શ્વસન (વનસ્પતિશાસ્ત્ર)

શ્વસન (વનસ્પતિશાસ્ત્ર) સજીવની અગત્યની દેહધાર્મિક ક્રિયા. પ્રકાશસંશ્લેષણની જેમ તે એક મહત્વની શક્તિવિનિમયની પ્રક્રિયા છે. જીવંત કોષમાં શ્વસન-ઉત્સેચકોની મદદ વડે કાર્બનિક પોષક તત્વો(વધારે સ્થિતિશક્તિ ધરાવતા પદાર્થો; દા.ત., ગ્લુકોઝ)નું જૈવિક ઑક્સિડેશન થાય છે. આ દરમિયાન વીજાણુપ્રવાહ-સ્વરૂપે મુક્ત થતી ગતિશક્તિનો ATP જેવાં શક્તિસભર સંયોજનોના નિર્માણમાં ઉપયોગ થાય છે. વધારાની નીપજ તરીકે અકાર્બનિક પદાર્થો…

વધુ વાંચો >

શ્વાઇન્ગર, જુલિયન

શ્વાઇન્ગર, જુલિયન (જ. 12 ફેબ્રુઆરી 1918, ન્યૂયૉર્ક સિટી; અ. 16 ઑગસ્ટ 1994) : ભૌતિકવિજ્ઞાનમાં પ્રાથમિક કણોના મૂળ સુધી લઈ જતા તેમના ક્વૉન્ટમ ઇલેક્ટ્રૉનડાઇનૅમિક્સના મૂળભૂત કાર્ય બદલ જાપાની વિજ્ઞાની ટોમોનાગા અને અમેરિકન વિજ્ઞાની રિચાર્ડ ફીનમૅનની ભાગીદારીમાં વર્ષ 1965નો નોબેલ પુરસ્કાર પ્રાપ્તકર્તા અમેરિકન ભૌતિકવિજ્ઞાની. નાનપણથી ભૌતિકવિજ્ઞાનમાં અપૂર્વ રસને કારણે, પહેલેથી જ તેમની…

વધુ વાંચો >

શ્વાન થિયૉડોર

શ્વાન થિયૉડોર (જ. 1810; અ. 1882) : કોષસિદ્ધાંત(cell theory)નું પ્રતિપાદન કરનાર એક પ્રમુખ જર્મન દેહધર્મવિજ્ઞાની (physio-logist). બ્રિટિશ વિજ્ઞાની રૉબર્ટ હૂકે ઈ.સ. 1665માં બૂચ(cork)નો પાતળો ટુકડો કરી તેને પોતે બનાવેલ સૂક્ષ્મદર્શકની નીચે નિહાળ્યું. તેણે જોયું કે આ ટુકડો અનેક ખાના(compartments)નો બનેલો છે અને તેની ફરતે એક દીવાલ આવેલી છે. આ ખાનાના…

વધુ વાંચો >

શ્વાનમુખી

શ્વાનમુખી : દ્વિદળી વર્ગમાં આવેલ સ્ક્રોફ્યુલારિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Antirrhinum majus Linn. (ગુ. શ્વાનમુખી, અં. સ્નેપડ્રૅગન) છે. રાતો આગિયો, કલ્હાર, રસીલી, કડુ વગેરે તેના સહસભ્યો છે. ઍન્ટિર્હિનમ પ્રજાતિ એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય જાતિઓ ધરાવે છે અને તેનું વિતરણ ઉત્તર ગોળાર્ધમાં તેમજ મુખ્યત્વે ઉત્તર અમેરિકામાં પુષ્કળ પ્રમાણમાં થયેલું…

વધુ વાંચો >

શ્વામરડૅમ યાન (Swammerdam Jan)

શ્વામરડૅમ યાન (Swammerdam Jan) (જ. 12 ફેબ્રુઆરી 1637, ઍમસ્ટરડૅમ; અ. 15 ફેબ્રુઆરી 1680, ઍમસ્ટરડૅમ) : ડચ પ્રકૃતિવિદ. તેમના જમાનામાં સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા સૂક્ષ્મ પદાર્થોનો ચીવટભર્યો અભ્યાસ કરવા માટે જાણીતા હતા. રક્તકણોનું નિરીક્ષણ અને વર્ણન કરનાર તેઓ પ્રથમ હતા (1658). સૂક્ષ્મ પદાર્થોના સંશોધનક્ષેત્રમાં તેમને એટલો બધો રસ જાગ્યો કે તબીબીનો અભ્યાસ…

