ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન

વ્યાપારિક નૈતિકતા (વ્યાપારમાં નૈતિકતા)

વ્યાપારિક નૈતિકતા (વ્યાપારમાં નૈતિકતા) : વાણિજ્યવ્યવહારમાં પાળવામાં આવતી નૈતિક ધોરણોની મૂલ્યવત્તા. ગ્રીક ભાષામાંનો ‘ethics’ શબ્દ નૈતિકતાનો અર્થ આપે છે. તે ઉપરાંત ચારિત્ર્ય, ધોરણો, સદાચાર, આદર્શ વગેરેને અનુલક્ષતી અન્ય અર્થચ્છાયાઓ પણ એમાંથી મળે છે. તેને કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં સમજદારીપૂર્વક સ્વીકારવામાં આવેલ વ્યક્તિઓની વર્તણૂકનાં અપેક્ષિત નીતિધોરણો કહી શકાય. તેને સમાજે માણસની…

વધુ વાંચો >

વ્યાપારી કંપની

વ્યાપારી કંપની : કોઈ પણ દેશના કંપની અધિનિયમ હેઠળ વ્યાપારી હેતુ માટે નોંધાયેલું નિગમ. એકાકી વેપારી (વૈયક્તિક માલિકી) અને ભાગીદારી પેઢીની જેમ વ્યાપારી કંપની ધંધાદારી એકમોની વ્યવસ્થાનું એક સ્વરૂપ છે. રૂઢિગત રીતે તે વ્યાપારી કંપની તરીકે ઓળખાય છે. વાસ્તવમાં એ ધંધાદારી કંપની હોય છે અને વ્યાપાર અથવા વેપાર નફાના હેતુસર…

વધુ વાંચો >

વ્યાપારી દસ્તાવેજો

વ્યાપારી દસ્તાવેજો : કોઈ પણ પ્રકારના આર્થિક વ્યવહારોની વિગતોને કોઈ પણ સ્વરૂપે દર્શાવતા પુરાવાઓ. મહદ્અંશે દસ્તાવેજો કાગળ-સ્વરૂપે હોય છે. પ્રાચીન કાળમાં વૃક્ષોના પાન પર પણ આ વિગતો દર્શાવવામાં આવતી હતી. આધુનિક કાળમાં આ વિગતો ફ્લૉપી અને સી.ડી. સ્વરૂપે પણ દર્શાવવામાં આવે છે. આમ, સ્વરૂપ ગમે તે હોય, જો તે આર્થિક…

વધુ વાંચો >

વ્યાપારી બૅન્ક

વ્યાપારી બૅન્ક : વ્યાપારક્ષેત્રે જરૂરિયાતમંદને ધિરાણ કરતી બૅન્ક. બૅન્કોનાં મુખ્ય કાર્યોમાં થાપણો સ્વીકારવાનું અને ધિરાણ આપવાનું છે. સમાજના કોઈ પણ વર્ગના લોકો થાપણ મૂકે તેમાં બૅન્કને વિશિષ્ટ કૌશલ્ય અને માહિતીની જરૂર પડતી નથી; પરન્તુ ધિરાણ આપવાના કામમાં બૅન્કે વિવિધ વ્યવસાયના, વિવિધ ક્ષેત્રના અને વિવિધ હેતુઓ ધરાવનારાં સાથે વ્યવહાર કરવા પડે…

વધુ વાંચો >

વ્યાપારી વ્યવસ્થા (Business Organisation)

વ્યાપારી વ્યવસ્થા (Business Organisation) : માલ અને સેવાઓના ઉત્પાદકો અને વિતરકોની બધી જ વાણિજ્ય-પ્રવૃત્તિઓ સુચારુ રીતે ચલાવવાની વ્યવસ્થા. સામાજિક, આર્થિક અને વ્યક્તિગત જરૂરિયાત મુજબ કાળક્રમે વાણિજ્ય-વ્યવસ્થાનાં જુદાં જુદાં સ્વરૂપો વિકાસ પામ્યાં છે, જે આ પ્રમાણે છે : (ક) નફાના પ્રાથમિક હેતુની દૃષ્ટિવાળાં સાહસો : (1) વૈયક્તિક માલિક : વ્યાપારી વ્યવસ્થાનું…

