બંગાળી સાહિત્ય

બંદ્યોપાધ્યાય, માણિક

બંદ્યોપાધ્યાય, માણિક (જ. 1908, દુમકા, બિહાર; અ. 1956) : બંગાળી નવલકથાકાર અને વાર્તાકાર. તેમના પિતા એક અધિકારી હતા અને તેઓ કલકત્તા યુનિવર્સિટીના ગ્રૅજ્યુએટ હતા. માણિક ઘરનું નામ, પ્રબોધચંદ્ર પૂરું નામ. સ્કૂલમાં હતા ત્યારે જ માતાનું અવસાન થયું. તેથી ઘણી વાર બહેનને ત્યાં પણ રહેવાનું થતું. તે એક તેજસ્વી વિદ્યાર્થી હતા.…

વધુ વાંચો >

બંદ્યોપાધ્યાય, રંગલાલ

બંદ્યોપાધ્યાય, રંગલાલ (જ. 1826; અ. 1886) : બંગાળી કવિ. એમના શિક્ષણનું ક્ષેત્ર વ્યાપક હતું. અંગ્રેજી સાહિત્યનું જ્ઞાન સારું, સંસ્કૃતનું સઘન, પ્રાચીન ભારતીય ઇતિહાસ અને પુરાતત્વમાં સક્રિય રસ, ઊડિયા ભાષાનો અભ્યાસ. પોતાના સાહિત્યિક જીવનની શરૂઆતમાં બંદ્યોપાધ્યાય સમસામયિક બંગાળી સાહિત્યના ભારે મોટા સમર્થક હતા, છતાં પછી બંગાળીમાં યુરોપીય કવિતાના આદર્શને અનુસરવા  એમણે…

વધુ વાંચો >

બંદ્યોપાધ્યાય, વિભૂતિભૂષણ

બંદ્યોપાધ્યાય, વિભૂતિભૂષણ (જ. 1894; અ. 1950) : પ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર અને વાર્તાકાર. વાર્તા વાંચી સંભળાવવાનો વ્યવસાય કરનારા પિતા સાથે બંગાળમાં ખૂબ ભ્રમણ કર્યું, જુદાં જુદાં ગામોની ‘પાઠશાળા’માં પ્રાથમિક શિક્ષણ; માતા ઓછી આવકમાં ઘર ચલાવતી; પૈતૃક ગામ બરાકપુરથી 9 કિલોમીટરના અંતરે આવેલી માધ્યમિક શાળામાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી 1914માં કલકત્તાની રિપન…

વધુ વાંચો >

બંદ્યોપાધ્યાય, હેમચંદ્ર 

બંદ્યોપાધ્યાય, હેમચંદ્ર  (જ. 1838; અ. 1903) : બંગાળી કવિ. વિનયન અને કાયદાના સ્નાતક. તેમનું દીર્ઘકાવ્ય ‘ચિન્તાતરંગિણીકાવ્ય’  (1861) અંગત મિત્રની આત્મહત્યાથી પ્રેરાયેલું હતું. યુનિવર્સિટીમાં તે પાઠ્યપુસ્તક બનતાં ઊગતા કવિ તરીકે તેમને પ્રસિદ્ધિ મળે છે. ઈશ્વરચંદ્ર ગુપ્ત (1812–1859) અને રંગલાલ બંદ્યોપાધ્યાયની રીતિ પર તે રચાયેલું છે. પછીની કૃતિ ‘વીરબાહુકાવ્ય’ (1864) પર પણ…

વધુ વાંચો >

બાઉલ

બાઉલ : બંગાળમાં પ્રચલિત એક ભિક્ષુ સંપ્રદાય. આ સંપ્રદાયના અનુયાયી સાધકો બંગાળનાં ગામોમાં  ગીત ગાઈને જીવન ગાળનારા હિંદુ તથા મુસલમાન બંને પ્રકારના હોય છે. તેઓ કાપડના ટુકડાઓ સાંધીને શરીરને ઢાંકે છે, બંગાળી ભાષા બોલે છે અને બંગાળી ભાષામાં રચેલાં દિવ્ય પ્રેમનાં ગીતો ગાય છે. ‘બાઉલ’ શબ્દ ‘વાતુલ’ પરથી આવ્યાની એક…