વધુ વાંચો >

શ્વાર્ઝસ્ચાઇલ્ડ ત્રિજ્યા (Schwarzschild radius)

શ્વાર્ઝસ્ચાઇલ્ડ ત્રિજ્યા (Schwarzschild radius) : એવું અંતર કે જેના કરતાં ઓછા અંતરે કણો વચ્ચેના ગુરુત્વબળથી અપ્રતિવર્તી (irreversible) ગુરુત્વ નિપાતભંજન (collapse) સર્જાય. આથી શ્વાર્ઝસ્ચાઇલ્ડ ત્રિજ્યા એ ગુરુત્વાકર્ષી (gravitational) ત્રિજ્યા છે. આ ઘટનાને વધુ દળદાર તારકોના અંતિમ ભાગ્ય તરીકે વિચારી શકાય. M દળના પદાર્થની ગુરુત્વાકર્ષી ત્રિજ્યા (Rg) નીચેના સૂત્રથી મળે છે :…

વધુ વાંચો >

શ્વાસ (ચલચિત્ર)

શ્વાસ (ચલચિત્ર) : વર્ષ 2004ના સર્વોત્કૃષ્ટ કથાચિત્ર માટેના રાષ્ટ્રપતિ-ચંદ્રકનું વિજેતા મરાઠી ચલચિત્ર. અંગ્રેજી સિવાયની ભાષાઓ(foreign films category)માં વિશ્વસ્તરે નિર્માણ થયેલાં ચલચિત્રોની શ્રેણીમાં ઑસ્કર પારિતોષિક-સ્પર્ધા માટે ભારતીય ચલચિત્રોમાંથી તેની પસંદગી (nomination) થઈ હતી. નિર્માણ-વર્ષ : 2004. નિર્માતા : અરુણ નલવડે. ચલચિત્રની ભાષા : મરાઠી. દિગ્દર્શક : સંદીપ સાવંત. મુખ્ય ભૂમિકા :…

વધુ વાંચો >

શ્વાસકાસચિંતામણિરસ

શ્વાસકાસચિંતામણિરસ : આયુર્વેદિક ઔષધ. નિર્માણવિધિ : શુદ્ધ પારદ 1 ભાગ, સુવર્ણમાક્ષિક 1 ભાગ, સુવર્ણભસ્મ 1 ભાગ, મોતીભસ્મ ભાગ, શુદ્ધ ગંધક 2 ભાગ, અભ્રકભસ્મ 2 ભાગ અને લોહભસ્મ 4 ભાગ લેવામાં આવે છે. ભાવના : ભોરિંગણીનો સ્વરસ, બકરીનું દૂધ, યદૃષ્ટિ મધુનો ક્વાથ અને નાગરવેલનાં પાનના રસની વારાફરતી 77 ભાવનાઓ દેવાય છે.…

વધુ વાંચો >

શ્વાસકુઠારરસ (આયુર્વેદિક ઔષધિ)

શ્વાસકુઠારરસ (આયુર્વેદિક ઔષધિ) : નિર્માણવિધિ : શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, ટંકણખાર અને મન:શિલ 10-10 ગ્રામ, કાળાં મરી 80 ગ્રામ લેવામાં આવે છે. પ્રથમ ખરલમાં પારો અને ગંધક એકત્ર કરી ઘૂંટીને તેની કજ્જલી બનાવી લેવાય છે. પછી તેમાં વછનાગ, ટંકણખાર અને મરી વારાફરતી મેળવતાં જઈ ઘૂંટવામાં આવે છે. પછી…

વધુ વાંચો >

શ્વાસરોગ (આયુર્વેદ દૃષ્ટિએ)

શ્વાસરોગ (આયુર્વેદ દૃષ્ટિએ) : દમ રોગ. આ રોગને પ્રાણાંતક રોગ કહેવામાં આવે છે. શ્વાસરોગ પ્રાણવહ સ્રોતની દૃષ્ટિથી ઉત્પન્ન થાય છે. ચરક કહે છે કે, પ્રાણનું હરણ કરનારા અનેક રોગો છે. પણ શ્વાસ અને હેડકી જે રીતે તાત્કાલિક પ્રાણનાશ કરે છે તે રીતે કોઈ રોગ કરતો નથી. શ્વાસરોગ પાંચ પ્રકારના છે…

