અમિતાભ મડિયા
ગીમે, મ્યુઝિયમ
ગીમે, મ્યુઝિયમ (Gime Museum) (સ્થાપના : 1889, પૅરિસ, ફ્રાંસ) : ફ્રાંસમાં પૅરિસ ખાતેનું ભારત, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, થાઇલૅન્ડ, મ્યાનમાર, તિબેટ, નેપાળ, કોરિયા અને કમ્બોડિયાની પ્રાચીન કલાનું મ્યુઝિયમ. ફ્રાંસમાં પૅરિસ ખાતે ગીમે મ્યુઝિયમ ભારતીય કળાનો ખજાનો છે. ફ્રાંસના એક ઉદ્યોગપતિ એમીલ ગીમેએ આ મ્યુઝિયમ પૅરિસમાં શરૂ કરવા માટે 1899માં દાન આપ્યું હતું.…
વધુ વાંચો >ગુગનહાઇમ મ્યુઝિયમ (ન્યૂયૉર્ક : 1959)
ગુગનહાઇમ મ્યુઝિયમ (ન્યૂયૉર્ક : 1959) : સૉલોમન ગુગનહાઇમ ફાઉન્ડેશન માટે, ખાસ કરીને ચિત્રોના પ્રદર્શન માટે બાંધવામાં આવેલું સંગ્રહાલય. આ સંગ્રહાલયની રચના વિશ્વવિખ્યાત અમેરિકન સ્થપતિ ફ્રૅન્ક લૉઇડ રાઇટ દ્વારા, એક ભમરિયા આકારના મકાન તરીકે કરવામાં આવેલી છે. તેમાં ભમરિયા ઢાળ પર ઊતરતાં ઊતરતાં વર્તુળાકાર ઊભી કરાયેલ દીવાલો પર ચિત્રો ટાંગવાની વ્યવસ્થા…
વધુ વાંચો >ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)
ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…
વધુ વાંચો >ગુજરાત મ્યુઝિયમ સોસાયટી, સંસ્કાર-કેન્દ્ર, અમદાવાદ
ગુજરાત મ્યુઝિયમ સોસાયટી, સંસ્કાર-કેન્દ્ર, અમદાવાદ : મધ્યયુગીન ભારતના પહાડી, મુઘલ, સલ્તનત, રાજસ્થાની અને ગુજરાતી લઘુચિત્રો ધરાવતા વિશ્વવિખ્યાત ‘નાનાલાલ ચમનલાલ મહેતા સંગ્રહ’નું કાયમી ધોરણે પ્રદર્શન કરતું અમદાવાદ ખાતેનું મ્યુઝિયમ. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ‘સંસ્કાર-કેન્દ્ર’માં આ મ્યુઝિયમનું ઉદઘાટન 1963માં ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું હતું. 1993માં આ મ્યુઝિયમ અમદાવાદના…
વધુ વાંચો >ગુરુન્ગ, નરેન
ગુરુન્ગ, નરેન (જ. 21 જાન્યુઆરી 1957, ચાકુન્ગ, જિ. સોરેન્ગ, સિક્કિમ) : સિક્કિમની તથા નેપાળની સંસ્કૃતિના વિદ્વાન અભ્યાસી, સંગીતકાર (composer), ગાયક, નૃત્યનિયોજક (choreographer) નર્તક (dancer) નાટ્યલેખક અને લોકસાહિત્યના જાણકાર. પશ્ચિમ બંગાળ શિક્ષણ બોર્ડમાંથી 1974માં મૅટ્રિક્યુલેશન પસાર કરી સિક્કિમના પાકયોન્ગ જિલ્લામાં ડીકલિંગ હાઈસ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં શિક્ષક તરીકે કામ શરૂ કર્યું. સિક્કિમની પરંપરાગત…
વધુ વાંચો >ગોયા, ફ્રાંસેસ્કો (Goya, Francesco)
ગોયા, ફ્રાંસેસ્કો (Goya, Francesco) [જ. 30 માર્ચ 1746, ફુન્ડેતોસ, એરાગોન, સ્પેન; અ. 16 એપ્રિલ 1828, બોર્દ્યુ (Borduex), ફ્રાન્સ] : વ્યંગ, કટાક્ષ અને ઉપહાસ દ્વારા સામાજિક, રાજકીય ટીકા કરનાર સ્પૅનિશ રંગદર્શી ચિત્રકાર. ભવ્યતાની અને ઉદાત્તતાની આભા વિના યુદ્ધ, વિજય અને રાજદરબારી જીવનને આલેખવા બદલ ગોયાને બૉદલેર અને આન્દ્રે માલ્રોએ આધુનિકતાનો વૈતાલિક…
વધુ વાંચો >ગ્રોઝ, જ્યૉર્જ
ગ્રોઝ, જ્યૉર્જ (જ. 26 જુલાઈ 1893, બર્લિન, જર્મની; અ. 6 જુલાઈ 1959, બર્લિન, જર્મની) : જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર. 1909માં ડ્રેસ્ડન એકૅડેમી ઑવ્ આર્ટ ખાતે ચિત્રકલાનો અભ્યાસ શરૂ કર્યો, જે 1916 લગી ચાલ્યો. 1916થી 1917 લગી બર્લિન ખાતેની સ્કૂલ ઑવ્ એપ્લાઇડ આર્ટ ખાતે અભ્યાસ કર્યો. 1913માં પૅરિસની યાત્રા કરી ત્યાંની સમકાલીન…
વધુ વાંચો >ચાવડા, શ્યાવક્ષ
ચાવડા, શ્યાવક્ષ (જ. 11 ડિસેમ્બર 1914, નવસારી, ગુજરાત; અ. 18 ઑગસ્ટ 1990, મુંબઈ) : પશુસૃષ્ટિ અને ભારતીય નૃત્યોનાં આલેખનો કરવા માટે જાણીતા આધુનિક ભારતીય ચિત્રકાર. એક પારસી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. રંગોના ઠઠારા વિના પેન્સિલની રેખા કે પીંછીના આછા લસરકાથી જ નૃત્યના લય અને ધબકારને કાગળ પર કેદ કરી શકવાનું…
વધુ વાંચો >જાદવ, છગનલાલ
જાદવ, છગનલાલ (જ. 1903, વાડજ, અમદાવાદ; અ. 12 એપ્રિલ, 1987, અમદાવાદ) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. અત્યંત ગરીબ હરિજન કુટુંબમાં છગનભાઈનો જન્મ થયો હતો. તેમના પિતા વણકર હતા. કોચરબની મ્યુનિસિપલ શાળામાં તેમણે પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. એ વખતની પ્રથા અનુસાર માત્ર નવ વરસની નાની ઉંમરે તેમનાં લગ્ન થયાં હતાં.…
વધુ વાંચો >જાદવ, જોરાવરસિંહ દાનુભાઈ
જાદવ, જોરાવરસિંહ દાનુભાઈ (જ. 10 જાન્યુઆરી 1940, મુ. પો. આકરુ, તા. ધંધૂકા, જિ. અમદાવાદ) : ગુજરાતના વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક અને લોકકલાના પ્રચારક. પિતા દાનુભાઈ રાજપૂત ખેડૂત. ગામડામાં ખેડૂત કુટુંબમાં જનમવાને કારણે બાળપણથી જ લોકસાહિત્ય અને લોકકલાઓનો તલસ્પર્શી અનુભવ હતો. તેઓ 1961માં અમદાવાદની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી અને ઇતિહાસ સાથે…
વધુ વાંચો >