ખંડ ૮

જૈવિક એકમોથી તેલ ઉદ્યોગ-ખાદ્ય

જૈવિક એકમો

જૈવિક એકમો (Biochemical units of the organisms) બધા સજીવોનું શરીર પાણી અને ખનિજતત્વો ઉપરાંત વિવિધ પ્રકારનાં કાર્બનિક રસાયણોનું બનેલું હોય છે. કાર્બનિક રસાયણોને કાર્બોદિતો (carbohydrates), લિપિડો, પ્રોટીનો અને ન્યૂક્લિઇક ઍસિડો – એ 4 મુખ્ય સમૂહોમાં વહેંચવામાં આવે છે. વિટામિન તરીકે ઓળખાતા કાર્બનિક પદાર્થોને પ્રાણીસૃષ્ટિના સભ્યો ઉત્પન્ન કરી શકતા નથી. તેથી…

વધુ વાંચો >

જૈવિક ક્રિયાઓનું સુગ્રથન

જૈવિક ક્રિયાઓનું સુગ્રથન (co-ordination) : સજીવતા (life) એટલે ભૌતિક ઘટકની એક વિશિષ્ટ અવસ્થા. આ ઘટક પર્યાવરણમાંથી મેળવેલ તત્વોની મદદથી પોતાની વૃદ્ધિ સાધે છે, ક્રિયાત્મક તંત્રોને જાળવી રાખે છે, જીર્ણ વસ્તુઓનું પુન:સ્થાપન કરે છે અને પ્રજનનપ્રક્રિયા દ્વારા પોતાના જેવા નવા ઘટકો પેદા કરે છે. વનસ્પતિ હોય કે પ્રાણી, અમીબા કે માનવ,…

વધુ વાંચો >

જૈવિક ખવાણ

જૈવિક ખવાણ (biological weathering) : પ્રાણીઓ કે વનસ્પતિ દ્વારા થતું ખવાણ. સસલાં, ઉંદર, ઘો, નોળિયા, સાપ, અળસિયાં જેવાં પ્રાણીઓ સલામતી કે રક્ષણાત્મક હેતુઓ માટે જમીનો કે નરમ ખડકોને ખોદીને, ખોતરીને તેમનાં દર બનાવે છે. આ રીતે થતી વિભંજનક્રિયામાં દરના મુખ પાસે નરમ, છૂટો ખોદાયેલો દ્રવ્યજથ્થો નાના ઢગલા સ્વરૂપે એકઠો થતો…

વધુ વાંચો >

જૈવિક નિયંત્રણ

જૈવિક નિયંત્રણ : નાશક જીવો(pests)ના નિયંત્રણ માટે સજીવોના ઉપયોગને જૈવિક નિયંત્રણ કહે છે. નાશક જીવોના પર્યાવરણમાં કુદરતી દુશ્મન પરોપજીવી, પરભક્ષી (predator) કે રોગકારક સૂક્ષ્મ સજીવોને દાખલ કરવામાં આવે છે અથવા જો તેઓ હાજર હોય તો તેમના ગુણનને પ્રોત્સાહિત કરવામાં આવે છે; જેથી નાશક જીવોની સંખ્યામાં વધારે અસરકારક ઘટાડો થઈ શકે.…

વધુ વાંચો >

જૈવિક યુદ્ધ

જૈવિક યુદ્ધ (biological warfare) : સૂક્ષ્મ જીવાણુઓ અથવા તેમની વિષાળુ પેદાશોનો માનવીને મારવા કે તેને અપંગ બનાવવા અથવા તેનાં પાળેલાં પ્રાણીઓ કે પાકને નુકસાન કરવા માટે લશ્કરી ઉપયોગ. કોઈ પણ લડાઈનો અંતિમ હેતુ દુશ્મનનું લડાયક મનોબળ ખતમ કરવાનો હોય છે. પરમાણ્વીય (nuclear), જૈવિક (biological) અથવા રાસાયણિક (chemical) યુદ્ધ એટલે NBC…

