બાળકૃષ્ણ માધવરાવ મૂળે

રજનીશ, આચાર્ય

રજનીશ, આચાર્ય (જ. 11 ડિસેમ્બર 1931, કુચવાડા, મધ્યપ્રદેશ; અ. 19 જાન્યુઆરી 1990, પુણે) : ક્રાંતિકારી દાર્શનિક અને વિવાદાસ્પદ વિચારક. મૂળ નામ ચંદ્રમોહન જૈન. પિતા મધ્યપ્રદેશના ગાડરવારા ગામમાં કાપડનો વેપાર કરતા હતા. બાલ્યાવસ્થાની શરૂઆતનાં સાત વર્ષો તેઓ મોસાળમાં ઊછર્યા, પરંતુ 1938માં તેમના નાનાના અવસાન બાદ તેઓ તેમનાં નાની સાથે પોતાનાં માતા-પિતા…

વધુ વાંચો >

રણ (desert)

રણ (desert) તદ્દન ઓછો વરસાદ મેળવતા ગરમ, સૂકા અને ઉજ્જડ ભૂમિવિસ્તારો. આવા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ અલ્પ રહેતું હોવા છતાં તે તદ્દન વેરાન કે ખરાબાના પ્રદેશો હોતા નથી. તેમાં ભૂમિસ્વરૂપોની વિવિધતા પણ જોવા મળે છે. દુનિયાનાં મોટાભાગનાં રણોમાં ઓછામાં ઓછી એક કાયમી નદી પણ હોય છે, તેમ છતાં ભેજવાળા પ્રદેશોની જેમ…

વધુ વાંચો >

રવિશંકર, પંડિત

રવિશંકર, પંડિત (જ. 7 એપ્રિલ 1920, વારાણસી) : વિશ્વવિખ્યાત સિતારવાદક. ચાર ભાઈઓમાં વિખ્યાત નર્તક ઉદયશંકર (1900-77) સૌથી મોટા અને રવિશંકર સૌથી નાના. મૂળ નામ રવીન્દ્રશંકર. પિતા શ્યામાશંકરે ઇંગ્લૅન્ડથી ‘બાર-ઍટ-લૉ’ અને જિનીવા વિશ્વવિદ્યાલયની રાજ્યશાસ્ત્રની પદવીઓ પ્રાપ્ત કરી હતી. તેઓ સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા. તેમણે ઝાલાવાડ રિયાસતના દીવાનપદે કામ કર્યું હતું અને…

વધુ વાંચો >

રાજકમલ કલામંદિર

રાજકમલ કલામંદિર : ભારતની અગ્રણી બહુભાષિક ચિત્રપટનિર્માણ-સંસ્થા. સ્થાપના : 1 નવેમ્બર 1942. સંસ્થાપક : વી. શાંતારામ. આ ચલચિત્ર-નિર્માણ-સંસ્થાએ તેની ચાર દાયકા ઉપરાંત- (1942–83)ની કારકિર્દી દરમિયાન આશરે પચાસ ચલચિત્રોનું નિર્માણ કર્યું હતું, જેમાંથી 33 ચલચિત્રો હિંદી ભાષામાં (5 લઘુપટ), 10 ચલચિત્રો મરાઠી ભાષામાં, 1 અંગ્રેજી ભાષામાં, 1 તેલુગુ ભાષામાં અને 1…

વધુ વાંચો >

રાજકીય માનવવંશશાસ્ત્ર

રાજકીય માનવવંશશાસ્ત્ર : રાજકીય નિર્ણયોની પ્રક્રિયા પર પ્રભાવ પાડતાં પરિબળો તથા સામુદાયિક સંઘર્ષોના સંભવિત ઉકેલોનો વિચાર કરતું શાસ્ત્ર. આ વિષય પરનો સૌપ્રથમ ગ્રંથ મૉર્ગન દ્વારા ‘ઇરોક્વૉઇ’ (Iroquois, 1851) શીર્ષક હેઠળ પ્રકાશિત થયો હતો. તેમનો બીજો ગ્રંથ 1877માં પ્રકાશિત ‘એનદૃશ્યન્ટ સોસાયટી’ શીર્ષક હેઠળનો છે, જે જાણીતો બન્યો. આ બંને ગ્રંથો દ્વારા…

વધુ વાંચો >

રાજમ્, એન.

