અલકેશ પટેલ

ધર્મયુગ

ધર્મયુગ : ભારતનું અગ્રગણ્ય હિંદીભાષી સાપ્તાહિક પત્ર. પ્રકાશન-સંસ્થા બેનેટ કોલમૅન ઍન્ડ કંપની. ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા જૂથ દ્વારા આ પત્રિકાનો પ્રારંભ 1950માં સાપ્તાહિક સ્વરૂપે થયો. જુલાઈ, 1990થી તે પાક્ષિક બન્યું. પ્રારંભસમયે ‘ધર્મયુગ’ના સંપાદક ઇલાચન્દ્ર જોશી હતા. ટૂંકા ગાળામાં જ સામયિક બહુ લોકપ્રિય થયું. હિંદી ભાષાનાં સામયિકોમાં ‘ધર્મયુગ’ બહુ પ્રતિષ્ઠિત અને…

વધુ વાંચો >

નઈ દુનિયા

નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…

વધુ વાંચો >

નચિકેતા

નચિકેતા : ગુજરાતી ભાષાનું સાહિત્યિક માસિક પત્ર. માલિક-તંત્રી કરસનદાસ માણેક. સ્થાપના 1953. ધ્યેય ‘જગતના અમર સર્જકોનો સત્સંગ કરાવતું સ્વાધ્યાય અને રસબ્રહ્મ આરાધનાનું માસિક.’ જગતનું શ્રેષ્ઠ સાહિત્ય ગુજરાતીમાં આપવાના આશય સાથે કરસનદાસ માણેકે આ માસિકપત્ર શરૂ કર્યું હતું. તેમાં મુખ્યત્વે અનુવાદો છપાતા અને તંત્રી તરીકે માણેક ઉપરાંત હરિવલ્લભ ભાયાણી, સુરેશ જોષી…

વધુ વાંચો >

નારાયણ, વિનીત

નારાયણ, વિનીત (જ. 18 એપ્રિલ 1956, મોરાદાબાદ) : ભારતીય પત્રકાર. મુખ્ય તંત્રી, કાલચક્ર સમાચાર ટ્રસ્ટ. કાલચક્ર સમાચાર ટ્રસ્ટના નેજા હેઠળ ‘કાલચક્ર’ નામે અડધા કદનું (tabloid) હિન્દી પાક્ષિક તથા ‘તેજ’ નામે વીડિયો સામયિક પ્રગટ થાય છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં જન્મેલા વિનીત નારાયણે ઉચ્ચ શિક્ષણ દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં લીધું. 1974થી ’77ના અરસામાં…

વધુ વાંચો >

નૂતન સૌરાષ્ટ્ર

નૂતન સૌરાષ્ટ્ર : સૌરાષ્ટ્રનું નોંધપાત્ર ગુજરાતી દૈનિક વર્તમાનપત્ર. ભારત સ્વતંત્ર થયું તેના એક વર્ષ પછી રજી સપ્ટેમ્બર, 1948ના રોજ જુગતરામ રાવળે રાજકોટમાં તેની સ્થાપના કરી. શ્રી રાવળ મૂળ સિંધ પ્રાંતમાં (જે હાલ પાકિસ્તાનમાં છે) રહેતા અને ત્યાં 1925ના અરસામાં તેઓ ‘સિંધ સમાચાર’ નામે ગુજરાતી સાપ્તાહિક ચલાવતા. આ સાપ્તાહિક 1931માં દૈનિક…

વધુ વાંચો >

પરબ

પરબ : ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર. સપ્ટેમ્બર, 1960માં તેનો ત્રૈમાસિક તરીકે આરંભ. ‘પરબ’નો પ્રથમ અંક ‘કુમાર’ પ્રિન્ટરીમાં છપાયો હતો. પ્રારંભમાં તેના ચાર સંપાદકો હતા. સર્વશ્રી નગીનદાસ પારેખ, નિરંજન ભગત, ભૃગુરાય અંજારિયા તથા યશવંત શુક્લ. કાકાસાહેબ કાલેલકરે ‘પરબ’ને આવકારતાં તેના પ્રથમ અંકમાં બહુ સચોટ રીતે લખ્યું હતું કે ‘ગુજરાતી ભાષાના આરોગ્ય,…