વધુ વાંચો >

જૉઇન્ટ સ્ટૉક કંપની

જૉઇન્ટ સ્ટૉક કંપની : કંપની ધારા 1956ની કલમ 566 અનુસાર કંપની કે જેની પાસે કાયમી ભરપાઈ થયેલી મૂડી હોય અથવા જેની મૂડી નિશ્ચિત શૅરોમાં વહેંચાયેલી હોય, અથવા જેનું સ્ટૉકમાં રૂપાંતર કરી શકાય તેવી મૂડી ધરાવતી હોય અને શૅર કે સ્ટૉક ધરાવનાર વ્યક્તિ જ કંપનીનો સભ્ય બની શકે એવો સિદ્ધાંત જે…

વધુ વાંચો >

જૉઇન્ટ સ્ટૉક બૅંક

જૉઇન્ટ સ્ટૉક બૅંક : જાહેર કંપનીથી ખાનગી બૅંકોને અલગ પાડવા ‘જૉઇન્ટ સ્ટૉક બૅંક’ પરિભાષા વપરાતી હતી. 100 વર્ષ પહેલાં ઇંગ્લૅન્ડમાં બૅંક ઑવ્ ´ગ્લૅન્ડ જૉઇન્ટ સ્ટૉક બૅંક હતી. 1825–26 દરમિયાન બૅંકિંગ-ક્ષેત્રે કટોકટીનો કાળ હતો છતાં પણ તે સમયે કોઈ પણ જૉઇન્ટ સ્ટૉક બૅંક નિષ્ફળ ગઈ ન હતી, જ્યારે 80 જેટલી ખાનગી…

વધુ વાંચો >

જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ)

જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ) (જ. 2 ફેબ્રુ. 1882, ડબ્લિન; અ. 13 જાન્યુઆરી 1941) : આયરિશ નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને કવિ. જેઝૂઇટ શાળાઓમાં અભ્યાસ કરી, 1902માં યુનિવર્સિટી કૉલેજ, ડબ્લિનમાંથી સ્નાતક થયા. આરંભથી જ તેમને વિવિધ ભાષાઓમાં રસ રહ્યો. તેમના વિકાસ પર મુખ્યત્વે હાઉપ્ટમાન, ડાન્ટે, જી. મુઅર અને ખ્યાતનામ આયરિશ કવિ…

વધુ વાંચો >

જૉકી

જૉકી : ધંધાદારી ઘોડેસવાર. રમતોમાં તેમજ યુદ્ધોમાં ઘોડાના ઉપયોગનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. યુદ્ધ તેમજ રમતમાં જેટલું ઘોડાનું તેટલું જ ઘોડેસવારનું મહત્વ છે, કારણ કે બંનેના સંપૂર્ણ તાલમેળથી જ યુદ્ધ અથવા રમતમાં જીત મેળવી શકાય છે. જૉકી એટલે કે ઘોડેસવાર જેટલો સાહસી, ચપળ અને સશક્ત હોય, તેટલા પ્રમાણમાં તે…

વધુ વાંચો >

જોગ ધોધ

જોગ ધોધ : કર્ણાટક રાજ્યના જોગ ગામની નજીક (શરાવતી નદી) આવેલો જગવિખ્યાત ધોધ. ભૌગોલિક સ્થાન : 14° 15´ ઉ. અ. 4° 45´ પૂ. રે.. શરાવતી નદીના કાંઠા પરના ગેરસપ્પા ગામથી 19 કિમી.ને પર અંતરે તથા જોગ ગામથી 2.5 કિમી.ને અંતરે તેનું સ્થળ પર્યટનસ્થળ તરીકે વિકસેલું છે. ધોધના સ્થળે નદીનો પટ…

