પ્રાણીશાસ્ત્ર

આત્મગોપન

આત્મગોપન (camouflage) : પ્રાણીઓની સ્વરક્ષણાર્થે પર્યાવરણ સાથે એકરૂપતા. પ્રાણીઓ જુદા જુદા રંગો અથવા જુદા જુદા આકારો ધારણ કરીને, પશ્ચાદભૂમિના પદાર્થોની નકલ કરીને કે પોતાના શરીરમાંથી રંગ છોડીને – એમ વિવિધ રીતે સ્વરક્ષણ સાધવા અન્ય પ્રાણીઓથી અદૃશ્ય  બનવાનો પ્રયત્ન કરે છે. પ્રાણીઓના આ દેખાવ કે વર્તનને આત્મગોપન કહે છે. પ્રાણીઓમાં રંગધારણક્રિયા…

વધુ વાંચો >

આદિકોષકેન્દ્રી

આદિકોષકેન્દ્રી (procaryote) : કોષકેન્દ્ર-ઘટક વગરનાં પરંતુ કોષરસમાં જેનાં રાસાયણિક તત્વો વેરવિખેર હોય તેવાં પ્રાથમિક અવસ્થાનાં સજીવો. જ્યારે કોષ વિભાજન અવસ્થામાં ન હોય ત્યારે તેને આંતરઅવસ્થા કોષ (interphase cell) કહે છે. દરેક કોષ આંતરઅવસ્થા દરમિયાન તેમાં વિશિષ્ટ અંગિકા ધરાવે છે. તેને કોષકેન્દ્ર કહે છે. તે સર્વે વનસ્પતિ અને પ્રાણીકોષોમાં સ્વતંત્ર ઘટક…

વધુ વાંચો >

આનુવંશિકતા અને જનીનવિદ્યા

આનુવંશિકતા અને જનીનવિદ્યા (Heredity and Genetics) એક પેઢીમાંથી બીજી પેઢીમાં જૈવિક લાક્ષણિકતાઓનું થતું સંચારણ અને તેના અભ્યાસને લગતું વિજ્ઞાન. દરેક પ્રકારનાં સજીવો પ્રજનન દ્વારા પોતાના જેવી પ્રતિકૃતિ સંતતિરૂપે ઉત્પન્ન કરે છે. માતાપિતા (પ્રજનકો, parents) અને સંતતિઓ વચ્ચેના સામ્યની સાથે સાથે તેમનામાં ભેદ પણ જોવા મળે છે. આથી બે વ્યક્તિઓ સંપૂર્ણપણે…

વધુ વાંચો >

આર. એન. એ.

આર. એન. એ. (Ribonucleic acid – RNA) : સજીવોનાં આનુવંશિક લક્ષણોના સંચારણ (transmission) માટે અગત્યના એવા રાઇબોન્યૂક્લિયોટાઇડ અણુએકમોના બહુલકો. પ્રત્યેક ન્યૂક્લિયોટાઇડમાં બેઇઝ તરીકે પ્યુરિન અથવા પિરિમિડાઇનનો એક અણુ હોય છે. તે રાઇબોઝ શર્કરા-અણુના પહેલા કાર્બન સાથે જોડાયેલો હોય છે, જ્યારે તેના પાંચમા કાર્બન સાથે ફૉસ્ફેટનો અણુ જોડાયેલો હોય છે. સામાન્યપણે…

વધુ વાંચો >

આર્કિયૉપ્ટેરિકસ

આર્કિયૉપ્ટેરિકસ : જીવાવશેષ સ્વરૂપમાં જાણીતું પક્ષી જેવું પ્રાણી. પૂર્વજ તરીકે જાણીતા કાગડાથી સહેજ મોટા કદનું પક્ષી. તે ઉત્ક્રાન્તિની દૃષ્ટિએ સરીસૃપ અને વિહગ વર્ગનાં લક્ષણોનો સમન્વય દર્શાવતું હોવાથી સંયોગી કડી (connectinglink) તરીકે ઓળખાય છે. ‘આર્કિયૉપ્ટેરિકસ’ શબ્દનો અર્થ થાય છે ‘આદિ પાંખો ધરાવનાર’. આ પ્રાણી ઊડી શકવા માટે સમર્થ ન હતું. પરંતુ…

