૭.૦૪

ચલમથી ચંદ્રનગર

ચલમ

ચલમ (જ. 18 મે 1894, ચેન્નાઈ; અ. 4 મે 1979, અરુણાચલમ્) : સુપ્રસિદ્ધ તેલુગુ નવલકથાકાર, નાટ્યકાર અને વાર્તાકાર. તેમનું મૂળ નામ વેંકટચલમ્ ગુડિપતિ હતું. તેમનો જન્મ ચેન્નાઈના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ કોમ્મુરી શંભાશિવ અને માતાનું નામ વેંકટ સુબ્બમ્મા હતું. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ તેનાલી અને કાકિનાડામાં લીધા…

વધુ વાંચો >

ચલાવયવતા (tautomerism)

ચલાવયવતા (tautomerism) : કાર્બનિક સંયોજનોના બંધારણીય સમઘટકોનું પ્રત્યાવર્તી અન્યોન્ય આંતરરૂપાંતર (reversible interconversion). આવાં રૂપાંતરણોમાં મોટા ભાગની પ્રક્રિયાઓમાં પ્રોટૉનનું સ્થાનફેર થતું હોવાથી તેને પ્રોટોટ્રૉપી કહે છે. ઍલાઇલિક, વૅગ્નર-મીરવાઇન વગેરે પ્રક્રિયાઓમાં ઋણાયન (anion) સ્થાનફેર થતો હોઈ તેને ઍનાયનોટ્રૉપી કહે છે. આ પુનર્વિન્યાસ પ્રક્રિયાઓ પરિવર્તનશીલ હોવાથી તે ચલાવયવી પુનર્વિન્યાસ કહેવાય છે. અગાઉ થૉર્પ…

વધુ વાંચો >

ચલાળા

ચલાળા : અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું દાના ભગતની જગ્યાને લીધે જાણીતું થયેલ મથક. તે 21° 25’ ઉ. અ. અને 71° 12’ પૂ. રે. ઉપર આવેલું છે. તે ધારીથી 19 કિમી. અને અમરેલીથી 25.75 કિમી. દૂર છે. ખીજડિયા-ધારી-વેરાવળ રેલવે ઉપરનું સ્ટેશન છે અને બસવ્યવહાર દ્વારા અમરેલી, બગસરા, ધારી, રાજુલા અને જાફરાબાદ…

વધુ વાંચો >

ચલીહા, બિમલાપ્રસાદ

ચલીહા, બિમલાપ્રસાદ (જ. 26 માર્ચ 1912, શિવસાગર; અ. 8 ફેબ્રુઆરી 1971, ગુવાહાટી) : અસમના અગ્રણી રાજનીતિજ્ઞ તથા સ્વાધીનતાસેનાની. પિતા કાલીપ્રસાદ જાણીતા વકીલ તથા ચાના બગીચાના માલિક. શિક્ષણ વતનમાં તથા કોલકાતામાં. આઝાદીની લડતમાં સક્રિય બનતાં શિક્ષણ પડતું મૂક્યું. સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લેવા બદલ કારાવાસ ભોગવ્યો (1921). સ્વયંચાલિત ચરખાની શોધ કરી;…

વધુ વાંચો >

ચલીહા, સૌરભકુમાર

ચલીહા, સૌરભકુમાર (જ. 1930, ગુવાહાટી; અ. 25 જૂન 2011, ગુવાહાટી) : વીસમી સદીના ઉત્તરાર્ધના પ્રસિદ્ધ અસમિયા વાર્તાકાર. તેમનું મૂળ નામ સુરેન્દ્રનાથ મેધિ હતું. ‘ચલીહા સૌરભકુમાર’ તેમનું તખલ્લુસ છે. તેમણે ગુવાહાટીની કૉટન કૉલેજમાંથી 1950માં ભૌતિકશાસ્ત્ર સાથે બી.એસસી.ની ડિગ્રી ઑનર્સ સાથે અને ત્યારબાદ લંડન યુનિવર્સિટીમાંથી એમ.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે અસમ ઇજનેરી…

