Kannad literature

અક્ક મહાદેવી (સર્વજનપ્રિય મહાદેવી)

અક્ક મહાદેવી (સર્વજનપ્રિય મહાદેવી) (જ. આશરે 1130; ઊડુતડિ, જિ. શિવમોગ્ગા કર્ણાટક; અ. 1160 શ્રીશૈલમ્) : મધ્યકાળની સુપ્રસિદ્ધ કન્નડ કવયિત્રી. નાનપણથી શ્રીશૈલના મલ્લિકાર્જુનને પોતાનો પતિ ગણેલો. એક માન્યતા અનુસાર ત્યાંના રાજા કૌશિક સાથે તેનાં લગ્ન થયેલાં, પણ થોડા વખતમાં જ તેનો સંબંધ તોડીને તે મલ્લિકાર્જુનની શોધમાં નીકળી પડેલી. છેવટે શ્રીશૈલના કદલીવનમાં…

વધુ વાંચો >

અક્ષરમાળા

અક્ષરમાળા : ગુજરાતીના ‘કક્કા’ પ્રકારનો કન્નડ કાવ્યપ્રકાર. એમાં પંક્તિની શરૂઆત મૂળાક્ષરના પ્રથમ અક્ષર ‘અ’થી થાય છે અને ‘જ્ઞ’થી કાવ્યની અંતિમ પંક્તિની શરૂઆત થાય છે. રચનાની વિશિષ્ટતા ઉપરાંત એમાં કાવ્યતત્ત્વ પણ હોય છે, કારણ કે કવિને બંધન માત્ર પંક્તિના પ્રથમ અક્ષર પૂરતું જ હોય છે. કન્નડનાં ત્રણ કવિરત્નો (પંપ, પોન્ન અને…

વધુ વાંચો >

અજિતનાથપુરાણ

અજિતનાથપુરાણ : મધ્યકાલીન કન્નડ કાવ્ય. કવિ રત્નની શાંતરસપ્રધાન પ્રશિષ્ટ રચના. એમાં જૈનોના બીજા તીર્થંકર અજિતનાથની કથા ગદ્યપદ્યમિશ્ર એવી ચંપૂશૈલીમાં નિરૂપાઈ છે. એ કથા જોડે દ્વિતીય ચક્રવર્તી મગરની કથા પણ સાંકળેલી છે. આરંભે કાવ્યલેખનની પ્રેરણા આપનાર સાધ્વી અતિમવ્વૈના ગંગા સમાન પવિત્ર ચરિત્રનું વર્ણન કર્યું છે. જૈન કાવ્યોમાં કર્મફળના સિદ્ધાંતને સમજાવવા પાત્રોના…

વધુ વાંચો >

અડિગ, ગોપાલ કૃષ્ણ

અડિગ, ગોપાલ કૃષ્ણ (જ. 18 ફેબ્રુઆરી 1918, મોગરી; અ. 14 નવેમ્બર 1992, બેંગાલુરુ, કર્ણાટક) : આધુનિક કન્નડ કવિ. મૈસૂર વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજી વિષય લઈને એમ.એ.ની પદવી મેળવી. મૈસૂર વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજીનું અધ્યાપન કર્યું. ઉડૂપીમાં પૂર્ણયજ્ઞ મહાવિદ્યાલયના આચાર્ય. કન્નડ ત્રૈમાસિકના સંપાદક. સ્વાતંત્ર્યોત્તર કન્નડ સાહિત્ય પર અડિગનો વ્યાપક પ્રભાવ હતો. ‘ભાવતરંગ’ (1946); ‘કુટ્ટવેવુનાચુ’ (1948);…