વધુ વાંચો >

વ્યાસ, જયનારાયણ

વ્યાસ, જયનારાયણ (જ. 14 એપ્રિલ 1947, વીરમગામ) : જનસેવામાં પ્રવૃત્ત તજ્જ્ઞ અને કુશળ વહીવટકર્તા. તેમના પિતા નર્મદાશંકર રેલવેમાં સેવા આપતા હતા. જ્યારે શિસ્તનાં આગ્રહી માતા પદ્માવતી ગૃહકાર્ય સંભાળતાં હતાં. પ્રાથમિક તથા એસ.એસ.સી. સુધીનું શિક્ષણ રાજપુર અને સિદ્ધપુરમાં પૂરું કર્યું. 1969માં એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાંથી બી.ઈ.(સિવિલ)ની પદવી મેળવી. 1971માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ…

વધુ વાંચો >

વ્હોલ્કર, પૉલ ઍડૉલ્ફ

વ્હોલ્કર, પૉલ ઍડૉલ્ફ (જ. 1 સપ્ટેમ્બર 1927, કેપ મે, ન્યૂ જર્સી) : વિત્તવ્યવસ્થાપન, એકાઉન્ટિંગ અને જાહેર પ્રશાસનના નિષ્ણાત, અમેરિકાના અનુભવી જાહેર સેવક અને તે દેશની મધ્યસ્થ બૅંકના પૂર્વ ચૅરમૅન (1979–87). મૂળ જર્મન નાગરિકત્વ ધરાવતા પિતાના સંતાન. તેમનું ઉચ્ચ શિક્ષણ અમેરિકાની પ્રિન્સ્ટન અને હાર્વર્ડ યુનિવર્સિટીઓમાં તથા વિશ્વવિખ્યાત લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં…

વધુ વાંચો >

શાખપત્ર (વાણિજ્યિક)

શાખપત્ર (વાણિજ્યિક) : નિકાસકારે નિકાસ કરેલા માલ સામે લખેલી હૂંડી સ્વીકારવાની તેને ખાતરી આપતો અને તેની તરફેણમાં વિદેશી આયાતકારના બૅંકરે લખી આપેલો પત્ર. આયાતકારની સૂચનાને આધારે તેના બૅંકર નિકાસકારને એવી લેખિત જાણ કરે છે કે આયાતકારે ઠરાવેલી શરતો અને મર્યાદા અનુસાર નિશ્ચિત સમયમર્યાદામાં નિકાસ કરવામાં આવનારા માલની નિર્ધારિત રકમની ચુકવણી…

વધુ વાંચો >

શાહ, પ્રફુલ્લ અનુભાઈ

શાહ, પ્રફુલ્લ અનુભાઈ (જ. 20 જાન્યુઆરી 1938, અમદાવાદ) : ગુજરાતના ઉદ્યોગપતિ અને વ્યવસ્થાપનક્ષેત્રના નિષ્ણાત. પિતાનું નામ અનુભાઈ ચિમનલાલ શાહ, જેઓ વ્યાપાર કરતા હતા. માતાનું નામ માણેકબહેન. તેમનું સમગ્ર પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં થયું. ત્યારબાદ મુંબઈની પોદ્દાર કૉલેજમાંથી તેમણે 1957માં મુંબઈ યુનિવર્સિટીની બી.કૉમ.ની પદવી તથા 1961માં લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સની…

વધુ વાંચો >

શાહ, મનુભાઈ દલસુખભાઈ

શાહ, મનુભાઈ દલસુખભાઈ (જ. 25 ઑગસ્ટ 1930, વઢવાણ સિટી) : કાપડ-ઉદ્યોગના વ્યવસ્થાપનક્ષેત્રે કીર્તિ પ્રાપ્ત કરનાર નિષ્ણાત તથા ગ્રાહક સુરક્ષાના ભેખધારી. પિતા દલસુખભાઈ અમદાવાદમાં કાપડનો વ્યાપાર કરતા હતા. માતાનું નામ દીપુબહેન. વર્ષ 1948માં અમદાવાદની ન્યૂ હાઈસ્કૂલ શાળામાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા  પછી ગુજરાત કૉલેજમાં ઉચ્ચ અભ્યાસાર્થે 1948માં દાખલ થયા અને વર્ષ…

વધુ વાંચો >