વધુ વાંચો >

ચવક

ચવક : આયુર્વેદિક ઔષધિ. સં. चविका, चव्य; હિં. चवक; લૅ. Piper chaba. ચવકમાં પીપરીમૂળ જેવા કફવાત-દોષશામક, પિત્તવર્ધક, દીપન, પાચન, વાતાનુલોમન, યકૃદુત્તેજક, કૃમિઘ્ન તથા હરસનાશક જેવા ખાસ ગુણ છે. તે અરુચિ, અગ્નિમાંદ્ય, અજીર્ણ, ઝાડા, ઉદરરોગ, કિડની(વૃક્ક)ના રોગો, ઉધરસ, શ્વાસ, જૂની શરદી, જળોદર, ઊલટી, કફજ પ્રમેહ, મેદરોગ, સંગ્રહણી, ક્ષય તથા મદ્યવિકારને મટાડે…

વધુ વાંચો >

ચવાણ, યશવંતરાવ બળવંતરાવ

ચવાણ, યશવંતરાવ બળવંતરાવ (જ. 12 માર્ચ 1914, દેવરાષ્ટ્રે, જિલ્લો સાતારા; અ. 25 નવેમ્બર 1984, નવી દિલ્હી) : મહારાષ્ટ્રના અગ્રણી મુત્સદ્દી, રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી (1960) તથા ભારતના સંરક્ષણપ્રધાન. સામાન્ય ખેડૂત કુટુંબમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ કરાડમાં લીધું. ઉચ્ચ શિક્ષણ કોલ્હાપુર તથા પુણેમાં લીધું. બી.એ.; એલએલ.બી. સુધી અભ્યાસ કર્યો. 1930માં સવિનય કાનૂનભંગની ચળવળ…

વધુ વાંચો >

ચશ્માં

ચશ્માં : ચશ્માંનો ઇતિહાસ ઘણો જૂનો છે. ઈ. સ. 150માં કલાડિઅસ ટૉલેમસે ગ્રીક અને રોમન લોકોને કાચના વાસણમાં પાણી ભરીને એ વાસણનો ઉપયોગ પદાર્થને મોટો કરીને જોવામાં થતો હોવાનું નોંધ્યું છે. 1270માં માર્કો પોલોએ ચીનના લોકો દૃષ્ટિ સુધારવા માટે દૃગકાચનો ઉપયોગ કરતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારથી પ્રથમ બહિર્ગોળ કાચનો…

વધુ વાંચો >

ચહલ, યજુવેન્દ્રસિંહ

ચહલ, યજુવેન્દ્રસિંહ (જ. 23 જુલાઈ 1990, જીંદ, હરિયાણા) : જમણેરી લેગસ્પીનર યજુવેન્દ્રસિંહ ભારતનો એક માત્ર એવો ખેલાડી છે જેણે ચેસ અને ક્રિકેટ બંનેમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. 16 વર્ષથી નાની વયના ખેલાડીઓ માટે રમાતી વિશ્વ યુવા ચૅમ્પિયનશિપમાં તેણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યારબાદ ચેસ માટે સ્પોન્સરર ન મળતાં…

વધુ વાંચો >

ચહેરાનો વિપત્તિકારક ચેપ

ચહેરાનો વિપત્તિકારક ચેપ : ચહેરા પર લાગતો જોખમી ચેપ. ચહેરામાં લોહીનું પરિભ્રમણ પુષ્કળ હોય છે. વળી નાકના ટેરવા અને હોઠોની આસપાસના ભાગમાંની શિરાઓ (veins) ચહેરાના સ્નાયુઓ તથા નેત્રકોટર(orbit)માંની નસો સાથે જોડાયેલી હોય છે અને તે દ્વારા ચહેરો ખોપરીની અંદર મગજની આસપાસ આવેલી શિરાઓ સાથે પણ જોડાણ ધરાવે છે. મગજની નીચલી…

વધુ વાંચો >

ચંદ્રગોમી

Jan 4, 1996

ચંદ્રગોમી : બૌદ્ધ વૈયાકરણ. મ. મ. હરપ્રસાદ શાસ્ત્રીએ નેપાળમાંથી તેમના વ્યાકરણની હસ્તપ્રત મેળવી હતી (1356). જર્મન વિદ્વાન બ્રૂનો લિબીએ ટિબેટી અનુવાદ ઉપરથી તેનું પુનર્ગ્રથન કરી તેને લાઇપ્ત્સિકથી પ્રસિદ્ધ કર્યું હતું (1902). એમના વ્યાકરણમાં સંજ્ઞાનું સ્વતંત્ર પ્રકરણ ન હોવાથી અને પાણિનિએ સૂત્રમાં જ્યાં જ્યાં ‘સંજ્ઞા’ શબ્દ વાપર્યો છે ત્યાં ત્યાં તેમણે…

