૧૫.૨૩

માથુર કૃષ્ણકુમારથી માનવ ધર્મસભા

માથુર, કૃષ્ણકુમાર

માથુર, કૃષ્ણકુમાર (જ. 30 જુલાઈ 1893, કાનપુર, ઉત્તરપ્રદેશ; અ. 17 જુલાઈ 1936, લખનૌ, ઉત્તરપ્રદેશ) : વીસમી સદીના જાણીતા ભૂસ્તરશાસ્ત્રીઓ પૈકીના એક. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપક. રૉયલ સોસાયટીના માનાર્હ સભ્ય. શાંતિસ્વરૂપ ભટનાગર, બીરબલ સહાની અને મેઘનાદ સહાના સમકાલીન ભૂવિજ્ઞાની. પિતા સ્થાનિક સરકારી નોકરીમાં, તિજોરી-કચેરીમાં હતા. નિવૃત્તિ પછી તેઓ વૃંદાવનમાં વસેલા. પોતે…

વધુ વાંચો >

માથુર, ગિરિજાકુમાર

માથુર, ગિરિજાકુમાર (જ. 1919, અશોકનગર, જિ. ગુના, મધ્યપ્રદેશ) : હિંદી ભાષાના પ્રયોગશીલ કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘મૈં વક્ત કે હૂં સામને’ માટે 1991ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ. એ. અને કાયદાશાસ્ત્રની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી થોડો વખત વકીલાતનો વ્યવસાય કર્યા બાદ 1943માં આકાશવાણીમાં…

વધુ વાંચો >

માથુર, જગદીશચંદ્ર

માથુર, જગદીશચંદ્ર (જ. 16 જુલાઈ 1917, શાહજહાનપુર, ઉ.પ્ર.; અ. 14 મે 1978, દિલ્હી) : હિંદીના લબ્ધપ્રતિષ્ઠ નાટકકાર. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં એમ.એ.ની પદવી મેળવ્યા બાદ આઈ.સી.એસ.ની પરીક્ષામાં ચોથું સ્થાન મેળવ્યું. પછી વિવિધ ઊંચા સરકારી હોદ્દાઓ પર કામગીરી કરી. 1955–62 દરમિયાન આકાશવાણી, દિલ્હીમાં નિયામકપદે રહ્યા અને એકાંકી નાટકોની સાથોસાથ રેડિયો-નાટકોના વિકાસમાં અદ્વિતીય પ્રદાન…

વધુ વાંચો >

માથેર, જ્હૉન ક્રોમવેલ

માથેર, જ્હૉન ક્રોમવેલ (જ. 7 ઑગસ્ટ 1946, રૉનોક, વર્જિનિયા) : અમેરિકન ખગોળ-ભૌતિકવિજ્ઞાની અને બ્રહ્માંડવિદ. તેમના COBE (Cosmic Background Explorer) ઉપરના સંશોધનકાર્ય માટે જ્યૉર્જ સ્મૂટની ભાગીદારીમાં 2006નો નોબેલ પુરસ્કાર તેમને મળેલો. 1964માં ન્યૂટન હાઈસ્કૂલ ન્યૂટન(ન્યૂ જર્સી)માં માધ્યમિક શિક્ષણ લીધું. 1968માં સ્વાર્થમોર કૉલેજમાંથી બી.એસસી. (ભૌતિકવિજ્ઞાન સાથે) થયા. 1974માં કૅલિફૉર્નિયા યુનિવર્સિટી(બર્કલે)માંથી પીએચ.ડી.ની ઉપાધિ…

વધુ વાંચો >

માથેરાન

માથેરાન : મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈ નજીક આવેલું ગિરિમથક. તે રાયગડ જિલ્લાના કરજત તાલુકામાં આવેલું છે. ભૌગોલિક સ્થાન : આશરે 19° 10´ ઉ. અ. અને 73° 10´ પૂ. રે. આ ગિરિમથક મુંબઈથી પૂર્વમાં મુંબઈ-પુણે માર્ગ પર આશરે 50 કિમી.ને અંતરે નેરળ નજીક આવેલું છે. નેરળથી તે 21 કિમી. દૂર છે. સમુદ્રસપાટીથી…

