૨૨.૧૯

સંકલ્પસ્વાતંત્ર્યથી સંગીતક

સંગારેડ્ડી

સંગારેડ્ડી : આંધ્રપ્રદેશના મેડક જિલ્લાનું વડું વહીવટી મથક. તે સંગારેડ્ડીપેટ તરીકે પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 17° 38´ ઉ. અ. અને 78° 07´ પૂ. રે. પર જિલ્લાના દક્ષિણ ભાગમાં દખ્ખણના ઉચ્ચપ્રદેશ ખાતે મંજીરા નદીકાંઠે વસેલું છે. આ નગરનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિપેદાશો પર આધારિત છે. અહીંના આજુબાજુના વિસ્તારમાં ડાંગર,…

વધુ વાંચો >

સંગીતક

સંગીતક : જુઓ ઓપેરા.

વધુ વાંચો >

સંકલ્પસ્વાતંત્ર્ય

Jan 19, 2007

સંકલ્પસ્વાતંત્ર્ય : સંકલ્પસ્વાતંત્ર્ય વિરુદ્ધ નિયતિવાદની સમસ્યા તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં ખૂબ જ વિવાદાસ્પદ બની રહેલી છે. ન્યૂટનના ભૌતિક વિજ્ઞાનની અસર હેઠળ આધુનિક વિજ્ઞાન પ્રકૃતિની હેતુવાદી સમજૂતી આપવાને બદલે યંત્રવાદી સમજૂતી આપે છે. યંત્રવાદ, ભૌતિકવાદ, કાર્ય-કારણ પર આધારિત નિયતિવાદ અને પ્રકૃતિવાદ  – આ બધા મતો સામાન્ય રીતે મનુષ્યને પણ એક યંત્ર માનીને તેનો…

વધુ વાંચો >

સંકીર્ણ આયનો (complex ions)

Jan 19, 2007

સંકીર્ણ આયનો (complex ions) : ધનાયન કે કેટાયન (cation) તરીકે ઓળખાતા એકકેન્દ્રીય (central) ધાતુ-આયન અને હેલાઇડ કે સાયનાઇડ જેવા ઋણાયનો (anions) અથવા એમોનિયા કે પીરિડીન જેવા તટસ્થ અણુઓ (Ligand) વચ્ચે દાતા-સ્વીકારક (donor acceptor) પ્રકારની આંતરપ્રક્રિયાઓ(inter-actions)ને કારણે ઉદ્ભવતાં આયનો. આમ સંકીર્ણ આયન એ અલગ અસ્તિત્વ ધરાવી શકે તેવાં બે અથવા વધુ…

વધુ વાંચો >

સંકેતગ્રહ

Jan 19, 2007

સંકેતગ્રહ : સંસ્કૃત શબ્દશાસ્ત્રનો એક સિદ્ધાંત. શબ્દમાં રહેલી શક્તિ અથવા સંકેત વડે શબ્દમાંથી અર્થનું જે જ્ઞાન થાય તેનું નામ સંકેતગ્રહ. એ સંકેતગ્રહ આઠ રીતે થાય છે : (1) વ્યાકરણ વડે થતો સંકેતગ્રહ અથવા સંકેતજ્ઞાન; જેમ કે  ‘શરીર’ પરથી બનેલા ‘શારીરિક’ એ શબ્દનો અર્થ વ્યાકરણના તદ્ધિત પ્રત્યય વડે થયેલો જણાય છે.…

વધુ વાંચો >

સંકેન્દ્રણ (segregation)

Jan 19, 2007

સંકેન્દ્રણ (segregation) : અમુક ચોક્કસ ખનિજીય બંધારણ ધરાવતા ખડકમાં કોઈ એક ખનિજ-જૂથનું અમુક ભાગ પૂરતું સ્થાનિક સંકેન્દ્રણ. ઉદાહરણો : (1) જળકૃત ખડકો : રેતીખડક જેવા જળકૃત-કણજન્ય ખડકમાં મૅગ્નેટાઇટ જેવાં ભારે ખનિજોનાં વીક્ષ (lenses) કે દોરીઓ હોય, કોઈકમાં ચૂનેદાર ગઠ્ઠાઓ હોય. (2) અગ્નિકૃત ખડકો : અગ્નિકૃત ખડકદળના કોઈ એક ભાગમાં સ્ફટિકીકરણની…

વધુ વાંચો >

સંક્રમણ (સંક્રાંતિ)