વધુ વાંચો >

ચંદ્ર, ચંદ્રગર્ત, ચંદ્રકલંક (moon, moon craters, maria)

Jan 4, 1996

ચંદ્ર, ચંદ્રગર્ત, ચંદ્રકલંક (moon, moon craters, maria) : ચંદ્ર : પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ. વાયુ-રૂપ દ્રવ્યના સ્વતંત્ર ઘનીભવન(condensation)થી ચંદ્રની ઉત્પત્તિ થઈ હોય તેવો એક મત છે અને પછીથી પૃથ્વી વડે પ્રગ્રહણ પામ્યો હોય. પૃથ્વી સાથે જ દ્રવ્યનું ઘનીભવન થયું હોય અને પછી વિભાજનને કારણે ચંદ્ર પૃથ્વીમાંથી છૂટો પડ્યો હોય તેવો બીજો…

વધુ વાંચો >

ચંદ્રચૂડ ધનંજય

Jan 4, 1996

ચંદ્રચૂડ ધનંજય (જ. 11 નવેમ્બર  1959, મુંબઈ, મહારાષ્ટ્ર) :  ભારતના  50મા મુખ્ય ન્યાયાધીશ. માતા પ્રભા ચંદ્રચૂડ શાસ્ત્રીય સંગીતમાં માહિર હતાં. પિતા યશવંત ચંદ્રચૂડ કાનૂનના મહારથી. ધનંજય ચંદ્રચૂડે મુંબઈના કેથેડ્રેલ અને જ્હોન કેનન શાળામાંથી પ્રારંભિક શિક્ષણ મેળવ્યું. દિલ્હીસ્થિત સેન્ટ કોલંબિયા સ્કૂલમાં અભ્યાસ આગળ વધાર્યો. ત્યાર બાદ ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરવા માટે  દિલ્હીની…

વધુ વાંચો >

ચંદ્રચૂડ, યશવંત વિષ્ણુ

Jan 4, 1996

ચંદ્રચૂડ, યશવંત વિષ્ણુ (જ. 12 જુલાઈ 1920, પુણે, મહારાષ્ટ્ર; અ. 14 જુલાઈ 2008, મુંબઈ, મહારાષ્ટ્ર) : ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (1978–1985) તથા ઇન્ડિયન લૉ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ. પ્રાથમિક, માધ્યમિક અને બી.એ.; એલએલ.બી. સુધીનું ઉચ્ચ શિક્ષણ પુણે ખાતે. કાયદાશાખાની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન સાથે તેમને સુવર્ણચંદ્રક અને સ્પેન્સર પ્રાઇઝ…

વધુ વાંચો >

ચંદ્ર તિથિપત્ર (lunar calendar)

Jan 4, 1996

ચંદ્ર તિથિપત્ર (lunar calendar) : ચંદ્રની ગતિસ્થિતિનાં નિરીક્ષણો પરથી તારવેલા નિયમોને આધારે રચવામાં આવેલું પંચાંગ. સંસ્કૃતિના છેક ઉદગમથી ચંદ્ર અને સૂર્યનો સમયમાપક તરીકે ઉપયોગ થતો આવ્યો છે; પરંતુ સૂર્યની અપેક્ષાએ ચંદ્રની ગતિ તદ્દન અનિયમિત અને વિષમ છે. તેથી ચંદ્રનો સમયમાપક તરીકે ઉપયોગ પ્રમાણમાં અગવડભર્યો છે. ચંદ્રની ગતિ કેટલી અગવડભરી છે…

વધુ વાંચો >

ચંદ્રનગર

Jan 4, 1996

ચંદ્રનગર : પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં આવેલું ભૂતપૂર્વ ફ્રેન્ચ સંસ્થાન. તે કૉલકાતાથી 35 કિમી. દૂર છે અને પૂર્વ રેલવેના હુગલી–હાવરા માર્ગ ઉપર આવેલું છે. કોલકાતા સાથે તે રેલ તથા સડકમાર્ગ દ્વારા જોડાયેલું છે. 1673માં ફ્રેન્ચોએ અહીં તેમની વેપારી કોઠી નાખી વસવાટ કર્યો હતો. 1688માં ઔરંગઝેબે તેમને કાયમી વસવાટ માટે પરવાનગી…

વધુ વાંચો >