રાજમ્, એન. (જ. 10 માર્ચ 1939, એર્નાકુલમ, કેરળ) : ભારતનાં અગ્રણી વાયોલિનવાદક તથા બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના દૃશ્ય-શ્રાવ્ય કલાવિભાગનાં વડાં. પિતાનું નામ એ. નારાયણ ઐયર અને માતાનું નામ અમ્મની અમ્મલ. પિતા પોતે સારા વાયોલિનવાદક હતા. રાજમ્ ચાર વર્ષનાં હતાં ત્યારથી તેમની વાયોલિન વગાડવાની તકનીક અંગેની તાલીમની શરૂઆત થયેલી. શરૂઆતમાં આ તાલીમ…

વધુ વાંચો >

રાજાશાહી

રાજાશાહી : રાજ્યશાસનનો એક પ્રાચીન પ્રકાર. તેમાં રાજા ગણાતી એક જ વ્યક્તિના હાથમાં રાજ્યની સાર્વભૌમ સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. તે મહદ્અંશે વંશપરંપરાગત અને આજીવન હોય છે. સત્તા પર હોય તે રાજા કે રાણીની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર નાગરિક ગુનેગાર ગણાય છે અને તેથી તે સજાને પાત્ર બને છે. રાજા કે…

વધુ વાંચો >

રાજેન્દ્રસિંહજી (જનરલ)

રાજેન્દ્રસિંહજી (જનરલ) (જ. 1899 સરોદર, ગુજરાત; અ. 1 જાન્યુઆરી 1964) : ભારતના લશ્કરના પૂર્વ સરસેનાપતિ. તેઓ લશ્કરના પ્રથમ ભારતીય સરસેનાપતિ જનરલ કે. એમ. કરિઅપ્પા(પાછળથી ફીલ્ડ માર્શલ)ના અનુગામી અને લશ્કરના આ સર્વોચ્ચ પદ પર પહોંચનાર એકમાત્ર ગુજરાતી હતા. મૂળ વતન જામનગર અને જાડેજા રાજવંશના નબીરા હોવાથી તેમની આગળ ‘મહારાજ’નું બિરુદ મૂકવામાં…

વધુ વાંચો >

રાજ્યાભિષેક

રાજ્યાભિષેક : રાજા તરીકે નિમાયેલ વ્યક્તિને રાજધર્મ સાથે સંકળાયેલા તેના અધિકારો જાહેરમાં પ્રદાન કરવા માટેનો વિધિ. સર્વસામાન્ય રીતે આ વિધિ ધાર્મિક સ્વરૂપ ધારણ કરે છે. અભિષેક એટલે પવિત્ર જળનું સિંચન. તેથી રાજ્યાભિષેકની વિધિમાં અન્ય પ્રચલિત ઔપચારિકતાઓ સાથે રાજગાદી ગ્રહણ કરનાર વ્યક્તિના મસ્તક પર પવિત્ર નદીઓના જળનું સિંચન કરવાની અને તે…

વધુ વાંચો >

રાતંજનકર, શ્રીકૃષ્ણ નારાયણ

રાતંજનકર, શ્રીકૃષ્ણ નારાયણ (જ. 31 ડિસેમ્બર 1900, મુંબઈ; અ. 14 ફેબ્રુઆરી 1974, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતક્ષેત્રના શિક્ષણયોગી, સંશોધક, પ્રચારક અને પ્રસારક તથા સંગીત-શિક્ષણસંસ્થાઓના સફળ સંચાલક. અંગત વર્તુળમાં ‘અણ્ણાસાહેબ’ નામથી વધુ પ્રચલિત. પિતા નારાયણરાવ રાતંજનકર સરકારના જાસૂસી વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર આસન્ન હતા, પરંતુ સંગીતકલામાં રુચિ હોવાથી પુત્રને પિતા…

વધુ વાંચો >