૧૫.૦૬

મધુબનીથી મધ્યયુગ (ઇતિહાસ)

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશ ભારતના લગભગ મધ્ય સ્થાને આવેલું દેશનું સૌથી મોટું રાજ્ય. તે આશરે 17° 45´ ઉ. અ.થી 26° 48´ ઉ. અ. અને 74° 0´ પૂ. રે.થી 84° 30´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલું છે અને દેશનો આશરે 14% ભૂમિભાગ રોકે છે. ભારતનાં અન્ય રાજ્યોના સંદર્ભમાં આ રાજ્યનું મધ્યસ્થ ભૌગોલિક સ્થાન તેના ‘મધ્યપ્રદેશ’…

વધુ વાંચો >

મધ્યમવ્યાયોગ

મધ્યમવ્યાયોગ : જુઓ ભાસ

વધુ વાંચો >

મધ્ય મહાસાગરીય ડુંગરધારો

મધ્ય મહાસાગરીય ડુંગરધારો (Mid-oceanic Ridges) દુનિયાનાં બધાં જ મહાસાગરતળના મધ્યભાગને આવરી લેતી, આજુબાજુના ખંડોના કિનારાઓને લગભગ સમાંતર અને સળંગ ચાલુ રહેતી પર્વતમાળાઓ. અન્યોન્ય જોડાયેલી આ પર્વતમાળાઓ વળાંકો લઈને શાખાઓમાં વિભાજિત પણ થયેલી છે. તેમની કુલ લંબાઈ 65,000 કિમી. અને પહોળાઈ સ્થાનભેદે 500થી 5,000 કિમી. જેટલી છે. તે મહાસાગરીય મધ્યતળના લગભગ…

વધુ વાંચો >

મધ્યમિકા

મધ્યમિકા : રાજસ્થાનમાં ચિતોડ પાસે આવેલી પ્રાચીન નગરી. આજે પણ એનાં ખંડેર ચિતોડના કિલ્લાથી 11 કિમી. ઉત્તરમાં જોઈ શકાય છે. આ પ્રદેશ પર ઈ. પૂ. 321માં મૌર્યવંશના રાજા ચંદ્રગુપ્ત અને એના પૌત્ર સમ્રાટ અશોકનું શાસન હોવાનું વૈરાટના અશોકના બે શિલાલેખ(ઈ. પૂ. 250)થી પુરવાર થાય છે. ત્યારબાદ ઈ. પૂ. 200ની આસપાસ…

વધુ વાંચો >

મધ્યયુગ (ઇતિહાસ)

મધ્યયુગ (ઇતિહાસ) ઇતિહાસમાં નિર્બળ રાજાશાહી અને પ્રબળ સામંતશાહીનો સમય. પ્રાચીન યુગમાંથી મધ્યયુગ પ્રતિનું પ્રયાણ પ્રત્યેક દેશમાં એક જ સમયે અને એકીસાથે થયેલું નથી. દેશકાળની પરિસ્થિતિ પ્રમાણે તે જુદા જુદા સમયે થયું છે. રાજાશાહી નિર્બળ બની અને સામંતશાહી પ્રબળ બની ત્યારથી મધ્યયુગનો આરંભ થયો ગણાય. યુરોપ તથા મોટાભાગના પાશ્ચાત્ય દેશોમાં તેનો…

વધુ વાંચો >

મધુબની

Jan 6, 2002

મધુબની : બિહાર રાજ્યના ઉત્તર ભાગમાં નેપાળની સરહદે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 26° 22´ ઉ. અ. અને 86° 05´ પૂ. રે.ની આજુબાજુનો 3,501 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નેપાળનો પહાડી પ્રદેશ (જે જિલ્લાની દક્ષિણ સરહદ સુધી વિસ્તરે છે.),…

વધુ વાંચો >

મધુબની ચિત્રકલા

Jan 6, 2002

મધુબની ચિત્રકલા : બિહારના મુઝફ્ફરપુર, દરભંગા, પૂર્ણિયા અને મધુબની જિલ્લાઓની મહિલાઓની લોક-ચિત્રકલા. આ વિસ્તારની બ્રાહ્મણ અને કાયસ્થ જાતિની સ્ત્રીઓ પરંપરાગત રીતે આ કલાનું સર્જન કરતી આવી છે. ઘરની ભીંતો, માટલાં, સૂપડાં અને મંદિરોના બાહ્ય ભાગ પર આ કલા આવિષ્કાર પામતી રહી છે. ઉત્સવ કે લગ્ન પ્રસંગે તેનું આલેખન કરવામાં આવે…

વધુ વાંચો >

મધુબાલા

Jan 6, 2002

મધુબાલા (જ. 14 ફેબ્રુઆરી 1933, દિલ્હી; અ. 23 ફેબ્રુઆરી 1969, મુંબઈ) : ભારતીય સિનેજગતનાં ખ્યાતનામ અભિનેત્રી. ભારતીય રજતપટનાં વિનસ ગણાતાં આ અભિનેત્રીના સૌંદર્યની તોલે આજ સુધી કોઈ અભિનેત્રી આવી શકી નથી એવું મનાય છે. મૂળ નામ : મુમતાઝજહાંબેગમ દેહલવી. પિતા : અતાઉલ્લાખાન. અત્યંત ગરીબ પઠાણ પરિવારમાં જન્મ. 11 ભાઈ-બહેનોમાં તેમનું…

