૧.૦૮

અદભુત કાર્બ-સંયોજનોથી અધ્યારોપિત જળપરિવાહ

અદભુત કાર્બ-સંયોજનો

અદભુત કાર્બ-સંયોજનો (fascinating organic compounds) : વિવિધ પ્રકારના અટપટા આકાર અણુબંધારણ  ધરાવતાં કાર્બનિક સંયોજનો. નીચે દર્શાવેલ કેટલાક અણુઓનાં બંધારણ જોતાં જ તેની અદભુતતા સ્પષ્ટ સમજાશે. ડીવાર બેન્ઝિનનો આકાર ઉઘાડેલ પુસ્તક જેવો, પ્રિઝમેનનો પ્રિઝમ (ત્રિપાર્શ્વ) જેવો, ક્યૂબેનનો ઘન જેવો, ફેરોસીનનો સૅન્ડવિચ જેવો, બાસ્કેટીનનો બાસ્કેટ જેવો અને ઍડેમેન્ટેનનો આકાર પાંજરા જેવો છે, જ્યારે…

વધુ વાંચો >

અદભુતદર્પણ

અદભુતદર્પણ : સત્તરમી સદીનું સંસ્કૃત નાટક. આ દશ-અંકી નાટકના રચયિતા મહાદેવ કવિ કાવેરી નદીને કાંઠે તાંજોરના પલમનેર ગામના હતા. તે કૌણ્ડિન્ય ગોત્રમાં કૃષ્ણસૂરિના પુત્ર અને બાલકૃષ્ણના શિષ્ય હતા. આ નાટકમાં અંગદની વિષ્ટિથી રામના રાજ્યારોહણ સુધીની ઘટનાઓ છે. રામલક્ષ્મણ મણિ દ્વારા લંકામાંની પરોક્ષ ઘટનાઓ નિહાળે છે. તેને કારણે નાટકનું ‘અદભુતદર્પણ’ શીર્ષક…

વધુ વાંચો >

અદભુતસાગર

અદભુતસાગર : મિથિલાના રાજા બલ્લાલસેને રચેલો સંસ્કૃત ગ્રંથ. તેમાં વેદવેદાંગોથી આરંભી વિક્રમની દશમી શતાબ્દી સુધીના જ્યોતિષ, આયુર્વેદ, શુકન આદિ વિષયોનું દોહન કરીને શુભાશુભ અદભુતોનો સંગ્રહ કર્યો છે. આ ગ્રંથમાં પૃથ્વી ઉપર દેખાતા અદભુત બનાવોનાં પરિણામોનો વિચાર કરવામાં આવ્યો છે. આથી ગ્રંથનું ‘અદભુતસાગર’ નામ આપ્યું જણાય છે. આ ગ્રંથના દિવ્યાશ્રય, અંતરીક્ષાશ્રય…

વધુ વાંચો >

અદભુતાનંદજી

અદભુતાનંદજી (જ. 1847, પાડગોલ, તા. પેટલાદ; અ. 1947, મહેલોલ, તા. ગોધરા) : વૈદિક પરંપરાના પ્રસિદ્ધ સંન્યાસી. બ્રાહ્મણ પરિવારમાં જન્મ, પૂર્વાશ્રમનું નામ ભોળાનાથ, પિતા ગૌરીશંકર અને માતા યમુનાગૌરી. અભ્યાસ ચાર ગુજરાતી ચોપડી. ગોવિંદલાલ ગોસાંઈ પાસે શ્રીમદભાગવતનું અધ્યયન, વૈદિક કર્મકાંડનો પણ અભ્યાસ કરેલો. ભાઈઓ સાથેના કુટુંબકલેશથી કંટાળી 50 વર્ષે વાનપ્રસ્થ ગ્રહણ કર્યું…

વધુ વાંચો >

અદ્વૈતવાદ

અદ્વૈતવાદ : દર્શનમાં સત્(સત્તા)ની તપાસ તરવામાં આવે છે. અને સતને જ ‘તત્વ’ કે ‘પદાર્થ’ કહે છે. ક્યારેક એને અંતિમ સત્તા કે સત્ય અને પરમ તત્વ કહે છે. આ સતનું અસ્તિત્વ છે કે નથી ? તે એક છે કે અનેક છે ? તે સ્થૂળ છે કે સૂક્ષ્મ છે ? વગેરે પ્રશ્નો…

