ઈસ્માઈલ કરેડિયા

ફિરદોસી (હકીમ અબૂલ કાસિમ હસનબીન અલી)

ફિરદોસી (હકીમ અબૂલ કાસિમ હસનબીન અલી) (જ. 940, બાઝ તૂસ, ઈરાન; અ. 1020) : ફારસી સાહિત્યના વિખ્યાત મહાકવિ. તે એક સુખી ખેડૂત જમીનદાર. તેમની કુન્નિયત અબૂલકાસિમ હતી. તેમના પિતા ‘ચહાર બાગે ફિરદોસ’ નામે એક બગીચાના માલિક હોવાને લીધે તેમણે પોતાનું ઉપનામ ‘ફિરદોસી’ રાખ્યું હતું. ઈરાનનો ગઝનવી યુગ સાહિત્યની ર્દષ્ટિએ ફિરદોસીના…

વધુ વાંચો >

ફિરિશ્તા, મોહંમદ કાસિમ

ફિરિશ્તા, મોહંમદ કાસિમ (જ. 1570; અ. 1620) : યુરોપના ફારસી તવારીખનવીસોમાં પ્રસિદ્ધ ઇતિહાસકાર. કાસ્પિયન સમુદ્રને કિનારે આવેલા અસ્તરાબાદ મુકામે જન્મ્યા હતા. તેમના પિતા ગુલામઅલી હિન્દુશાહ પણ વિદ્વાન પુરુષ હતા, ફિરિશ્તાને બાલ્યાવસ્થામાં પોતાની સાથે હિંદ લઈ આવીને દક્ષિણ હિંદમાં અહમદનગર મુકામે વસવાટ કર્યો હતો. અહીં મુર્તુઝા નિઝામશાહે પોતાના પુત્ર મીરાન હુસયનના…

વધુ વાંચો >

ફૈઝી, અબુલ ફેઝ

ફૈઝી, અબુલ ફેઝ (જ. 1547, આગ્રા; અ. 1595) : પ્રસિદ્ધ ફારસી કવિ. અમીર ખુશરૂ તથા ઉર્ફી શીરાઝીની હરોળના ત્રીજા કવિ. તેઓ મુઘલ શહેનશાહ અકબરના દરબારના નવ રત્નોમાંના એક હતા. શેખ મુબારક નાગોરના બે પુત્રોમાં તેઓ જ્યેષ્ઠ હતા. ફૈઝીએ પોતાના વિદ્વાન પિતા પાસેથી વિવિધ શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું હતું. ટૂંક સમયમાં જ…

વધુ વાંચો >

બરહમન, ચંદ્રભાણ

બરહમન, ચંદ્રભાણ (જ. આશરે 1574–75, લાહોર) : ભારતના ફારસી સાહિત્યના લેખકોમાંના સૌપ્રથમ હિંદુ લેખક. તેમની કામગીરી મુખ્યત્વે શાહજહાંના સમયમાં જોવા મળે છે. તેમનું પૂરું નામ રાયચંદ્રભાણ લાહોરી હતું. લાહોર તેમનું વતન હતું. તેમના પિતા ધરમદાસ, મુલ્લા અબ્દુલ હકીમ સિયાલકોટીના શિષ્ય હતા. બ્રાહ્મણ કુટુંબની પરંપરા મુજબ સંસ્કૃત અને હિન્દીનો તેમણે અભ્યાસ…

વધુ વાંચો >

‘બહાર’ – મલિકુશ્શુઅરા–મુહમ્મદે તકી

‘બહાર’ – મલિકુશ્શુઅરા–મુહમ્મદે તકી (જ. 1887, મશહદ, ઈરાન; અ. –) : ‘બહાર’ તખલ્લુસથી જાણીતા ખુરાસાનના રાજકવિ અને વિદ્વાન. મિર્ઝા મુહમ્મદ કાઝિમ સુબૂહી કાશાનીના તેઓ પુત્ર હતા. તેમણે મશહદમાં પોતાના સમયના વિદ્વાનો પાસેથી ફારસી, અરબી અને પહેલવી ભાષાનું શિક્ષણ મેળવ્યું. 1904માં પિતાના અવસાન બાદ ખુરાસાનના ગવર્નર આસિફઉદ્દૌલા ગુલામરઝાખાનના દરબારમાં પ્રવેશ મેળવ્યો…