વધુ વાંચો >

પી.ટી.આઈ. (પ્રેસ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા)

પી.ટી.આઈ. (પ્રેસ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા) : ભારતની પ્રમુખ સમાચાર- સંસ્થા. 27-8-1947ના રોજ સરદાર પટેલના સહયોગથી સ્થપાયેલી આ સંસ્થાએ 1 ફેબ્રુઆરી, 1949થી અંગ્રેજીમાં સમાચારો આપવાનો આરંભ કર્યો. તે વખતે આ સંસ્થાનું નામ એ.પી.આઇ. (એસોસિયેટેડ પ્રેસ ઑવ્ ઇન્ડિયા) હતું. દેશભરનાં સમાચાર-પત્રો, સરકારી કચેરીઓ, માહિતીખાતું, રાજ્યપાલનું નિવાસસ્થાન, મુખ્યપ્રધાનનું નિવાસસ્થાન, દૂરદર્શન, આકાશવાણી – આ…

વધુ વાંચો >

પુલિત્ઝર જૉસેફ

પુલિત્ઝર, જૉસેફ : (જ. 10 એપ્રિલ 1847, મૅકો, હંગેરી; અ. 29 ઑક્ટોબર 1911, અમેરિકા) : અખબારી જૂથના માલિક અને વિશ્વપ્રસિદ્ધ પુરસ્કારના પ્રણેતા. 1864માં તે હંગેરીથી સ્થળાંતર કરીને અમેરિકા આવ્યા અને અમેરિકાના લશ્કરમાં જોડાયા. પછીના જ વર્ષે તેમને લશ્કરમાંથી છૂટા કરી દેવાયા અને અકિંચન અવસ્થામાં તે સેંટ લૂઈ ખાતે આવ્યા; ત્યાં…

વધુ વાંચો >

પ્રજાબંધુ

પ્રજાબંધુ : વીતેલા યુગનું પ્રભાવશાળી ગુજરાતી સાપ્તાહિક પત્ર. 6 માર્ચ, 1898ના રોજ ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકનો પ્રારંભ. ભગુભાઈ ફતેહચંદ કારભારીએ લગભગ દોઢ વર્ષ સુધી ‘પ્રજાબંધુ’ના તંત્રીપદે રહી તેનું સંચાલન કર્યું. લેખ લખવાનું, પ્રૂફ સુધારવાનું અને અંક તૈયાર થાય ત્યારે તેને ટપાલમાં પહોંચાડવાનું કામ પણ ભગુભાઈએ જાતે જ કરવું પડતું. આ સાપ્તાહિકમાં શરૂઆતમાં…

વધુ વાંચો >

પ્રતાપ

પ્રતાપ : ગુજરાતી વર્તમાનપત્ર. 1926માં સૂરત ખાતે સાપ્તાહિક રૂપે પ્રારંભ. તંત્રી કાલિદાસ કૃપાશંકર શેલત. પછીથી દૈનિક અને સાપ્તાહિક બંને સ્વરૂપે પ્રગટ થતા રહેલા ‘પ્રતાપ’નો ફેલાવો બહોળો હતો. એની સજાવટમાં, ખાસ કરીને તંત્રીલેખોમાં ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકની છાપ સ્પષ્ટ જણાતી. સ્વાતંત્ર્યસંગ્રામનો સમય હોવાથી ‘પ્રતાપ’ રાષ્ટ્રભાવનાનું સમર્થક હતું. 1961માં ‘પ્રતાપ’નો વહીવટ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના હાથમાં…

વધુ વાંચો >