વધુ વાંચો >

અદ્વૈતસિદ્ધાન્ત

અદ્વૈતસિદ્ધાન્ત : ભારતીય ઉપનિષદસાહિત્ય અને બ્રહ્મસૂત્રમાં રજૂ થયેલો તત્વવિષયક સિદ્ધાન્ત. જગત, આત્મા અને પરમાત્મા એ ત્રણે જુદાં તત્વો નથી; પરંતુ પરમાત્મા અથવા પરબ્રહ્મનું તત્વ એક જ છે. બ્રહ્મ એ એકમાત્ર ચેતન અને કાયમી તત્વ છે. આત્મા પણ બ્રહ્મનો એક અંશ છે. તેથી ચેતન બ્રહ્મમાં ચેતન એવો આત્મા એકરૂપ બની જાય…

વધુ વાંચો >

અધાતુઓ

અધાતુઓ (nonmetals) : રાસાયણિક તત્વોના ધાતુ અને અધાતુ એ બે વિભાગોમાંનો એક. અધાતુ તત્વો ઘન હોય તો બરડ, ઓછી ઘનતાવાળા અને ઉષ્મા તથા વિદ્યુતનાં અવાહક (non-conductors) હોય છે. અધાતુઓના ભૌતિક ગુણધર્મોમાં ઘણી ભિન્નતા માલૂમ પડે છે. ઑક્સિજન વાયુરૂપ છે, બ્રોમીન પ્રવાહીરૂપ છે જ્યારે આયોડીન ઘનરૂપ છે. પ્રવાહી કે ઘન અધાતુઓને…

વધુ વાંચો >

અધિઅહમ્

અધિઅહમ્ : જુઓ, મનોવિશ્લેષણ.

વધુ વાંચો >

અધિક નફાવેરો

અધિક નફાવેરો (excess profit-tax) : યુદ્ધ કે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન ભાવવૃદ્ધિને લીધે પેઢીઓને પ્રાપ્ત થતા અધિક નફા પર ખૂબ ઊંચા દરે લાગુ પાડવામાં આવતો વેરો. યુદ્ધ અગાઉના પ્રમાણભૂત સમયગાળામાં સાધારણ નફો અને યુદ્ધકાલીન પરિસ્થિતિમાં મળતો નફો એ બંનેનો તફાવત અધિક નફો ગણાય છે. અધિક નફાવેરાની તરફેણમાં મુખ્ય દલીલો ત્રણ છે…

વધુ વાંચો >

અધિકનિવેશન

અધિકનિવેશન (intercalation) : સૌરવર્ષની સાથે સામાન્ય તિથિપત્રનો સુમેળ સાધવા સારુ કરવામાં આવેલું દિવસોનું ઉમેરણ. દિવસ, માસ અને વર્ષ રૂપે કાળગણના કરતી વખતે સૌરવર્ષની સાથે સુમેળ બેસાડવા માટે નાના એકમ તરીકે એક કે વધુ દિવસો ઉમેરવા પડે છે. સામાન્ય વ્યવહારોપયોગી એવા સમયના એકમો અને તેમની સાથે સંકળાયેલી ખગોલીય ઘટનાઓ નીચે મુજબ…

વધુ વાંચો >

અધિરોહણ

Jan 8, 1989

અધિરોહણ (epitaxy) : કોઈ પદાર્થના એકાકી (single) સ્ફટિક ઉપર બીજા પદાર્થનું અત્યંત પાતળું સ્તર નિક્ષિપ્ત (deposit) કરવું તે. સ્ફટિકના પદાર્થ અને સ્તરના પદાર્થ વચ્ચે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી. અધિરોહણ કરેલા સ્તરનું સ્ફટિકીય બંધારણ, જે સ્ફટિક ઉપર તેને નિક્ષિપ્ત કરેલ હોય તેના બંધારણથી નિયંત્રિત થાય છે. આ પદ્ધતિમાં સિલિકોન અને…

