કનુભાઈ શાહ

કૌલા, પૃથ્વીનાથ

કૌલા, પૃથ્વીનાથ (જ. 13 માર્ચ 1924, શ્રીનગર; અ. 30 ઑગસ્ટ 2009, લખનઉ) : લેખક, ગ્રંથકાર, પ્રલેખક, શિક્ષણવિદ તેમજ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના એક વિશેષજ્ઞ. મધ્યમવર્ગીય બ્રાહ્મણ કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાશ્રીનું નામ પંડિત દામોદર કૌલા અને માતુશ્રીનું નામ પોશ કિયા કૌલા હતું. તેઓ શાળાકીય શિક્ષણથી જ હોશિયાર હતા.…

વધુ વાંચો >

ચિત્રભાનુજી ગુરુદેવ

ચિત્રભાનુજી ગુરુદેવ (જ. 26 જુલાઈ, 1922; અ. 19 એપ્રિલ 2019) : તત્ત્વચિંતક. રૂપરાજેન્દ્ર(ચિત્રભાનુ)નો રોજ માતુશ્રી ચુનીબાઈની કૂખે રાજસ્થાનમાં થયો હતો. પિતાશ્રીનું નામ છોગાલાલજી હતું. રૂપરાજેન્દ્ર ખૂબ જ દેખાવડા અને બુદ્ધિશાળી હતા. માતાનું અવસાન તેમની 4 વર્ષની વયે થયું, 11 વર્ષની વયે બહેનનું અવસાન અને 19 વર્ષની વયે ખાસ મિત્રનું અવસાન…

વધુ વાંચો >

જંબુવિજયજી મ. સા. :

જંબુવિજયજી મ. સા. : જૈન હસ્તપ્રતોના મહાન સંશોધક અને પ્રકાંડ વિદ્વાન. પ્રાચીન ભાષા અને હસ્તપ્રતોના સંશોધનની વાત થતી હોય ત્યારે પરમ પૂજ્ય મુનિશ્રી જંબુવિજયજી મ. સા.નું સ્મરણ અચૂક આવે જ. શ્રી જંબુવિજયજી મહારાજ ચારિત્રવાન અને વિદ્વાન તો હતા જ, સાથે તપસ્વી પણ એટલા જ હતા. એ સાધુપુરુષ પ્રભુના જાપમાં તન્મય…

વધુ વાંચો >

તત્યાના યાકોવ્લેવના યેલિજારેન્કોવા

તત્યાના યાકોવ્લેવના યેલિજારેન્કોવા (ડૉ.) (શ્રીમતી) (જ. 17 સપ્ટેમ્બર 1929, સેંટ પીટ્સબર્ગ; અ. 5 સપ્ટેમ્બર 2007, મૉસ્કો, રશિયા) : પ્રાચીન ભારતીય ઇતિહાસનાં વિદ્વાન. એમણે મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીના ભાષા-વિજ્ઞાન વિભાગમાં પ્રવેશ  લીધો. ઋગ્વેદનો રુસી ભાષામાં અનુવાદ કરવા માટે એમણે લગભગ 35 વર્ષ સમર્પિત કર્યાં. આ અનુવાદકાર્ય 1989, 1995 અને 1999માં ત્રણ ખંડોમાં…

વધુ વાંચો >

થોપ્પીલ વર્ગીસ એન્ટોની

થોપ્પીલ વર્ગીસ એન્ટોની (Thoppil Varghese Antony) (જ. 5 ઑક્ટોબર 1933; અ. 2020) :  સુપ્રસિદ્ધ પદ્મભૂષણ પદવીથી સન્માનિત લોકસેવક. ચેન્નાઈની લોયોલા કૉલેજમાંથી બી.એસસી. કેમિસ્ટ્રીના વિષય સાથે સ્નાતક થયા હતા. તેમજ બેચરલ ઑફ લૉઝની પદવી મદ્રાસ લૉ કૉલેજમાંથી પ્રાપ્ત કરી હતી. 1956માં ભારતીય પ્રશાસનિક સેવા (IAS)માં જોડાયા. તેમણે અનેક પદો પર રહીને…

