કનુભાઈ શાહ
અચલગઢ તીર્થ
અચલગઢ તીર્થ : રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આબુ-દેલવાડા તીર્થથી 4 કિમી. દૂર આવેલું પ્રાચીન તીર્થ. આ મંદિર અચલગઢની એક ટેકરી પર આવેલું છે. મંદિર ઘણું વિશાળ, મનોહર, બે માળવાળું શિખરબંધી અને મજબૂત કોટથી યુક્ત છે. તેમાં મુખ્ય સ્થાનમાં શ્રી આદીશ્વર ભગવાનનું (ચૌમુખજી) દેરાસર છે. આ સ્થાનને અહીંના લોકો ‘નવંતા જોધ’ નામથી…
વધુ વાંચો >અણુવ્રત આંદોલન
અણુવ્રત આંદોલન : અણુબૉમ્બ ત્રાહિમામ પોકારતી દુનિયાને ઉગારવા માટેનો રસ્તો. આ આંદોલનની સાથે નવી નવી ધારાઓ જોડાયેલી છે તે પણ આશ્ચર્યની વાત છે. એમાં આચાર્યશ્રી મહાપ્રજ્ઞાજી દ્વારા જીવનવિજ્ઞાન અને પ્રેક્ષાધ્યાનનો પ્રયોગ જોડાયો, તો વળી આચાર્યશ્રી મહાશ્રમણજી દ્વારા મહાવીરને ભૂલીને મહાભારત જતા જગતને સંયમની વિચારધારા જોડાઈ. નશામુક્તિ અભિયાનથી આરંભીને સંયમની આધારભૂમિ…
વધુ વાંચો >અનુપમાદેવી
અનુપમાદેવી : ગુજરાતમાં સોલંકી યુગ દરમિયાન 13મી સદીમાં થયેલા ધોળકાના વાઘેલા રાણા વીરધવલના મંત્રી તેજપાલની પત્ની. શ્રી વસ્તુપાલ–તેજપાલ રાજા વીરધવલના મંત્રીઓ હતા. તેઓએ ભારતમાં અનેક તીર્થસ્થાનો તથા ધર્મસ્થાનો કરાવ્યાં હતાં. અનુપમાદેવી શ્યામવર્ણનાં હોઈ તે તેજતપાલને ગમતાં નહોતાં. પરંતુ બુદ્ધિમાં તેઓ તેજસ્વી હતાં, જાણે કે સરસ્વતીનો અવતાર ! સંસારના પ્રશ્નો ઉકેલવામાં…
વધુ વાંચો >આત્મસિદ્ધિશાસ્ત્ર
આત્મસિદ્ધિશાસ્ત્ર : શ્રીમદ્ રાજચંદ્રજીલિખિત ગ્રંથ. ‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર’ શ્રી સૌભાગ્યભાઈ જેવા સુપાત્ર જીવ દ્વારા થયેલી વિનંતીના કારણે માત્ર દોઢ-બે કલાકમાં ષડ્દર્શનના સારરૂપ 142 ગાથાનું વિવેચન કરતો ગ્રંથ એકી કલમે લખાયો. શ્રીમદની આ પરમાર્થ ગંભીર પદ્યરચના અદભુત તત્ત્વકળાથી ગૂંથાયેલી છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની વિશેષતા એ છે કે તે માત્ર તાર્કિક બુદ્ધિનું સર્જન નથી,…
વધુ વાંચો >કટર ચાર્લ્સ અમી
કટર, ચાર્લ્સ અમી (જ. 14 માર્ચ 1837, બોસ્ટન; અ. 6 સપ્ટેમ્બર 1903, ન્યૂ હેમ્પશાયર) : પ્રસિદ્ધ અમેરિકન ગ્રંથાલયશાસ્ત્રી. તેમનું નામ તેમની વિસ્તારશીલ વર્ગીકરણ (expansive classification) પદ્ધતિની શોધને લીધે ગ્રંથાલયશાસ્ત્રીઓમાં સૌથી અગ્રિમ હરોળમાં છે. વેસ્ટ કેમ્બ્રિજમાં, મેસેચૂસેટસ ખાતે તેઓ તેમના દાદા અને ત્રણ ફોઈઓ સાથે રહ્યા હતા. તેઓ ચુસ્ત ધાર્મિક વાતાવરણમાં…