વધુ વાંચો >

આર્થસ પ્રતિક્રિયા

આર્થસ પ્રતિક્રિયા (Arthus Reaction) : મૉરિસ આર્થસ નામના ફ્રેંચ શરીર-ક્રિયાવિજ્ઞાની(physiologist)ના નામથી જાણીતી ત્વરિત અતિસંવેદનશીલતા (hypersensitivity)નો એક પ્રકાર. જ્યારે પ્રાણીશરીરમાં ચામડીની નીચે પ્રતિક્ષેપન (injection) દ્વારા દ્રાવ્ય પ્રતિજન (antigen) દાખલ કરવામાં આવે છે ત્યારે તે પ્રાણીશરીરમાં આવેલ પ્રતિદ્રવ્ય (antibody) સાથે પ્રક્રિયા કરતાં પ્રતિજન-પ્રતિદ્રવ્ય પ્રકારનો સંકીર્ણ પદાર્થ બને છે, જે રક્તવાહિનીઓમાં અવક્ષિપ્ત થાય…

વધુ વાંચો >

આવરણતંત્ર (પ્રાણીશાસ્ત્ર)

આવરણતંત્ર (પ્રાણીશાસ્ત્ર)  (Integumentary System)  પર્યાવરણ પરત્વે શરીરનું સમાયોજન કરતું ત્વચા અને/અથવા અન્ય આવરણરૂપ તંત્ર. શરીરની બાહ્ય દીવાલ રૂપે આ તંત્ર શરીરની આસપાસ એક સુરક્ષિત આવરણ બનાવે છે. આ આવરણ શરીરને થતી ભૌતિક ઈજા અટકાવવા ઉપરાંત, ઢાલ બનીને શરીરને ભક્ષક પ્રાણીઓથી રક્ષણ આપે છે. વળી બૅક્ટેરિયા તેમજ તેના જેવાં અન્ય હાનિકારક…

વધુ વાંચો >

ઉત્ક્રાંતિ, સજીવોની

ઉત્ક્રાંતિ, સજીવોની (organic evolution) સજીવોની એક પેઢીમાંથી બીજી પેઢીમાં થતા જનીનિક અનુત્ક્રમણીય (irreversible) ફેરફારોને લઈને નિર્માણ થતી નવી જાતિનો ખ્યાલ આપતો કુદરતી પ્રક્રમ. પૃથ્વી પરનાં વિવિધ પર્યાવરણોના નિકેતો(niches)માં અનેક જાતની વનસ્પતિ અને પ્રાણીઓની સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. તેમાં રચનાત્મક અને ક્રિયાત્મક ભિન્નતા રહેલી છે. પૃથ્વી પર સજીવ સૃષ્ટિનું અવતરણ તે…

વધુ વાંચો >

ઉત્સર્ગતંત્ર અને ઉત્સર્ગક્રિયા

ઉત્સર્ગતંત્ર અને ઉત્સર્ગક્રિયા (પ્રાણીવિજ્ઞાન) (excretory system and excretion) શરીરમાં થતા ચયાપચયને પરિણામે ઉત્પન્ન થયેલા તેમજ શરીરમાં પ્રવેશેલા બિનજરૂરી અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા એટલે ઉત્સર્જન. કાર્બન ડાયૉક્સાઇડ જેવાં વાયુસ્વરૂપનાં તત્વોનો ત્યાગ શ્વસનતંત્ર દ્વારા કરવામાં આવે છે. જ્યારે ઘનસ્વરૂપ મળ જેવા કચરાને મળદ્વાર વાટે શરીરમાંથી દૂર કરવામાં આવે છે;…

વધુ વાંચો >

ઉત્સેચકો (enzymes) (જીવવિજ્ઞાન)

ઉત્સેચકો (જીવવિજ્ઞાન) (enzymes)  સજીવોનાં શરીરમાં દેહધાર્મિક (physiological) ક્રિયાઓના ભાગરૂપે સતત ચાલ્યા કરતી રાસાયણિક પ્રક્રિયાઓને સહજસાધ્ય (spontaneous) અને ઝડપી બનાવનાર ઉદ્દીપકો (catalysts). પ્રોટીનના બનેલા આ ઉત્સેચકો વિશિષ્ટ રાસાયણિક ઘટક પર સંશ્લેષણાત્મક (synthetic) અથવા વિઘટનાત્મક (degradative) પ્રક્રિયા દ્વારા તેનું એક યા બીજા સ્વરૂપમાં રૂપાંતર કરે છે. દાખલા તરીકે પ્રાણીઓનાં શરીરમાં આવેલા પ્રૉટિયૉલેટિક…

વધુ વાંચો >