વધુ વાંચો >

તસનીમ, નિરંજનસિંગ

Jan 26, 1997

તસનીમ, નિરંજનસિંગ (જ. 1929, અમૃતસર, પંજાબ) : જાણીતા પંજાબી નવલકથાકાર, વિવેચક તથા અનુવાદક. તેમને તેમની નવલકથા ‘ગવાચે અરથ’ માટે 1999ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ.ની પદવી મેળવી. પછી અધ્યાપન-ક્ષેત્રમાં જોડાયા. તેઓ લુધિયાણાની સરકારી કૉલેજમાંથી સેવાનિવૃત્ત થયા. તેઓ ભારતીય ઉચ્ચતર અધ્યયન…

વધુ વાંચો >

તસ્કન શૈલી

Jan 26, 1997

તસ્કન શૈલી : પ્રાચીન રોમ તથા ગ્રીસના સ્થાપત્યમાં સ્તંભરચના અંગે પ્રચલિત પાંચ શૈલીમાંની એક. અન્ય શૈલીઓમાં ડૉરિક, આયોનિક, કરિન્થિયન તથા મિશ્રનો સમાવેશ થાય છે. લાકડાના બાંધકામમાંથી ઉદભવેલી આ સૌથી સરળ શૈલીમાં સ્તંભના નીચેના વ્યાસથી સ્તંભની ઊંચાઈ સાત ગણી રખાય છે; તેમાંથી નીચેનો તથા ઉપરનો અડધો અડધો ભાગ બેઠક તથા શીર્ષ…

વધુ વાંચો >

તળાજા

Jan 26, 1997

તળાજા : ભાવનગર જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 21° 21´ ઉ. અ. અને 72° 03´ પૂ. રે.. શેત્રુંજી અને તળાજી નદીઓના સંગમ ઉપર આવેલું આ નગર પ્રાચીન બૌદ્ધ ગુફાઓ અને નરસિંહ મહેતાના જન્મસ્થળ તરીકે જાણીતું છે. અહીં પ્રાચીન કાળમાં વસતા તાલવ દૈત્યના નામ ઉપરથી તેનું ‘તાલધ્વજપુર’ નામ…

વધુ વાંચો >

તળેટી-હિમનદી

Jan 26, 1997

તળેટી-હિમનદી (piedmont glacier) : અલગ અલગ વહેતી બે કે વધુ ખીણ-હિમનદીઓ તેમના ઉપરવાસના ઓછાવત્તા સીધા ઢોળાવવાળા ખીણવિભાગોમાંથી હેઠવાસના પર્વતપ્રદેશના તળેટી-વિસ્તારમાં ભેગી થયા પછી હિમનદીના સ્વરૂપે વહેતો હિમજથ્થો. તળેટી-હિમનદી એ ખીણ હિમનદી (valley glacier) અને હિમચાદર (ice sheets) વચ્ચેનો પ્રકાર ગણાય છે. તે પર્વતપ્રદેશોના નીચાણવાળા, પ્રમાણમાં પહોળા વિસ્તારો પર ફેલાઈને વહે…

વધુ વાંચો >

તંગતમ્મૈ

Jan 26, 1997

તંગતમ્મૈ : ભારતીદાસન નામના તમિળ કવિએ લખેલા દીર્ઘકાવ્ય ‘કુડુંબ વિળકઠુ’નું મુખ્ય પાત્ર. તંગતમ્મૈનું કવિએ આદર્શ ગૃહિણી તરીકે ચિત્ર રજૂ કર્યું છે. આદર્શ કુટુંબ કેવું હોય, એવા કુટુંબમાં તેના સભ્યોનો પરસ્પર વ્યવહાર કેવો હોય અને એ કુટુંબમાં ગૃહિણીનો કેવો મહત્વનો ફાળો હોય તે એ પાત્ર દ્વારા દર્શાવ્યું છે. કાવ્ય પાંચ ભાગમાં…

