રાહ્મણ) પરિવારમાં થયો હતો. જ્યારે તેઓ 10 વર્ષના હતા, ત્યારે ભાગલાને કારણે તેમનો પરિવાર તેમના પૈતૃક…

વધુ વાંચો >

મુખરજી રાની

મુખરજી રાની  (જ. 21 માર્ચ 1978, મુંબઈ) : જાણીતી અભિનેત્રી. તેમના પિતા, રામ મુખરજી, ભૂતપૂર્વ ફિલ્મદિગ્દર્શક અને ફિલ્માલય સ્ટુડિયોના સ્થાપકોમાંના એક હતા. તેમનાં માતા કૃષ્ણા મુખરજી ભૂતપૂર્વ પાર્શ્વગાયિકા છે. તેમના મોટા ભાઈ, રાજા મુખરજી, એક ફિલ્મનિર્માતા અને દિગ્દર્શક છે. તેમનાં માસી દેબશ્રી રૉય એક બંગાળી અભિનેત્રી છે અને તેમના પિતૃપક્ષી…

વધુ વાંચો >

મોહમદ આમીર હુસેનખાન

મોહમદ આમીર હુસેનખાન (જ. 14 માર્ચ 1965, મુંબઈ) : ફિલ્મનિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા. પ્રસિદ્ધ અભિનેતા આમીરખાનનું મૂળ નામ મોહમદ આમીર હુસેનખાન છે. તેનો જન્મ જાણીતા ફિલ્મનિર્માતા તાહીર હુસેનને ત્યાં થયો. માતા ઝીન્નત હુસેન, ફિલ્મનિર્માતા નાઝીર હુસેનના ભાઈની પુત્રી છે. બંને પક્ષે કુટુંબના સભ્યો ફિલ્મજગત સાથે સંકળાયેલા છે. આમીરખાનનાં દાદી મૌલાના…

વધુ વાંચો >

રજનીકાન્ત

રજનીકાન્ત (જ. 12 ડિસેમ્બર 1950, બૅંગાલુરુ) : એક ફિલ્મ અભિનેતા. તે દક્ષિણના બધા પ્રાંતમાં એક અભિનેતા તરીકે પ્રસિદ્ધ છે. ‘રજનીકાન્ત’ તરીકે જે અભિનેતાને આપણે ઓળખીએ છીએ તેનું નામ રાજિનીકાન્ત (Rajinikant) છે. પણ મોટાભાગના દર્શકો એનો ખોટો ઉચ્ચાર રજનીકાન્ત તરીકે કરે છે. અને રાજિનીકાન્ત પણ એનું ફિલ્મ અભિનેતા તરીકેનું નામ છે.…

વધુ વાંચો >