૧૩.૦૫

બર્ગસ્ટ્રોન સૂનેથી બલરામ

બલભદ્રપુરાણ

બલભદ્રપુરાણ : જૈનોનું પુરાણ. દિગંબર જૈનોનાં આગમોનાં ચાર જૂથમાંના પ્રથમાનુયોગમાં આવતાં પાંચ પુરાણોમાંનું એક. તેમાં જૈન રામકથા કહેલી હોવાથી અને રામને જૈનો ‘પદ્મ’ કહેતા હોવાથી આનું પ્રચલિત નામ ‘પદ્મપુરાણ (પઉમપુરાણ)’ છે; જોકે પુષ્પિકાઓમાં ‘બલહદ્દ પુરાણ’ એવું સ્પષ્ટ લખ્યું છે. જૈન પરંપરામાં રામ આઠમા બલભદ્ર ગણાતા હોવાથી આ નામ યથાર્થ છે.…

વધુ વાંચો >

બલરામ

બલરામ : મહાભારતનું પાત્ર. તેઓ શ્રીકૃષ્ણના મોટાભાઈ અને વસુદેવ–દેવકીના સાતમા પુત્ર; પરંતુ કંસથી બચાવવા માટે, ગોકુળમાં રહેતી વસુદેવ-પત્ની રોહિણીના ગર્ભમાં તેમને સંક્રાન્ત કરવામાં આવ્યા હતા. તેમનો ઉછેર વ્રજ–વૃંદાવનમાં થયો હતો, જ્યાં તેમણે ધેનુક–પ્રલંબ જેવા દાનવોને હણ્યા હતા. શાસ્ત્રાધ્યયન માટે, સાંદીપનિના આશ્રમમાં પણ કૃષ્ણ સાથે તેઓ રહ્યા હતા. ‘બલરામ’ નામકરણની પાછળ…

વધુ વાંચો >

બર્ગસ્ટ્રોન, સૂને

Jan 5, 2000

બર્ગસ્ટ્રોન, સૂને (જ. 19 જાન્યુઆરી 1916, સ્ટૉકહોમ, સ્વીડન) : ઈ. સ. 1982ના તબીબી વિદ્યા અને દેહધાર્મિક વિદ્યા અંગેના નોબેલ પુરસ્કાર વિજેતા. બૅન્ગ્ટ સેમ્યુલ્સન અને સર જૉન વેન (Vane) સાથે તેમને પ્રોસ્ટાગ્લૅન્ડિન અને તેને સંબંધિત રસાયણોના સંશોધન માટે તે પુરસ્કાર મળ્યો હતો. તેમણે સ્ટૉકહોમ માટેની કરોલિન ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.…

વધુ વાંચો >

બર્ગિયસ, ફ્રેડરિખ કાર્લ રુડોલ્ફ

Jan 5, 2000

બર્ગિયસ, ફ્રેડરિખ કાર્લ રુડોલ્ફ (જ. 11 ઑક્ટોબર 1884, ગોલ્ડશ્માઇડેન, સિલેસિયા; અ. 30 માર્ચ 1949, બ્યુએનોસ આઇરિસ, આર્જેન્ટીના) : કોલસાનું તેલમાં રૂપાંતર કરવાની પ્રવિધિ વિકસાવનાર જર્મન નોબેલ પારિતોષિક વિજેતા રસાયણવિદ્. રસાયણ ઉદ્યોગપતિના પુત્ર બર્ગિયસનો અભ્યાસ બ્રેસલૉમાં થયેલો. રૂહરમાં છ માસ માટે ધાતુશોધનના કારખાનામાં કામ કરી અનુભવ મેળવ્યો. એબેગના માર્ગદર્શન નીચે  તેમણે…

વધુ વાંચો >

બર્જરનો રોગ

Jan 5, 2000

બર્જરનો રોગ : બર્જર નામના તબીબોએ વર્ણવેલા રોગો. તેની અંતર્ગત બે સાવ અલગ રોગો ચર્ચવામાં આવે છે. લિયો બર્જર (Leo Buerger) અને ઝ્યાં બર્જર (Jean Berger) – એમ બે અલગ અલગ તબીબોએ અલગ અલગ સમયે અને સ્થળે બે અલગ અલગ રોગોને વર્ણવ્યા છે. ઈ.સ. 1879થી 1943માં ન્યૂયૉર્કમાં લિયો બર્જર નામના…

વધુ વાંચો >

બર્જેસ, જેમ્સ

Jan 5, 2000

બર્જેસ, જેમ્સ (જ. 14 ઑગસ્ટ 1832, ડમફ્રિસ, સ્કૉટલૅન્ડ; અ. 3 ઑક્ટોબર 1916) : ભારતીય ઇતિહાસ, પુરાતત્વવિદ્યા અને સ્થાપત્યકલાના પ્રકાંડ સ્કૉટિશ વિદ્વાન. ગ્લાસગો અને એડિનબરોમાં અભ્યાસ. 1855માં ભારતીય સનદી સેવામાં જોડાયા. કલકત્તાની કૉલેજમાં 1855–1861 દરમિયાન ગણિતશાસ્ત્રના અધ્યાપક થયા. મુંબઈની સર જમશેદજી જીજીભાઈ પારસી બેનેવોલન્ટ સંસ્થાના પ્રમુખપદે નિમાયા પછી ‘ટેમ્પલ્સ ઑવ્ શત્રુંજય’…