વધુ વાંચો >

માદન, જમશેદજી ફરામજી

માદન, જમશેદજી ફરામજી (જ. 1856; અ. 1923) : ભારતમાં ચલચિત્રોને છબિઘર સુધી પહોંચાડનાર પારસી ગૃહસ્થ. તેમણે બંગાળમાં રંગમંચ અને ચલચિત્રના ક્ષેત્રે પાયાનું કામ કર્યું. કોલકાતાના ચિત્રઉદ્યોગ પર તેઓ છવાઈ ગયા હતા. વીસમી સદીના પ્રારંભે નાટક કંપનીથી પ્રારંભ કરીને પારસી અને ઉર્દૂ નાટકોનું મંચન કરીને ખૂબ લોકપ્રિયતા મેળવનાર માદન કંપની ભારતમાં…

વધુ વાંચો >

માદામ તુસો મ્યુઝિયમ

માદામ તુસો મ્યુઝિયમ (Madam Tussauds Museum) (સ્થાપના : 1835) : જાણીતા, લોકપ્રિય તેમજ જાણીતા ઐતિહાસિક, વિદ્યમાન અને કલ્પનોત્થ વ્યક્તિઓનાં મીણમાંથી બનાવેલાં આબેહૂબ પૂતળાંઓનું મ્યુઝિયમ. મૂળમાં 1835માં લંડન ખાતે સ્થપાયેલ તુસો મ્યુઝિયમની શાખાઓ હાલમાં શાંઘાઈ, લાસ વેગાસ, ન્યૂયૉર્ક, હૉંગકૉંગ અને ઍમ્સ્ટરડૅમમાં છે. મીણમાંથી શિલ્પો ઘડનારાં ફ્રેંચ મહિલા શિલ્પી માદામ મૅરી તુસો-(જ.…

વધુ વાંચો >

માદ્રી

માદ્રી : વ્યાસે રચેલા ‘મહાભારત’ મહાકાવ્યનું મહત્વનું સ્ત્રીપાત્ર. તે કુરુવંશના રાજા પાંડુની પત્ની હતી. મદ્ર પ્રદેશના રિવાજ મુજબ, ત્યાંના રાજા શલ્યને કન્યાશુલ્ક રૂપે પુષ્કળ ધનસુવર્ણ આપીને ભીષ્મે પાંડુ રાજા માટે તેની પસંદગી કરી હતી. આ અતિ સૌંદર્યવતી માદ્રી પૌરાણિક કથા અનુસાર ધૃતિદેવીનો અવતાર હતી. હસ્તિનાપુરનો નિવાસ પાંડુ રાજાના સ્વાસ્થ્યને અનુકૂળ…

વધુ વાંચો >

માધવ

માધવ (1340થી 1425 દરમિયાન) : કેરળના જાણીતા ગણિતી અને ખગોળશાસ્ત્રી. કેરળના બ્રાહ્મણોની એમ્પ્રાણ તરીકે ઓળખાતી પેટાજ્ઞાતિમાં જન્મેલા માધવ સંગમગ્રામના વતની હતા. તેમના ગામનું નામ ઇલન્નીપલ્લી હતું. તેમના ગાણિતિક પ્રદાન અંગે પ્રો. સી. ટી. રાજગોપાલે સંશોધનકાર્ય કરેલું છે. હિંદુ ખગોળશાસ્ત્રની કેરળ વિચારધારા અનુસાર રચાયેલા ઇતિહાસમાંથી તેમના પ્રદાન અંગેની કેટલીક વિગતો જાણવા…

વધુ વાંચો >

માધવકર

માધવકર : આયુર્વેદના ‘માધવનિદાન’ નામે જાણીતા ‘રોગ-વિનિશ્ચય’ ગ્રંથના કર્તા. આચાર્ય માધવકરનો હયાતીકાળ વાગ્ભટ્ટનાં 200 વર્ષ પછી અને વૃંદ અને હારૂન-અલ-રશીદનાં 200 વર્ષ પૂર્વેનો એટલે કે છઠ્ઠી શતાબ્દીનો હોવાનું માનવામાં આવે છે. તેમના પિતા ઇન્દુકર બંગપ્રદેશના રહીશ હોવાની માન્યતા છે. માધવકર શિવભક્ત હતા. રોગની ચિકિત્સામાં સર્વપ્રથમ રોગના ચોક્કસ નિદાનની જરૂરિયાત હોવાથી…