વધુ વાંચો >

ષન્મુગમ, એસ. ઉલુંતુર્પ્પેટ્ટાઈ (ઉષા)

Jan 27, 2006

ષન્મુગમ, એસ. ઉલુંતુર્પ્પેટ્ટાઈ (ઉષા) (જ. 16 સપ્ટેમ્બર 1932, ઉલુન્દુર્પેટ, જિ. વિલુપુરમ્ રામસામી, તામિલનાડુ) : તમિળ કવયિત્રી. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી 1960માં એમ.એ.; અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી એમ.લિટ. (1970) અને પીએચ.ડી.(1978)ની પદવી મેળવી. તેઓ અન્નામલાઈ યુનિવર્સિટીમાં અધ્યાપક; એસ.આઇ.વી.ઈ.ટી. કૉલેજ, ચેન્નાઈ ખાતે 1972-74 દરમિયાન તમિળ વિભાગનાં વડાં; 1975-78 દરમિયાન તામિલનાડુ સરકારના સચિવાલયમાં ભાષા-વિભાગનાં મદદનીશ નિયામક;…

વધુ વાંચો >

ષન્મુગસુંદરમ્, એસ.

Jan 27, 2006

ષન્મુગસુંદરમ્, એસ. (સુંદરપાન્ડિયન, જ. 30 ડિસેમ્બર 1949, કાલકરાઈ, જિ. તિરુનેલવેલી, તામિલનાડુ) : તમિળ લેખક. તેમણે તમિળમાં એમ.એ.; પીએચ.ડી. તથા માનવશાસ્ત્રમાં ડિપ્લોમાની પદવી મેળવી હતી. તેઓ બૅંગાલુરુની સેંટ જોસેફ કૉલેજના તમિળ સાહિત્ય વિભાગના પ્રાધ્યાપક અને વડા રહેલા. તેમણે 18 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કન્નાડિઆર માકા’ (1981) : ‘ચાણક્કિયન’ (1987); ‘ટિપુ સુલતાન’…

વધુ વાંચો >

ષન્મુગસુંદરમ્, મોહન

Jan 27, 2006

ષન્મુગસુંદરમ્, મોહન (જ. 11 ફેબ્રુઆરી 1930, ઉડુમલ્પેટ, જિ. કોઇમ્બતૂર, તામિલનાડુ) : તમિળ અને ભારતીય અંગ્રેજી લેખક. તેમણે એમ.એ., એમ.એલ. અને ડી. લિટ.ની પદવીઓ મેળવી. ત્યારબાદ ન્યાયતંત્રમાં જોડાયા. 197588 દરમિયાન મદ્રાસ હાઇકોર્ટ જજ; 1988માં મદ્રાસ હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય-ન્યાયમૂર્તિ; 1989માં મુખ્ય ન્યાયમૂર્તિ; કર્ણાટક હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ; છેલ્લે સુપ્રીમ કોર્ટ ઑવ્ ઇન્ડિયાના ન્યાયમૂર્તિ…

વધુ વાંચો >

ષષ્ઠી ઉપક્રમ

Jan 27, 2006

ષષ્ઠી ઉપક્રમ : વ્રણ-ચિકિત્સાની વિધિઓમાં વ્રણ રૂઝાવનાર પદ્ધતિ. આયુર્વેદની બે મુખ્ય ચિકિત્સા-શાખાઓ : (1) ઔષધિ – Medicine અને (2) શલ્ય-શાલાક્ય (શસ્ત્રક્રિયા – Surgery) છે. તેમાં વર્તમાન સમયે પણ વૃદ્ધત્રયી ગ્રંથોમાં જેની ગણના થાય છે, તે ‘સુશ્રુત-સંહિતા’ આયુર્વેદની સર્જરીનો ઉપલબ્ધ સૌથી શ્રેષ્ઠ ચિકિત્સા-ગ્રંથ છે. વર્તમાન જગતની અત્યાધુનિક સર્જરીના નિષ્ણાતો પણ હજારો…

વધુ વાંચો >