વધુ વાંચો >

બાબરેર પ્રાર્થના

બાબરેર પ્રાર્થના (1976) : બંગાળના ખ્યાતનામ કવિ અને વિવેચક શંખો ઘોષની જાણીતી કૃતિ. સામાજિક સંઘર્ષ વિશે અનુત્કટ છતાં સક્રિય સહભાગિતા, ભરપૂર કલ્પનાસૃષ્ટિ તેમજ રચના અને ટેક્નિકની પૂરેપૂરી જાણકારી સાથે રોજિંદી ભાષાના ઉપયોગ માટે તેને બંગાળી સાહિત્યમાંનું એક ઉત્કૃષ્ટ પ્રદાન ગણવામાં આવે છે. ‘બાબરેર પ્રાર્થના’માં 47 કાવ્યોને ત્રણ વિભાગ – ‘મણિકર્ણિકા’…

વધુ વાંચો >

બિશિ, પ્રમથનાથ

બિશિ, પ્રમથનાથ (જ. 1901; અ. 1985) : બંગાળી કવિ, નવલકથાકાર, વાર્તાકાર. શાળા અને કૉલેજનું શિક્ષણ શાંતિનિકેતનમાં. રવીન્દ્રનાથનાં  ચેતના અને પરિવેશને તેમની જ ભૂમિકામાં આત્મસાત કરવાની જેમને ઉત્તમ તકો સાંપડેલી એવા લેખકોમાંના એક. બિશિની આરંભની કવિતામાં કેટલાંક સૉનેટ છે, જે પહેલાં ‘બંગશ્રી’માં પ્રકટ થયાં હતાં અને પછી 3 નાના સંગ્રહો  –…

વધુ વાંચો >

બિંદુર છેલે (1913)

બિંદુર છેલે (1913) : બંગાળી સાહિત્યકાર શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની 9 પ્રકરણમાં વિભાજિત રસપ્રદ વાર્તા. ‘બિંદુર છેલે’ ગ્રંથમાં 3 ટૂંકી વાર્તાઓ – ‘બિંદુર છેલે’, ‘રામેર સુમતિ’ (1914) અને ‘પથ-નિર્દેશ’નો સમાવેશ થાય છે. સ્ત્રીસ્વભાવના અને ચિત્તતંત્રના ઊંડા અભ્યાસી તરીકે શરદબાબુ પત્નીજીવનનું, સ્ત્રીજીવનનું સાર્થક્ય માતૃત્વમાં રહેલું છે એમ લેખે છે. આ વાર્તા તેની આંતરિક…

વધુ વાંચો >

બેહુલા

બેહુલા : બંગાળીમાં રચાયેલ બેહુલાની કથા (સત્તરમી સદી) : ‘મનસામંગલ’ કાવ્યનું છેવટનું અને સૌથી મહત્વનું આખ્યાન. ‘ક્ષેમાનંદ’–કેતકાદાસ એના રચયિતા છે. બંગાળના ઇતિહાસના અંધારા સૈકાઓમાં સંસ્કૃતમાં લખનારા પંડિતો અને કવિઓ મૌન બની ગયા હતા ત્યારે અગમપંથના ગાયકો અને લોકદેવતાઓના ચારણો ચૂપ નહોતા; તેઓ સ્થાનિક પુરાણકથાઓ, આખ્યાનો, લોકદેવતાઓની આસપાસ વણાયેલી અને એકબીજીમાં…

વધુ વાંચો >

ભટ્ટાચાર્ય, જગદીશ તર્કપંચાનન

ભટ્ટાચાર્ય, જગદીશ તર્કપંચાનન (17મી સદી) : ભારતીય સાહિત્યશાસ્ત્રના જાણીતા ગ્રંથ મમ્મટકૃત ‘કાવ્યપ્રકાશ’ પરની ટીકાના લેખક. તેમનું નામ સૂચવે છે તે મુજબ તેઓ બંગાળના વતની હતા. વળી ‘તર્કપંચાનન’ની તેમની ઉપાધિ તેઓ તર્કશાસ્ત્રના જ્ઞાતા હશે તેમ સૂચવે છે; પરંતુ બંગાળના જાણીતા તાર્કિક જગદીશ તર્કાલંકારથી આ લેખક જુદા છે. તેઓ બંગાળના નદિયા (નવદ્વીપ)…

વધુ વાંચો >