વધુ વાંચો >

માધવગુપ્ત

Jan 23, 2002

માધવગુપ્ત (ઈ. છઠ્ઠી સદી) : ગયા નજીકના અફસદ શિલાલેખમાં ઉલ્લિખિત પાછળનો ગુપ્ત રાજા (Later Guptas). ‘હર્ષચરિત’માં જણાવ્યા અનુસાર તેનો પિતા મહાસેન-ગુપ્ત (ઈ.સ.ની છઠ્ઠી સદી) મગધ, ગૌડ અને માલવાનો રાજા હતો. ઉપર્યુક્ત શિલાલેખમાં તેને મહાસેન-ગુપ્તના વારસદાર તરીકે દર્શાવ્યો છે. મહાસેન-ગુપ્તે છેલ્લાં વરસોમાં માલવા ગુમાવ્યું હશે. તેના બે પુત્રો કુમારગુપ્ત અને માધવગુપ્તને…

વધુ વાંચો >

માધવ જૂલિયન

Jan 23, 2002

માધવ જૂલિયન (જ. 21 જાન્યુઆરી 1894, વડોદરા; અ. 29 નવેમ્બર 1939, પુણે) : મરાઠીના અગ્રણી પ્રયોગશીલ કવિ, કોશકાર, વિમર્શક તથા ભાષાશુદ્ધિના તત્વનિષ્ઠ પુરસ્કર્તા તથા પ્રચારક. મૂળ નામ માધવ ત્ર્યંબક પટવર્ધન. વિખ્યાત આંગ્લ નવલકથા-લેખિકા મેરી કૉરેલીની ‘ગૉડ્ઝ ગુડ મૅન’ કૃતિમાંના સૌંદર્યઉપાસક અને સ્વચ્છંદી પાત્ર ‘જૂલિયન ઍડર્લી’ના નામ પરથી તેમની પ્રેમિકાએ સૂચવેલ…

વધુ વાંચો >

માધવદાસજી

Jan 23, 2002

માધવદાસજી (જ. 1806; અ. 1921) : યોગીકોટિના પરમહંસ સંત. પૂર્વ બંગાળમાં નવદ્વીપ (નદિયા) પાસેના કોઈ ગામે મુખોપાધ્યાય બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા માધવદાસજીએ પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં અને માધ્યમિક શિક્ષણ કોલકાતાની એક મિશનરી શાળામાં લીધું હતું. વયસ્ક થતાં તેમનાં લગ્ન લેવાયાં ત્યાં અચાનક તેમનાં માતાનું અવસાન થતાં લગ્ન મુલતવી રહ્યું અને લગ્નની…

વધુ વાંચો >

માધવદેવ

Jan 23, 2002

માધવદેવ (જ. 1490, લેટેકુફખુરી, લખિમપુર; અ. 1596, ભેલાદુઆર, આસામ) : પ્રસિદ્ધ અસમિયા વૈષ્ણવ આચાર્ય અને કવિ, નાટ્યકાર. આસામમાં વૈષ્ણવ ધર્મના સ્થાપક મહાપુરુષ શંકરદેવ(1449–1569)ના મુખ્ય શિષ્ય અને ધર્માધિકારી માધવદેવનો જન્મ એક દુ:ખી કાયસ્થ પરિવારમાં થયો હતો. માધવદેવે આજન્મ કૌમાર્યવ્રતનું પાલન કરી ધર્મ અને સમાજની ઉન્નતિમાં પોતાના જીવનને સમર્પી દીધું હતું. એટલે…

વધુ વાંચો >

માધવભટ્ટ (ભાષ્યકાર)

Jan 23, 2002

માધવભટ્ટ (ભાષ્યકાર) (ઈ.સ. 700ની આસપાસ) : સામવેદ પરના ‘વિવરણ’ નામના ભાષ્યના લેખક. બાણભટ્ટ ‘કાદંબરી’ના મંગલશ્લોકોમાં પોતાના મિત્ર તરીકે નારાયણ ભટ્ટનો ઉલ્લેખ કરે છે. આ નારાયણ ભટ્ટ માધવભટ્ટના પિતા હતા. તેથી માધવને બાણભટ્ટના યુવાન સમકાલીન કહી શકાય. માધવભટ્ટે સામવેદના પૂર્વાર્ધ પર ‘છંદરસિકા’ નામની ટીકા લખી છે. તેમણે સામવેદના ઉત્તરાર્ચિક પર ‘ઉત્તર-વિવરણ’…