વધુ વાંચો >

અધિશુક્રગ્રંથિ-શુક્રગ્રંથિશોથ

Jan 8, 1989

અધિશુક્રગ્રંથિ-શુક્રગ્રંથિશોથ (epididymo-orchitis) : શુક્રગ્રંથિ અને તેના ટોપનો ચેપ. શુક્રગ્રંથિકોશા(scrotum) એટલે કે શુક્રગ્રંથિકોથળીમાં બે શુક્રગ્રંથિઓ (testes) તથા તેમનાં અધિશુક્રગ્રંથિ અને શુક્રવાહિની આવેલાં છે. દરેક શુક્રગ્રંથિ 5 સેમી. × 2.5 સેમી.ની, 10થી 15 ગ્રામ વજનની, અંડાકાર પિંડની હોય છે. દરેક શુક્રગ્રંથિની ઉપર ગૂંચળું વાળેલી નળી(શુક્રવાહિની)ની ટોપના રૂપમાં સાતડા જેવી (comma-shaped) અધિશુક્રગ્રંથિ આવેલી…

વધુ વાંચો >

અધિશોષણ

Jan 8, 1989

અધિશોષણ (adsorption) : ઘન, પ્રવાહી અથવા વાયુરૂપ પદાર્થ(અધિશોષ્ય, adsorbate)નું, બીજા ઘન અથવા પ્રવાહી પદાર્થ(અધિશોષક, adsorbant)ની સપાટી કે આંતરપૃષ્ઠ (interface) ઉપર આસંજન દ્વારા સંકેન્દ્રિત થવું. અધિશોષણ પ્રાવસ્થા વચ્ચેનાં આંતર-આણ્વિક બળો(intermolecular forces)ને આભારી હોય છે. તે એક પૃષ્ઠઘટના છે. વિશોષણ (desorption) એ અધિશોષણથી વિરુદ્ધની પ્રક્રિયા છે. ઘણી જૈવિક તથા ઔદ્યોગિક ઉત્પાદન-પ્રક્રિયાઓમાં અધિશોષણ…

વધુ વાંચો >

અધિશોષણ-સૂચકો

Jan 8, 1989

અધિશોષણ-સૂચકો (adsorption-indicators) : અવક્ષેપન (precipitation) અનુમાપનમાં તુલ્યબિંદુ(equivalent point)એ અવક્ષેપ ઉપર અધિશોષિત થઈને તેને વિશિષ્ટ રંગ આપનાર સૂચકો. ફેજાન્સે સૌપ્રથમ 1923-24માં આ પ્રકારના સૂચકો દાખલ કર્યા. કલિલ પ્રણાલી(colloids)ના ગુણધર્મો ઉપર તેમની ક્રિયાવિધિનો આધાર છે. ક્લોરાઇડના દ્રાવણમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરતાં સિલ્વર ક્લોરાઇડ અવક્ષિપ્ત થાય છે, જે વધુ પ્રમાણમાં હાજર એવા ક્લોરાઇડ આયનોનું અધિશોષણ…

વધુ વાંચો >

અધિસ્વર

Jan 8, 1989

અધિસ્વર (over-tone) : પ્રાકૃતિક આવૃત્તિ(natural frequency)ની ગુણક અધિક આવૃત્તિનો આંશિક સ્વર. પદાર્થની સપાટી ઉપર કોઈ જગ્યાએ ટકોરો મારી તેને કંપન કરાવતાં તેમજ તાર કે હવાના સ્તંભને કંપન કરાવતાં તે પોતાની પ્રાકૃતિક કે મૂળભૂત (natural) આવૃત્તિના સૂર કાઢે છે અને સાથે સાથે પ્રાકૃતિક આવૃત્તિની ગુણક અધિક આવૃત્તિનો તીણો સૂર પણ સંભળાય છે.…