વધુ વાંચો >કાનજીસ્વામી
કાનજીસ્વામી (જ. વિ. સં. 1946, ઉમરાળા, જિ. ભાવનગર; અ. 28 નવેમ્બર, 1980) : સોનગઢના સંત. તેમની માતાનું નામ ઊજમબાઈ અને પિતાનું નામ મોતીચંદભાઈ હતું. સ્થાનકવાસી જૈન સંપ્રદાયના દશાશ્રીમાળી વણિક કુળમાં જન્મ થયો હતો. બાળક કહાનમાં બાળપણથી જ ધાર્મિક સંસ્કાર અને સહજ વૈરાગ્યભાવ હતો. નાની ઉંમરમાં જ માતાપિતાનો સ્વર્ગવાસ થયો. એટલે…
વધુ વાંચો >જંબુવિજયજી મ. સા. :
જંબુવિજયજી મ. સા. : જૈન હસ્તપ્રતોના મહાન સંશોધક અને પ્રકાંડ વિદ્વાન. પ્રાચીન ભાષા અને હસ્તપ્રતોના સંશોધનની વાત થતી હોય ત્યારે પરમ પૂજ્ય મુનિશ્રી જંબુવિજયજી મ. સા.નું સ્મરણ અચૂક આવે જ. શ્રી જંબુવિજયજી મહારાજ ચારિત્રવાન અને વિદ્વાન તો હતા જ, સાથે તપસ્વી પણ એટલા જ હતા. એ સાધુપુરુષ પ્રભુના જાપમાં તન્મય…
વધુ વાંચો >પુરાતત્ત્વ (ત્રૈમાસિક)
પુરાતત્ત્વ (ત્રૈમાસિક) : પુરાતત્ત્વના વિષયની માહિતી સરળ લેખો રૂપે ગુજરાતી ભાષામાં પ્રસ્તુત કરતું સામયિક. આ ત્રૈમાસિકના પ્રકાશન પાછળનો હેતુ હિન્દુસ્તાનની પ્રાચીન સંસ્કૃતિનાં રહસ્યોને ગુજરાતી વાચકો સમક્ષ સ્ફુટ કરવાનો હતો. રાષ્ટ્રીય કેળવણીના પ્રયોગને મૂર્ત રૂપ આપવા મહાત્મા ગાંધી દ્વારા 28 ઑક્ટોબર, 1920ના રોજ સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠના ગૂજરાત મહાવિદ્યાલય(સ્થાપના 5-11-1920)ના એક વિભાગ…
વધુ વાંચો >બ્રિટિશ લાઇબ્રેરી
બ્રિટિશ લાઇબ્રેરી : વિશ્વનાં ગ્રંથાલયોમાં નોંધપાત્ર ગણાતું બ્રિટનનું ગ્રંથાલય. બ્રિટિશ લાઇબ્રેરી ઍક્ટ (1972) અનુસાર 1 જુલાઈ 1973થી બ્રિટિશ મ્યુઝિયમ અને બ્રિટિશ લાઇબ્રેરી એમ બે ભિન્ન સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. 1973માં બ્રિટિશ લાઇબ્રેરીની સ્થાપના થઈ; જેને કારણે યુ.કે.માં રાષ્ટ્રીય ગ્રંથાલય તેમજ ગ્રંથાલય અને માહિતીનું માળખું રચાયું. બ્રિટિશ મ્યુઝિયમ લાઇબ્રેરીના ગ્રંથસંગ્રહ સાથે નૅશનલ…
વધુ વાંચો >બ્લિસ, હેન્રી
બ્લિસ, હેન્રી (જ. 29 જાન્યુઆરી 1870, ન્યૂયૉર્ક સિટી; અ. 9 ઑગસ્ટ 1955, પ્લેઇન ફિલ્ડ) : ગ્રંથાલય-ક્ષેત્રે બ્લિસ વર્ગીકરણ નામની મહત્વની પદ્ધતિના પ્રણેતા. પિતા ડેવિડ બ્લિસ. માતા ઇવલિના માટિલ્ડા. પ્રારંભે વર્ષો સુધી ન્યૂયૉર્કમાં નિવાસ કર્યો. પાછલાં વર્ષો ન્યૂજર્સી રાજ્યમાં ડેવસિસ એસ્ટેટ ખાતે ગાળ્યાં. 1901માં તેમણે એલન ડી. કોસ્ટર સાથે લગ્ન કર્યું.…
વધુ વાંચો >