Jan 19, 2007

સંક્રમણ (સંક્રાંતિ) : સૂર્યનો કોઈ નિશ્ચિત રાશિમાં પ્રવેશ. જ્યોતિષશાસ્ત્રમાં સામાન્ય રીતે ‘સંક્રમણ’ શબ્દ સૂર્યના કોઈ નિશ્ચિત રાશિપ્રવેશના સંદર્ભમાં વપરાય છે; જેમ કે સૂર્ય જ્યારે મકરરાશિના વિસ્તારમાં પ્રવેશે ત્યારે મકરસંક્રાંતિ થઈ ગણાય અને જ્યાં સુધી સૂર્ય મકરરાશિના વિસ્તારમાં હોય ત્યાં સુધી તે મકરસંક્રમણ કરતો કહેવાય. આકાશમાં ‘ક્રાંતિવૃત્ત’ એટલે કે રવિમાર્ગ(ecliptic circle)ના…

વધુ વાંચો >

સંક્રામક રોગની વસ્તીરોગવિદ્યા (epidemiology of communicable diseases)

Jan 19, 2007

સંક્રામક રોગની વસ્તીરોગવિદ્યા (epidemiology of communicable diseases) : માનવવસ્તીમાં થતો રોગચાળો અને તેને અટકાવવા માટેનું વૈદ્યકીય શાખાનું પાયાનું વિજ્ઞાન. તેના દ્વારા રોગોનો ફેલાવો, તેનું નિયંત્રણ તેમજ માનવસ્વાસ્થ્ય અને જાહેર આરોગ્ય વિશેની જાણકારી મેળવવામાં આવે છે અને તેની મારફત સાવચેતીનાં પગલાં લેવામાં આવે છે. આ વિદ્યાશાખાને અંગ્રેજીમાં epidemiology કહે છે, જેનો…

વધુ વાંચો >

સંક્રામી મૂલ્ય (હસ્તાંતર કિંમત – transfer price)

Jan 19, 2007

સંક્રામી મૂલ્ય (હસ્તાંતર કિંમત – transfer price) : વિશાળ ઉત્પાદક પેઢીના જુદા જુદા અર્ધ-સ્વાયત્ત વિભાગોમાં એકબીજા સાથેના વ્યવહારોમાં ઉપયોગમાં લેવાતી બજારકિંમતથી ભિન્ન આંતરિક કિંમત. ઔદ્યોગિક ક્ષેત્રે એકબીજાને પૂરક એવો માલ કે સેવા તૈયાર કરતી કંપનીઓનાં જૂથો હોય છે. આ બધી કંપનીઓ પરસ્પર માટે સાથી કંપનીઓથી ઓળખાય છે. કોઈ એક કંપનીની…

વધુ વાંચો >

સંક્રાંતિ-તત્ત્વો (transition elements)

Jan 19, 2007

સંક્રાંતિ–તત્ત્વો (transition elements) : આવર્તક કોષ્ટક(periodic table)માં આલ્કલાઇન મૃદા (alkaline earth) ધાતુઓ પછી આવેલ અને 3d, 4d અને 5d જેવા અંતરતમ (inner) કવચો(shells)ના ભરાવાથી ઉદ્ભવતાં તત્ત્વોની ત્રણ શ્રેઢીઓ (series). સંક્રાંતિ-તત્ત્વો 10 તત્ત્વોની એક એવી ત્રણ હાર (rows) અને એક ચોથી અધૂરી ભરાયેલી હાર ધરાવે છે. આ તત્ત્વોને d-બ્લૉક(d-block)-તત્ત્વો તરીકે પણ…

વધુ વાંચો >

સંક્ષિપ્તસાર

Jan 19, 2007

સંક્ષિપ્તસાર : 12મા-13મા શતકમાં થઈ ગયેલા વૈયાકરણ ક્રમદીશ્વરે રચેલો સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણનો ગ્રંથ. આચાર્ય હેમચન્દ્રના ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ની જેમ આમાં પણ આઠમા અધ્યાયમાં પ્રાકૃત વ્યાકરણ આપ્યું છે અને ઉચિત રીતે જ તે અધ્યાયને ‘પ્રાકૃતપાદ’ એવું નામ આપ્યું છે. પરંતુ બાકીની સામગ્રીની સજાવટ, પારિભાષિક શબ્દોનાં નામ આદિમાં ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ સાથે કોઈ સામ્ય નથી. આ વ્યાકરણગ્રંથ…

વધુ વાંચો >

સંખેડા

Jan 19, 2007

સંખેડા : ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 22° 10´ ઉ. અ. અને 73° 35´ પૂ. રે.. સંખેડા વડોદરાથી આશરે 47 કિમી. અને ડભોઈથી આશરે 20 કિમી. દૂર આવેલું છે. આ તાલુકાની ઉત્તર તરફ પંચમહાલ જિલ્લાની સીમા, પૂર્વ તરફ છોટાઉદેપુર અને નસવાડી,…

વધુ વાંચો >