૩.૦૩
ઉત્ખનનથી ઉત્પાદન
ઉત્પાદકતા (productivity) (વનસ્પતિશાસ્ત્ર)
ઉત્પાદકતા (productivity) (વનસ્પતિશાસ્ત્ર) : એકમ ક્ષેત્રફળ અને એકમ સમયમાં સજીવો દ્વારા થતું ઉત્પાદન. ઉત્પાદન-પરિસ્થિતિવિજ્ઞાન (production-ecology) લીલી વનસ્પતિઓ, તૃણાહારીઓ (herbivorous) અને માંસાહારીઓ (carnivorous) દ્વારા થતી ઉત્પાદનલક્ષી પ્રક્રિયાઓ અને ઉત્પાદકતા સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. આ પ્રકારનો અભ્યાસ સંપદાઓ(resources)ના પ્રબંધમાં મૂળભૂત અગત્ય ધરાવે છે. માનવ-કલ્યાણ અર્થે નવપ્રસ્થાન પામેલા ઇન્ટરનૅશનલ બાયૉલૉજિકલ પ્રોગ્રામ (IBP) દ્વારા…
વધુ વાંચો >ઉત્પાદક વાયુ
ઉત્પાદક વાયુ : જુઓ ઈંધનો.
વધુ વાંચો >ઉત્પાદકો
ઉત્પાદકો : જુઓ નિવસનતંત્ર.
વધુ વાંચો >ઉત્પાદન (અર્થશાસ્ત્ર)
ઉત્પાદન (અર્થશાસ્ત્ર) : પ્રકૃતિએ બક્ષેલા પદાર્થોમાં માનવજરૂરિયાત સંતોષી શકે તેવા તુષ્ટિગુણનું સંવર્ધન કરવાની પ્રક્રિયા. ઉત્પાદન દ્વારા કોઈ નવી વસ્તુનું સર્જન થતું કે થઈ શકતું નથી. વૈજ્ઞાનિક ર્દષ્ટિએ વિચારીએ તો માનવ ન તો કોઈ નવી વસ્તુનું સર્જન કરી શકે છે, ન તો કોઈ વસ્તુનો નાશ કરવાની શક્તિ ધરાવે છે. અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ…
વધુ વાંચો >ઉત્પાદન
ઉત્પાદન (યાંત્રિક ઇજનેરી) : જુઓ ઔદ્યોગિક ઇજનેરી.
વધુ વાંચો >ઉત્ખનન
ઉત્ખનન : અતીતની જ્ઞાનપ્રાપ્તિ માટે દ્રવ્યગત સાધનોનો ઉપયોગ દર્શાવતી પુરાતત્વની મુખ્ય પદ્ધતિ. પુરાવસ્તુઓ આકસ્મિક રીતે અથવા વ્યવસ્થિત તપાસ દ્વારા મળે છે. તેની મદદથી શક્ય તેટલું માનવીય પ્રવૃત્તિનું તથા નૈસર્ગિક પરિસ્થિતિનું જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયાનાં બે અંગો છે : સર્વેક્ષણ અને ઉત્ખનન. સર્વેક્ષણથી પુરાવસ્તુઓનાં પ્રાપ્તિસ્થાનો શોધીને તે સ્થળે દેખાતી વિવિધ માનવકૃત…
વધુ વાંચો >ઉત્તમ આસન જેઠાનંદ (1923)
ઉત્તમ આસન જેઠાનંદ (જ. 16 નવેમ્બર 1923, હૈદરાબાદ, સિંધ (પાકિસ્તાન) અ. 3 જાન્યુઆરી 2005) : આધુનિક સિંધી લેખક. જન્મસ્થળ હૈદરાબાદ (સિંધ). તેઓ જાતે જ સિંધી સાહિત્યની જંગમ સંસ્થા જેવા છે. સિંધીમાં પ્રગતિવાદી ધારાના પ્રવર્તક છે. 1965 અને 1970માં તેમને સોવિયેત લૅન્ડ નહેરુ શાંતિ પારિતોષિકો એનાયત થયાં હતાં. નિબંધ, વિવેચન, સંશોધન…
વધુ વાંચો >ઉત્તમકુમાર (ચટ્ટોપાધ્યાય)
ઉત્તમકુમાર (ચટ્ટોપાધ્યાય) (જ. 3 સપ્ટેમ્બર 1926, કોલકાતા; અ. 24 જુલાઈ 1980 ભવાનીપુર, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : બંગાળી ચલચિત્રના લોકપ્રિય અભિનેતા. પૂરું નામ ઉત્તમકુમાર ચટ્ટોપાધ્યાય. નિશાળમાં હતા ત્યારથી જ એમને નાટક ભજવવાનો શોખ અને માત્ર દસ વર્ષની ઉંમરે ‘ગયાસુર’ નાટકમાં અભિનય માટે તેમને ચંદ્રક મળ્યો હતો. 1944ની સાલમાં કોલકાતા પૉર્ટ કમિશનરની…
વધુ વાંચો >ઉત્તમચંદાની, સુંદરી
