થૉમસ પરમાર

કૈલાસમંદિર

કૈલાસમંદિર : ઇલોરાની ગુફા નં. 16માં આવેલું મંદિર. ખડકમાંથી કોરેલા સ્થાપત્યમાં જગતભરમાં કૈલાસગુફા અગ્રસ્થાને છે. તેની રચના મંદિરના ગોપુરમ્ જેવી છે. મંદિરની સમગ્ર શિલ્પસમૃદ્ધિ એક જ ખડકમાંથી કંડારેલી છે. આ ગુફામાં પ્રવેશતાં જ સામે પાષાણનો પડદો છે, જેના ઉપર શિવ અને વિષ્ણુની પ્રચંડ મૂર્તિઓ કોરેલી છે; 82.8 મીટર લાંબો અને…

વધુ વાંચો >

ગર્ભગૃહ

ગર્ભગૃહ : મંદિરના જે ભાગમાં આરાધ્ય (સેવ્ય) પ્રતિમા, પ્રતીક કે ધર્મગ્રંથની સ્થાપના કરવામાં આવે છે તે ‘ગર્ભગૃહ’ કહેવાય છે. મુખ્ય પ્રતિમાની સંખ્યા એક કરતાં  વિશેષ હોય તો એકથી વધુ ગર્ભગૃહ રચવામા આવે છે. ગર્ભગૃહ ગભારો કે મૂલસ્થાન તરીકે પણ ઓળખાય છે. એક ગર્ભગૃહવાળા મંદિરને એકાયતન, બે ગર્ભગૃહવાળા મંદિરને દ્વયાતન કે…

વધુ વાંચો >

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…

વધુ વાંચો >

ગુજરાત ઇતિહાસ પરિષદ

ગુજરાત ઇતિહાસ પરિષદ : ગુજરાતની પ્રજામાં ઇતિહાસની અભિરુચિ કેળવાય, ઇતિહાસની સાચી ર્દષ્ટિ મળે, ગુજરાતના ઇતિહાસના ક્ષેત્રે સંશોધન કરતા સંશોધકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળી રહે તેમજ ઇતિહાસના અભ્યાસને ઉત્તેજન આપવું એ હેતુથી ગુજરાત ઇતિહાસ પરિષદની સ્થાપના એપ્રિલ 1960માં કરવામાં આવી હતી. વલ્લભવિદ્યાનગર મુકામે 1957ના ડિસેમ્બરમાં ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસનું 20મું અધિવેશન યોજાયું…

વધુ વાંચો >

ગુફા

ગુફા : શૈલાત્મક (rock-cut) પ્રકારનું સ્થાપત્ય. ગુફા બે પ્રકારની હોય છે – કુદરતી અને માનવસર્જિત. કુદરતી રીતે કોઈ ખડક(Rock)માં મોટું પોલાણ થઈ ગયું હોય તે કુદરતી ગુફા છે. ગુફા માટે ‘ગુહા’ શબ્દ પણ પ્રયોજાય છે. પ્રાગૈતિહાસિક કાલની અનેક આવી કુદરતી ગુફાઓ પ્રાપ્ત થઈ છે. આદિમાનવ આ પ્રકારની ગુફાઓનો ઉપયોગ પોતાના…

વધુ વાંચો >

ગ્વાલિયરનો કિલ્લો

ગ્વાલિયરનો કિલ્લો : મધ્યપ્રદેશનું જાણીતું દુર્ગસ્થાપત્ય. વર્તમાન ગ્વાલિયર શહેર બહાર આવેલા 91.4 મીટર (300 ફૂટ) ઊંચા ડુંગર પર આ કિલ્લો આવેલો છે. અનુશ્રુતિ પ્રમાણે આ કિલ્લાની પ્રાચીનતા ઈ. સ.ની 8મી સદી સુધી જાય છે. સૂરજસેન નામના એક સરદારને કુષ્ઠરોગ થયો હતો. ગ્વાલિય નામના એક સાધુએ તેને ત્યાં આવેલા એક તળાવનું…

વધુ વાંચો >

ચાંપાનેર

ચાંપાનેર : ચાંપાનેર (ઉ.અ. 22° 29’, પૂ.રે. 73° 32’) પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં હાલોલથી 6 કિમી. દૂર પાવાગઢની તળેટીમાં આવેલું છે. ઐતિહાસિક પુરાવાઓને આધારે ચાંપાનેર-પાવાગઢનું સ્થળ બહુ પ્રાચીન હોવાનું જણાય છે. અહીંથી પ્રાગૈતિહાસિક કાળના મધ્યાશ્મ અને અન્ત્યાશ્મ યુગનાં ઓજારો પ્રાપ્ત થયાં છે. ચાંપાનેરના આદિ માનવનો જીવનકાળ સંભવત: લાખેક વર્ષ કરતાં…

વધુ વાંચો >

દાની, અહમદ હસન

દાની, અહમદ હસન (જ. જૂન 1920, બસના; અ. 26 જાન્યુઆરી 2009, ઇસ્લામાબાદ) : પાકિસ્તાનના બૌદ્ધિક પુરાતત્વવિદ, ઇતિહાસવિદ અને ભાષાશાસ્ત્રી, મધ્ય એશિયા અને દક્ષિણ એશિયાના પુરાતત્વ અને ઇતિહાસના અભ્યાસ પર તેમનું પ્રભુત્વ હતું. તેમણે પાકિસ્તાન અને બંગ્લાદેશમાં ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે પુરાતત્વનો અભ્યાસ દાખલ કરાવ્યો હતો. વિશેષત: તેઓ ઉત્તર પાકિસ્તાનમાં પૂર્વસિંધુસભ્યતા અને…

વધુ વાંચો >

દેલવાડાનાં મંદિરો

દેલવાડાનાં મંદિરો : સોલંકીકાલ દરમિયાન ગુજરાતના મંદિર સ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ મંદિરોનું નિર્માણ થયું તેમાં આબુ પર્વત પર દેલવાડાના સ્થળે આવેલાં આ મંદિરો શિરમોર છે. આબુ પર્વત ઉપર દેલવાડાના સ્થળે આવેલાં હોવાથી આબુ પરનાં મંદિરો કરતાં દેલવાડાના મંદિરો કે દેરાં તરીકે લોકોમાં વધુ જાણીતા છે. સોલંકી રાજા ભીમદેવ 1લાના મંત્રી વિમલ…

વધુ વાંચો >

દેવની મોરી

દેવની મોરી : ગુજરાતમાં સૌથી પ્રાચીનતમ બૌદ્ધ અવશેષો. અરવલ્લી જિલ્લામાં શામળાજી પાસે દેવની મોરી નામના સ્થળેથી બૌદ્ધ વિહાર અને સ્તૂપના અવશેષો મળી આવ્યા છે. સ્થાનિક લોકોમાં ભોજ રાજાના ટેકરા તરીકે ઓળખાતા આ સ્થળેથી મોટા કદની ઈંટો અને માટીનાં વાસણોના અવશેષો મળી આવતાં 1960માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાતત્વ-વિભાગ દ્વારા ત્યા…

વધુ વાંચો >