વધુ વાંચો >

બિંબાણી, અફઝલખાન

બિંબાણી, અફઝલખાન (જ. 1486; અ. 1553) : ગુજરાતના સલ્તનત સમયના વજીર. બિંબાણી અબદુલસમદ અફઝલખાનનો જન્મ સુલતાન મહમૂદશાહ બેગડાના સમયમાં થયો હતો. અફઝલખાન તેમનો ખિતાબ છે. તેઓ મુસ્લિમ શાસકોના પ્રસિદ્ધ વજીર હતા. તેમના પૂર્વજો પંજાબમાં આવેલા બિમ્બાન નામના સ્થળેથી આવીને અત્રે વસ્યા હતા. તેમના પૂર્વજો જ્ઞાનવિજ્ઞાન અને વિદ્યામાં પારંગત હતા. આ…

વધુ વાંચો >

‘બેદિલ’, મિરઝા અબ્દુલકાદિર

‘બેદિલ’, મિરઝા અબ્દુલકાદિર (જ. – અઝીમાબાદ; અ. 1721, દિલ્હી) : હિંદમાં થઈ ગયેલા છેલ્લા મહાન ફારસી કવિ. તેઓ મુઘલકાળના શાહજાદા મોહમ્મદ આઝમના દરબાર સાથે સંબંધ ધરાવે છે. તેમણે 1 લાખથી વધુ કાવ્યપંક્તિઓની રચના કરી છે. મુઘલયુગના આ છેલ્લા મહાન ફારસી કવિ ‘બેદિલ’ને પોતાના સમયના અમીર-ઉમરાવો અને વિદ્વાનો માનની ર્દષ્ટિએ જોતા…

વધુ વાંચો >

મલિક કુમ્મી

મલિક કુમ્મી (જ. કુમ, ઇરાક; અ. હિ. સં. 1025, બીજાપુર) : દક્ષિણ હિંદના આદિલશાહી રાજ્ય-અમલ દરમિયાનના નામાંકિત ફારસી કવિ. ઇબ્રાહીમ આદિલશાહ(બીજા)ના દરબારમાં મલિક કુમ્મીનું વિશિષ્ટ સ્થાન હતું. બાલ્યાવસ્થામાં જ તેઓ વિદ્યાપ્રાપ્તિ અને કારકિર્દીના ઘડતર માટે પોતાનું વતન છોડીને કાશાન અને કઝવીન ગયા. મલિક કુમ્મીએ યુવાન વયે કાવ્યરચનાની શરૂઆત કરી હતી.…

વધુ વાંચો >

મસૂદ સઅ્દ સલમાન

મસૂદ સઅ્દ સલમાન (જ. 1014, લાહોર; અ. 1089 લગભગ) : ગઝનવી અને સલ્જુક યુગના ફારસી સાહિત્યના એક પ્રખ્યાત કવિ. તેમના પૂર્વજો ઈરાનના હમદાન શહેરના રહેવાસી હતા. તેમના પૂર્વજો પણ વિદ્વાન અને વિદ્યાપ્રિય હતા. ખાસ કરીને તેમના પિતા સઅ્દ અને તેમના દાદા સલમાન તેમના જમાનાના વિદ્વાનો હતા. તેમના પિતા સઅ્દ 60…

વધુ વાંચો >

મંગરોલી, ખુશતર

મંગરોલી, ખુશતર (જ. 1892, માંગરોળ, જૂનાગઢ) : સૌરાષ્ટ્ર–કાઠિયાવાડના એક વખતના જાણીતા અને લોકપ્રિય ઉર્દૂ માસિક ‘ઝબાન’ના તંત્રી તથા માલિક. તેમનું મૂળ નામ અબ્દુરરહેમાન બિન મુહમ્મદ બિન મુહસિન છે. તેઓ ‘ખુશતર’ના ઉપનામથી જાણીતા છે. તેમની 9 વર્ષની નાની વયે જ તેમના પિતાનું અવસાન થયું. પ્રાથમિક શિક્ષણ જૂનાગઢના મહાબત મદરેસા (હાલ નરસિંહ…

વધુ વાંચો >