ઉત્તમચંદાની, સુંદરી [જ. 28 સપ્ટેમ્બર 1924, હૈદરાબાદ, સિંધ (હવે પાકિસ્તાનમાં) અ. 8 જુલાઈ 2013 મુંબઈ, મહારાષ્ટ્ર] : સિંધી લેખિકા. તેમણે ઘણું સાહિત્યસર્જન કર્યું છે તેમાં તેમની પ્રગતિશીલ વિચારસરણી ઊપસી આવે છે. શાળાકીય શિક્ષણ હૈદરાબાદમાં લીધું; ભાગલા પછી મુંબઈ આવીને સ્થાયી થયાં. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી અને પછી શિક્ષિકા તરીકેની…
વધુ વાંચો >ઉત્તમ ચાડિયો (1800ની આસપાસ)
ઉત્તમ ચાડિયો (1800ની આસપાસ) : અમદાવાદમાં પેશવાઈ સૂબેદાર રઘુનાથ રામચંદ્રના સમયનો અગ્રણી ચાડિયો. સૂબો કાચા કાનનો હોઈ તેના સમયમાં ચાડિયાઓની ખટપટ ખૂબ વધી હતી. ચાડિયાઓની બાતમી પરથી તે લોકો પાસેથી પૈસા કઢાવતો. આમાં આગેવાન ઉત્તમ અથવા ઓતિયા નામે ચાડિયાએ સદુબા નામે એક બારોટ બાઈ ઉપર વ્યભિચારનો આરોપ મૂકી એને સૂબેદાર…
વધુ વાંચો >ઉત્તર કન્નડ
ઉત્તર કન્નડ : દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યનો જિલ્લો. 1956 સુધી તે ભૂતપૂર્વ મુંબઈ રાજ્યનો જિલ્લો હતો ત્યારે તે કનારા (Canara) નામથી ઓળખાતો. તેનો વિસ્તાર 10,291 ચોરસ કિમી. તથા વસ્તી 15 લાખ (2011) છે. રાજ્યના પશ્ચિમે આવેલા આ જિલ્લાના પૂર્વ તરફ પશ્ચિમ ઘાટનો પ્રદેશ તથા પશ્ચિમ તરફ અરબી સમુદ્રના દરિયાકાંઠાની સાંકડી…
વધુ વાંચો >ઉત્તરકાલીન ગુપ્ત વંશ
ઉત્તરકાલીન ગુપ્ત વંશ : છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં મગધમાં સત્તા પર આવેલો રાજવંશ. મગધમાં ગુપ્ત વંશના સમ્રાટોની સત્તાનો હ્રાસ થયો ત્યારે ત્યાં એક અન્ય ગુપ્તકુલની સત્તા પ્રવર્તી. આ ઉત્તરકાલીન ગુપ્ત વંશના પહેલા ત્રણ રાજા – કૃષ્ણગુપ્ત, હર્ષગુપ્ત અને જીવિતગુપ્ત છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં થયા. જીવિતગુપ્તના પુત્ર કુમારગુપ્તે મૌખરિ રાજા ઈશાનવર્માને પરાજિત કર્યો.…
વધુ વાંચો >ઉત્તરકાશી
ઉત્તરકાશી : ઉત્તરાખંડ રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો, જિલ્લામથક તથા પવિત્ર યાત્રાધામ. ઉત્તરકાશીનો અલગ જિલ્લો થયો તે પહેલાં તે ટેહરી જિલ્લામાં ગણાતું. તે 30o 40′ ઉ. અ. અને 78o 27′ પૂ. રે.ની આજુબાજુનો 7,951 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં યમનોત્રી, ઈશાનમાં ગંગોત્રી, પૂર્વ તરફ કેદારનાથ, દક્ષિણ તરફ…
વધુ વાંચો >ઉત્તરકુરુ જાતિ
ઉત્તરકુરુ જાતિ : જુઓ વૈદિક જાતિ.
વધુ વાંચો >ઉત્તરકુરુ પ્રદેશ
ઉત્તરકુરુ પ્રદેશ : વેદમાં નિર્દિષ્ટ પ્રદેશ. તેનો ઉલ્લેખ ઐતરેય બ્રાહ્મણ 8-14-4માં આવે છે. તેમાં તેને હિમાલયની પેલી પાર આવેલા પ્રદેશ તરીકે ઓળખાવાયો છે. પછીના ઇતિહાસ, પુરાણો તથા બીજાં સાહિત્યમાં ઉત્તરકુરુ અને ત્યાંના રહેવાસીઓ-ઉત્તરકુરુ-નું વર્ણન પુરાકલ્પનવાળું લાગે છે, પરંતુ ઐતરેય બ્રાહ્મણમાં ઉત્તરકુરુ ઐતિહાસિક લાગે છે. એક બીજા ખંડમાં વસિષ્ઠસાત્યહવ્યે ઉત્તરકુરુને ‘દેવક્ષેત્ર’…
વધુ વાંચો >