વધુ વાંચો >

તંતુપ્રકાશિકી

Jan 26, 1997

તંતુપ્રકાશિકી (fibre optics) : કાચ અથવા પ્લાસ્ટિકના પારદર્શક તંતુઓ વડે પ્રકાશના ગુણક, પૂર્ણ આંતરિક પરાવર્તન(multiple total internal reflection)ના સિદ્ધાંત પર રચાયેલી ભૌતિકશાસ્ત્રની એક શાખા. આવા પ્રાકાશિક તંતુઓ અમુક સેન્ટિમીટર જેટલા નાના અંતરથી તે 160 કિલોમીટર કરતાં વધુ અંતર સુધી પ્રકાશનું વહન કરતા  હોય છે. તંતુઓ એકલા કે સમૂહમાં કાર્ય કરતા…

વધુ વાંચો >

તંત્રનિયમાવલી

Jan 26, 1997

તંત્રનિયમાવલી (manual) : વ્યાવસાયિક વ્યવસ્થાપન કેવી રીતે કરવું તે અંગે ટૂંકાણમાં વ્યવહારુ અને સ્પષ્ટ સૂચનાઓ આપતી માર્ગદર્શક પુસ્તિકા. ધંધાકીય એકમો વિસ્તૃત બજાર માટે ઉત્પાદન કરતા હોવાથી તેમનાં કદ મોટાં થયાં છે અને તેમનાં કાર્યો અને કાર્યસંબંધો જટિલ બન્યાં છે. તેથી ઉત્પાદન એકમના આયોજનના અમલ અને મૂલ્યાંકનની પ્રક્રિયાઓ ઉપર અંકુશ  અને…

વધુ વાંચો >

તંત્રશાસ્ત્ર

Jan 26, 1997

તંત્રશાસ્ત્ર : તત્વ અને મંત્રાદિના વિવિધ અર્થોનો જે વિસ્તાર કરે અને સાધકનું જે ત્રાણ એટલે રક્ષણ કરે તે તંત્ર. આ અતિપ્રાચીન શાસ્ત્રને વેદની સમકક્ષ ગણવામાં આવે છે. તંત્રશાસ્ત્રનું એક નામ આગમશાસ્ત્ર છે. વેદોનું એક નામ નિગમ છે. આ બન્ને નામો ભેગાં કરીને આગમ-નિગમ રહસ્યમયશાસ્ત્ર તરીકે ઓળખાય છે. મહાદેવજીએ ઉપદેશેલું, ગિરિજાએ…

વધુ વાંચો >

તંદ્રા

Jan 26, 1997

તંદ્રા : મનની જાગૃતિ અને સુષુપ્તિ અવસ્થાઓ વચ્ચેની સ્થિતિ. આ અવસ્થા મન અને દેહ ઉભયની વિકૃત-વિશિષ્ટ સંજ્ઞારૂપ છે. મનની ત્રણ સ્થિતિ છે : (1) જાગ્રત (2) સુષુપ્તિ (નિદ્રસ્થ) અને (3) તંદ્રા, જાગ્રત અવસ્થામાં મોટું મન પૂર્ણ જાગ્રત, ચૈતન્યપૂર્ણ હોઈ, ઇંદ્રિયો પોતાના બધા વિષયોને સારી રીતે ગ્રહણ કરી શકે છે. જ્યારે…

વધુ વાંચો >

તંપિ ઈરાસન

Jan 26, 1997

તંપિ ઈરાસન (1782–1856) : મલયાળમ ભાષાના કવિ. ત્રાવણકોરના મહારાજાના નિકટના સંબંધી હતા. નાનપણમાં જ સંસ્કૃતનું ઊંડું અધ્યયન કરેલું. તેઓ નાનપણથી ગીતો લખતા. જાહેરમાં સ્વરચિત ગીતો ગાતા. એમની કવિ તરીકે ખ્યાતિ એટલી પ્રસરેલી કે ત્રાવણકોરના મહારાજા તિરુ પાલે એમને દરબારના રાજકવિ નીમેલા. કેરળનું વિશિષ્ટ નૃત્ય કથકલિ હતું. કથકલિ નૃત્ય વખતે જે…

વધુ વાંચો >