વધુ વાંચો >

બર્ઝેલિયસ, જૉન જેકબ

Jan 5, 2000

બર્ઝેલિયસ, જૉન જેકબ (જ. 20 ઑગસ્ટ 1779, લિંકોપિંગ પાસે, સ્વીડન; અ. 7 ઑગસ્ટ 1848, સ્ટૉકહોમ) : સ્વિડિશ વૈજ્ઞાનિક અને આધુનિક રસાયણશાસ્ત્રના સ્થાપકો પૈકીના એક. બાળપણથી અનાથ એવા બર્ઝેલિયસનો ઉછેર તેમનાં સગાંસંબંધીઓ દ્વારા થયેલો. નાની વયથી જ તેમને વૈદકમાં રસ હતો. 1802માં તેમણે ઉપસાલામાંથી એમ.ડી.ની પદવી મેળવી. દરમિયાન અફઝેલિયસના હાથ નીચે…

વધુ વાંચો >

બર્ટન, રિચાર્ડ

Jan 5, 2000

બર્ટન, રિચાર્ડ (જ. 1925, પોન્ટ્રહિડફેન, સાઉથ વેલ્સ; અ. 1984) : અંગ્રેજી રંગમંચ અને ચલચિત્રોના અભિનેતા. કોલસાની ખાણમાં કામ કરતા પિતાનાં 13 સંતાનો પૈકી 12મા નંબરના રિચાર્ડનું મૂળ નામ રિચાર્ડ વૉલ્ટર જેન્કિન્સ જુનિયર હતું. શાળાના શિક્ષક ફિલિપ બર્ટનને પ્રતાપે રિચાર્ડને ઑક્સફર્ડમાં નાટ્યવિદ્યા ભણવાની શિષ્યવૃત્તિ મળી હતી. શિક્ષકનું ઋણ ચૂકવવા પોતાના નામ…

વધુ વાંચો >

બર્ટવિસ્ટલ, હૅરિસન સર

Jan 5, 2000

બર્ટવિસ્ટલ, હૅરિસન સર (જ. 1934, લૅન્કેશાયર, ઇંગ્લૅન્ડ) : સંગીત-રચનાકાર. તેમણે ‘રૉયલ માન્ચેસ્ટર કૉલેજ ઑવ્ મ્યૂઝિક’ તથા લંડનની ‘રૉયલ એકૅડેમી ઑવ્ મ્યૂઝિક’માં સંગીતવિષયક અભ્યાસ કર્યો. માન્ચેસ્ટરમાં હતા ત્યારે બીજા યુવાન સંગીતકારોનો સહયોગ સાધીને આધુનિક સંગીતના કાર્યક્રમો આપવા ‘ન્યૂ માન્ચેસ્ટર ગ્રૂપ’ નામના એક નાના વૃંદની રચના કરી હતી. 1967માં તેમણે પીટર મૅક્સવેલ…

વધુ વાંચો >

બર્ટ્રાન્ડની પૂર્વધારણા

Jan 5, 2000

બર્ટ્રાન્ડની પૂર્વધારણા : દરેક વાસ્તવિક x > 1 માટે x અને 2x વચ્ચે કોક અવિભાજ્ય પૂર્ણાંક હોય જ છે એવું બર્ટ્રાન્ડે 1840માં કરેલું  અનુમાન સાચું હોય તો તેમાંથી અનેક સારાં પરિણામો ફલિત થઈ શકે; પણ બર્ટ્રાન્ડનું અનુમાન સાબિત કરવું કઠિન લાગતું હતું. તે અનુમાન બર્ટ્રાન્ડની પૂર્વધારણા (postulate) તરીકે ઓળખાયું. 1852માં…

વધુ વાંચો >

બર્ટ્રાન્ડ રસેલ

Jan 5, 2000

બર્ટ્રાન્ડ રસેલ : જુઓ રસેલ, બર્ટ્રાન્ડ

વધુ વાંચો >

બર્ટ્રૅન્ડ લેન્સ

Jan 5, 2000

બર્ટ્રૅન્ડ લેન્સ (Bertrand lens) :  પોલરાઇઝિંગ માઇક્રોસ્કોપ–ધ્રુવણ સૂક્ષ્મદર્શકમાં ઉપયોગમાં લેવાતું ઉપકરણ. ખનિજછેદના પ્રકાશીય ગુણધર્મોનો અભ્યાસ પોલરાઇઝિંગ માઇક્રોસ્કોપ હેઠળ સાદા ધ્રુવીભૂત પ્રકાશમાં પ્રકાશ-શંકુ(conical light)ની મદદથી કરવામાં આવે છે. માઇક્રોસ્કોપમાં પ્રકાશ-શંકુ મેળવવા માટે પીઠિકા(stage)ની નીચેના ભાગમાં ધ્રુવક (polariser) અને પીઠિકાની વચ્ચે અભિકેન્દ્રિત ર્દગ્-કાચ (convergent lens) દાખલ કરવામાં આવે છે. આ પ્રમાણે પ્રકાશ-શંકુનો…

વધુ વાંચો >