વધુ વાંચો >

મધુમતી

Jan 6, 2002

મધુમતી (1958) : પરભવનાં પ્રેમીઓની પ્રણયકથા નિરૂપતું ગીતસંગીતથી ભરપૂર સફળ ચલચિત્ર. ‘દો બિઘા જમીન’ અને ‘દેવદાસ’ જેવાં ગંભીર ચિત્રોનું દિગ્દર્શન કરનાર બિમલ રૉયે પુનર્જન્મને કેન્દ્રમાં રાખીને બનાવેલા આ ચિત્રને કારણે ટીકાનો ભોગ બનવું પડ્યું. પણ આ પ્રકારના કથાવસ્તુવાળાં ચિત્રોમાં શિરમોર ગણાતું ‘મધુમતી’ તેનાં કર્ણપ્રિય ગીતો, મુખ્ય કલાકારોના પ્રભાવી અભિનય તથા…

વધુ વાંચો >

મધુમાલતી

Jan 6, 2002

મધુમાલતી : દ્વિદળી વર્ગમાં આવેલા કૉમ્બ્રિટૅસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Quisqualis indica Linn. syn. Q. densiflora Wall. ex Mig. (હિં. રંગૂન કી બેલ; ગુ. મધુમાલતી, બારમાસી વેલ, ઝૂમખા વેલ, લાલ ચમેલી; તે. રંગોની મલ્લે; ત. ઇરંગૂનમલ્લી; અં. રંગૂન ક્રીપર) છે. તે મોટી કાષ્ઠમય ક્ષુપિલ વેલ છે અને ઉષ્ણકટિબંધીય…

વધુ વાંચો >

મધુમેહ, મૂત્રપિંડજન્ય

Jan 6, 2002

મધુમેહ, મૂત્રપિંડજન્ય (renal glycosuria) : મધુપ્રમેહના રોગની ગેરહાજરીમાં પેશાબમાં ગ્લુકોઝ જવો તે. મૂત્રપિંડ દ્વારા થતા ગ્લુકોઝના ઉત્સર્ગની ઉંબરસીમા (threshold value) નીચી હોય ત્યારે પેશાબમાં તે વહી જાય છે. આ વિકાર યુવાનોમાં જોવા મળે છે અને દેહસૂત્રી (અલિંગસૂત્રી) પ્રચ્છન્ન (autosomal recessive) પ્રકારના વારસાથી તે ઊતરી આવતો હોય છે. તેને મધુપ્રમેહ સાથે…

વધુ વાંચો >

મધુરકો

Jan 6, 2002

મધુરકો : ખાંડ (સૂક્રોઝ) કરતાં વધુ ગળપણવાળા કુદરતી અથવા સંશ્લેષિત પદાર્થો. મધુરકોના મુખ્યત્વે બે વિભાગ છે : (અ) પોષક (nutritive) મધુરકો તથા (બ) બિનપોષણક્ષમ (non-nutritive) મધુરકો. પોષક મધુરકોમાં શેરડીની ખાંડ, ફળોની શર્કરાઓ, મધ વગેરેનો સમાવેશ થાય છે. બિનપોષણક્ષમ મધુરકોનું ગળપણ ખાંડના મુકાબલે ઘણું વધુ હોવા છતાં તેનું કૅલરી-મૂલ્ય નહિવત્ હોય…

વધુ વાંચો >

મધુ રાય

Jan 6, 2002

મધુ રાય (જ. 19 જુલાઈ 1942, જામખંભાળિયા, સૌરાષ્ટ્ર) : ગુજરાતી સાહિત્યના એક ઉત્તમ અને વિશિષ્ટ વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર. સુરેશ જોષી પછીના ગુજરાતી કથા-સાહિત્ય અને નાટ્યસાહિત્યમાં સર્જકતાની ઊંચી માત્રા, પ્રયોગોની સફળતા અને ગદ્યની બહુપાર્શ્વિકતા દાખવનાર કોઈ એક સર્જકનું નામ બોલો તો એમ કોઈ કહે તો કોઈ પણ સહૃદય ગુજરાતીને હોઠે…

વધુ વાંચો >

મધુરાંતકમ રાજારામ

Jan 6, 2002

મધુરાંતકમ રાજારામ (જ. 1930, મોગરાલા, જિ. ચિત્તૂર, આંધ્રપ્રદેશ; અ. 1 એપ્રિલ 1999) : તેલુગુ ભાષાના વાર્તાકાર. તેમને ‘મધુરાંતકમ રાજારામ કથલુ’ નામક વાર્તાસંગ્રહ માટે 1993ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો. તે છેલ્લાં 40 વર્ષથી યથાર્થવાદી કવિતાના અડીખમ ઉપાસક બની રહ્યા હતા; આજે પણ તે તેલુગુ વાચકવર્ગમાં આદરપાત્ર સ્થાન ધરાવે…

વધુ વાંચો >

મધુસૂદનદાસ

Jan 6, 2002

મધુસૂદનદાસ : રામાનુજ સંપ્રદાયના વૈષ્ણવ કવિ. મૂળ ઇટાવા(જિ. ઇટાવા)ના નિવાસી માથુર ચોબે મધુસૂદનદાસના ‘રામાશ્વમેધ’ નામે એક માત્ર રચના ઉપલબ્ધ થઈ છે જેનાથી એમની ભારે ખ્યાતિ થઈ છે. કોઈ ગોવિંદદાસ નામની વ્યક્તિની પ્રેરણાથી તેમણે ઈ. સ. 1782માં આ ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથ પદ્મપુરાણના પાતાલખંડમાં વર્ણિત રામાશ્વમેઘના કથાનક પર આધારિત…

વધુ વાંચો >