વધુ વાંચો >

અધોગામી અને ઊર્ધ્વગામી સ્તંભ

Jan 8, 1989

અધોગામી અને ઊર્ધ્વગામી સ્તંભ (stalactites and stalagmites) : ગુફામાં ભૂગર્ભજળ-નિક્ષેપને કારણે રચાતા, છત ઉપરથી નીચે અને તળિયાથી છત તરફ જતા સ્તંભો. અનુકૂળ ભૂસ્તરીય તેમજ અનુકૂળ આબોહવાના પ્રદેશોમાં ભૂગર્ભજળ નિક્ષેપક્રિયાના એક સક્રિય પરિબળ તરીકે કાર્ય કરતું રહે છે. આ પ્રકારે તૈયાર થતા નિક્ષેપો ખનિજપટ્ટા, ખનિજરેખા કે ખનિજપડ સ્વરૂપે ખડકોની તડોમાં કે…

વધુ વાંચો >

અધોગામી ભૂગર્ભજળ

Jan 8, 1989

અધોગામી ભૂગર્ભજળ (vadose water) : ભૂગર્ભજળસપાટીથી અલગ પડતો અધોભૌમજળનો અંત:સ્રાવી વિસ્તાર (વાતન વિસ્તાર, zone of aeration). બીજો વિભાગ સંતૃપ્ત વિભાગ છે, જે ભૂગર્ભજળની સપાટીથી નીચે રહેલો છે. અધોગામી ભૂગર્ભજળવિસ્તારને જમીન-જળ, ગુરુત્વીય જળ તેમજ કેશિકાજળ જેવા ત્રણ પેટાવિભાગોમાં વહેંચવામાં આવે છે : જમીન-જળ (soil water) : ખડકોમાંનાં છિદ્રો અંશત: જળથી તો…

વધુ વાંચો >

અધોભૌમ જળ

Jan 8, 1989

અધોભૌમ જળ (sub-surface water) : ભૂપૃષ્ઠ નીચેની કોઈ પણ ઊંડાઈના સ્તરે મળી આવતા, નરમ કે સખત ખડકોનાં પડોમાં, તડોમાં, ફાટોમાં, સાંધાઓમાં કે આંતરકણછિદ્રોમાં સંચિત થયેલું ભૂગર્ભજળ. વર્ષા, હિમવર્ષા, કરા વગેરે જેવા સપાટીજળસ્રોતોમાંથી થતો ભૂમિજન્ય સ્રાવ અધોભૌમ જળ સ્વરૂપે એકત્રિત થતો રહે છે. ભૂગર્ભજળસંચયનાં ઉત્પાદક પરિબળોમાં મુખ્યત્વે વર્ષા-હિમવર્ષા પ્રમાણ, ભૂપૃષ્ઠના ઢોળાવો,…

વધુ વાંચો >

અધોયુતિ અને ઊર્ધ્વયુતિ

Jan 8, 1989

અધોયુતિ અને ઊર્ધ્વયુતિ (inferior conjunction and superior conjunction) : સૂર્યવર્તી ગ્રહો (inferior planets) પૈકી કોઈ ગ્રહ પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવીને ત્રણે એક-સીધ(aligment)માં ગોઠવાયેલાં દેખાય તે અધોયુતિ યા અંતર્યુતિ. જ્યારે કોઈ પણ બે કે વધુ ખગોળીય પિંડો અંતરીક્ષમાં એકમેકની પાસે આવી જાય, એક કતારમાં ગોઠવાઈ જાય કે પછી નિર્ધારિત સીધમાં…

વધુ વાંચો >

અધોવળાંક અને ઊર્ધ્વવળાંક

Jan 8, 1989

અધોવળાંક અને ઊર્ધ્વવળાંક (synform and antiform) : રચનાત્મક દૃષ્ટિએ જટિલ ગોઠવણીવાળા ખડકસ્તરોના ક્ષેત્ર-અભ્યાસ દરમિયાન જ્યારે સ્તરોનું વય નક્કી કરી શકાય તેમ ન હોય ત્યારે અધોવાંક અને ઊર્ધ્વવાંક જેવી દેખાતી સંરચનાઓને કામચલાઉ અપાતાં નામ. સ્તરવિદ્યા(stratigraphy)ની દૃષ્ટિએ આ પર્યાયોને અધોવાંક (syncline) અને ઊર્ધ્વવાંક(anticline)ના વાસ્તવિક અર્થમાં સમજવાના નથી, પરંતુ આ નામો માત્ર એમના…

વધુ વાંચો >