વધુ વાંચો >

માધવ મેનન, કોડાઈકાટ

Jan 23, 2002

માધવ મેનન, કોડાઈકાટ (જ. 1907, પલ્લૂટ, કેરળ) : આધુનિક ભારતીય ચિત્રકાર. 7 વરસની ઉંમરે 1914માં તે ઘરના એક વડીલ સાથે શ્રીલંકા જવા ચાલી નીકળ્યા અને ત્યાં રખડપટ્ટી સાથે શાળાકીય અભ્યાસ પણ કર્યો. 1915માં ભારત પાછા ફરી ચેન્નાઈમાં અર્ધેન્દુપ્રસાદ બૅનર્જી પાસેથી ડ્રૉઇંગની તાલીમ લીધી. 1922માં મછલીપટ્ટણમ્ જઈ ત્યાંની ‘આંધ્ર જાતીય કલાશાળા’માં…

વધુ વાંચો >

માધવરાવ પહેલો

Jan 23, 2002

માધવરાવ પહેલો (જ. 16 ફેબ્રુઆરી 1745; અ. 18 નવેમ્બર 1772) : મરાઠા શાસકોમાં ઉત્તમ વહીવટકર્તા, સમર્થ સેનાપતિ અને મહાન પેશ્વા. પેશ્વા બાલાજી બાજીરાવ અને ગોપિકાબાઈના ત્રણ પુત્રોમાંનો વચલો પુત્ર. રાજવંશી કુટુંબોને અનુરૂપ શિક્ષણ અને તાલીમ તેને પ્રાપ્ત થયાં હતાં. નાની ઉંમરથી રાજનીતિ અને રાજકારણની બાબતોમાં રસ લેવાનું તેણે શરૂ કર્યું…

વધુ વાંચો >

માધવવાવ (વઢવાણ)

Jan 23, 2002

માધવવાવ (વઢવાણ) : ગુજરાતની એક ઉત્તમ વાવ. આ સુંદર વાવ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરથી 8 કિમી. દૂર આવેલા વઢવાણના પ્રાચીન નગરના મધ્યના જૂના વિસ્તારમાં આવેલી છે. લોકકથા પ્રમાણે આ વાવ ગુજરાતના વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવના મંત્રી માધવે બંધાવી હતી. વાવમાંના એક પથ્થર પર ઈ. સ. 1294નો શિલાલેખ કોતરેલો છે, જેના પરથી…

વધુ વાંચો >

માધવસેન

Jan 23, 2002

માધવસેન (ઈ.પૂ. બીજી સદી) : શુંગ વંશના યુવરાજ અગ્નિમિત્રનો મિત્ર તથા વિદર્ભના રાજા યજ્ઞસેનનો પિતરાઈ. રાજા પુષ્યમિત્ર(ઈ.પૂ. 1871–51)ના અમલ દરમિયાન અગ્નિમિત્ર વિદિશાનો સૂબો હતો. વિદર્ભ અને વિદિશા વચ્ચેના સંબંધો બગડ્યા હતા. તેનો ઉલ્લેખ કવિ કાલિદાસે પોતાના સંસ્કૃત નાટક ‘માલવિકાગ્નિમિત્ર’માં કર્યો છે. તેમાં જણાવ્યા મુજબ, માધવસેન વિદિશા જતો હતો ત્યારે યજ્ઞસેનના…

વધુ વાંચો >

માધવ હર્ષદેવ (ડૉ.)

Jan 23, 2002

માધવ હર્ષદેવ (ડૉ.) (જ. 20 ઑક્ટોબર 1954, વરતેજ, જિ. ભાવનગર, ગુજરાત) : બહુભાષી કવિ તથા સાહિત્યકાર. તેમને તેમના સંસ્કૃત કાવ્યસંગ્રહ ‘તવ સ્પર્શે સ્પર્શે’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ સંસ્કૃત, ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં પણ લેખનકાર્ય કરે છે. તેમણે એમ.એ. (પ્રથમ વર્ગમાં પ્રથમ નંબર), બી.એડ્.…

વધુ વાંચો >