વધુ વાંચો >

દફતરી, શરયૂ

દફતરી, શરયૂ (જ. 8 નવેમ્બર 1933) : ભારતનાં એક પ્રમુખ વ્યવસાયી મહિલા. પિતાનું નામ લાલચંદ હીરાચંદ અને માતાનું નામ લલિતાબાઈ. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અર્થશાસ્ત્રના વિષય સાથે સ્નાતક થયાં છે. અનેક ઔદ્યોગિક કાર્યકર્તાઓમાં અગ્રણી રહ્યાં છે. ઔદ્યોગિક એન્જિનિયરિંગ, પી.ઈ.આર.ટી. અને મૂલ્ય વિશ્લેષણમાં વ્યાપક અનુભવ તથા વિશેષજ્ઞતા તેમણે પ્રાપ્ત કરી છે. તેમણે…

વધુ વાંચો >

પરમેશ્વરન પિ.

પરમેશ્વરન પિ. (જ. 18 સપ્ટેમ્બર 1927, કેરળ; અ. 9 ફેબ્રુઆરી 2020, મ્યાનમાર) : વિદ્વાન, મહાન વિચારક તથા સમર્પિત સામાજિક કાર્યકર્તા. તેમણે સ્નાતકની ડિગ્રી યુનિવર્સિટી કૉલેજ, તિરુઅન્તપુરમથી  પ્રાપ્ત કરેલી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા અને તેમને રાજ્ય સંગઠન સચિવપદે નિયુક્ત કરીને કેરળમાં ભારતીય જનસંઘના કાર્યની જવાબદારી સોંપવામાં આવી હતી.  1968માં જનસંઘના અખિલ…

વધુ વાંચો >

પુરાતત્ત્વ (ત્રૈમાસિક)

પુરાતત્ત્વ (ત્રૈમાસિક) : પુરાતત્ત્વના વિષયની માહિતી સરળ લેખો રૂપે ગુજરાતી ભાષામાં પ્રસ્તુત કરતું સામયિક. આ ત્રૈમાસિકના પ્રકાશન પાછળનો હેતુ હિન્દુસ્તાનની પ્રાચીન સંસ્કૃતિનાં રહસ્યોને ગુજરાતી વાચકો સમક્ષ સ્ફુટ કરવાનો હતો. રાષ્ટ્રીય કેળવણીના પ્રયોગને મૂર્ત રૂપ આપવા મહાત્મા ગાંધી દ્વારા 28 ઑક્ટોબર, 1920ના રોજ સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠના ગૂજરાત મહાવિદ્યાલય(સ્થાપના 5-11-1920)ના એક વિભાગ…

વધુ વાંચો >

પુરી, પ્રેમલતા

પુરી, પ્રેમલતા (જ. 30 મે 1937) : જાણીતાં શિક્ષિકા અને કલાકાર. સાંસ્કૃતિક શિક્ષણના ક્ષેત્રમાં એમનું કાર્ય અગત્યનું રહ્યું છે. એમણે સંગીત શિક્ષણ પદ્ધતિઓનો ઊંડો અભ્યાસ કર્યો તેમજ કેટલીક વ્યાખ્યાનમાળાઓનો અને સંગીત સમારંભોનું આયોજન કર્યું. તેઓએ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે ભારતી કલા સંબંધી અનેક લેખ લખ્યા છે. તેમજ યુવા પેઢીમાં કલા…

વધુ વાંચો >

બ્રિટિશ લાઇબ્રેરી

બ્રિટિશ લાઇબ્રેરી : વિશ્વનાં ગ્રંથાલયોમાં નોંધપાત્ર ગણાતું બ્રિટનનું ગ્રંથાલય. બ્રિટિશ લાઇબ્રેરી ઍક્ટ (1972) અનુસાર 1 જુલાઈ 1973થી બ્રિટિશ મ્યુઝિયમ અને બ્રિટિશ લાઇબ્રેરી એમ બે ભિન્ન સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. 1973માં બ્રિટિશ લાઇબ્રેરીની સ્થાપના થઈ; જેને કારણે યુ.કે.માં રાષ્ટ્રીય ગ્રંથાલય તેમજ ગ્રંથાલય અને માહિતીનું માળખું રચાયું. બ્રિટિશ મ્યુઝિયમ લાઇબ્રેરીના ગ્રંથસંગ્રહ સાથે નૅશનલ…

વધુ વાંચો >