વધુ વાંચો >

અનંતનાથ પુરાણ

અનંતનાથ પુરાણ (તેરમી સદી) : મધ્યકાલીન કન્નડ કવિ જન્નની પ્રસિદ્ધ કાવ્યકૃતિ. એમાં ચૌદમા તીર્થંકર અનંતનાથની કથા ચૌદ અધ્યાયોમાં ચમ્પૂશૈલીમાં-ગદ્યપદ્યમિશ્ર-કહેવાઈ છે. કાવ્યનું કથાનક સંસ્કૃત ‘ઉત્તરપુરાણ’, કન્નડ ‘ચાવુંડરાય પુરાણ’ અને ‘અનંતનાથ પુરાણ’માંથી લીધેલું છે. તેમાં કવિએ પોતાની રીતે થોડા ફેરફારો કર્યા છે. ચંમ્પૂકાવ્યમાં આવતાં અઢાર પ્રકારનાં વર્ણનો તથા જૈન પુરાણની અષ્ટાંગ રૂઢિઓને…

વધુ વાંચો >

અનંતમૂર્તિ, યુ. આર.

અનંતમૂર્તિ, યુ. આર. (જ. 21 ડિસેમ્બર 1932, થીરથાહલ્લી, તા. શિમોગા, જિ. કર્ણાટક, અ. 22 ઑગસ્ટ 2014, બૅંગાલુરુ, કર્ણાટક) : આધુનિક કન્નડ લેખક.  સ્વાતંત્ર્યોત્તર કાળના કન્નડ સાહિત્યમાં અનંતમૂર્તિનું આગવું સ્થાન છે. બૅંગ્લોરની મહારાજા કૉલેજમાંથી અંગ્રેજી વિષય લઈને એમ.એ.ની પદવી લીધી. પછી ઇંગ્લૅન્ડ જઈને પીએચ.ડી. થયા. એમણે નવલકથા, નાટક, કવિતા તથા વિવેચન…

વધુ વાંચો >

અભિનવ દશકુમારચરિતમ્

અભિનવ દશકુમારચરિતમ્ (લગભગ બારમી સદી) : પ્રાચીન તેલુગુ ગદ્યગ્રંથ. રચયિતા ચૌંડરસ. સંસ્કૃતની કવિ દંડીરચિત પ્રસિદ્ધ કૃતિ ‘દશકુમારચરિત’નું આ કન્નડ રૂપ છે અને એ ચમ્પૂ – ગદ્યપદ્યમિશ્ર – શૈલીમાં લખાયું છે. મૂળ કથાનકોને વળગી રહેવા છતાં, કવિએ એમાં સ્થલકાલોચિત પરિવર્તનો કર્યાં છે અને મૂળ કથાઓમાં સારો એવો ઉમેરો પણ કર્યો છે.…

વધુ વાંચો >

અમૂર ગુરુરાજ શ્યામાચાર્ય

અમૂર, ગુરુરાજ શ્યામાચાર્ય (જ. 8 મે 1925, ધારવાડ, કર્ણાટક; અ. 28 સપ્ટેમ્બર 2020, બૅંગાલુરુ, કર્ણાટક) : અંગ્રેજી તથા કન્નડ ભાષાના વિદ્વાન, વિવેચક તથા અનુવાદક. તેમને તેમની શ્રેષ્ઠ વિવેચનાત્મક કૃતિ ‘ભુવનદ ભાગ્ય’ માટે 1996ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે કન્નડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી અને તેમનું પોસ્ટ-ડૉક્ટરલ સંશોધનકાર્ય…

વધુ વાંચો >

અરળુમરળુ

અરળુમરળુ (1956) : જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા કન્નડ કવિ ડી. આર. બેન્દ્રેનો કાવ્યસંગ્રહ. તેને માટે એમને સાહિત્ય અકાદમીનો 1958નો પુરસ્કાર પ્રાપ્ત થયેલો. ‘સૂર્યપાન’, ‘હરિદયાસમુદ્ર’, ‘મુક્તકાંતા’, ‘ચૈત્યાલય’ અને ‘જીવનલહરી’ – એ પાંચ કાવ્યસંગ્રહોમાંથી પસંદ કરેલી 273 રચનાઓનો આ સંગ્રહ છે. કવિની કાવ્યધારાએ રંગદર્શી ઊર્મિકવિતામાંથી આધ્યાત્મિક દિશામાં કેવો વળાંક લીધો તેનો તબક્કાવાર પરિચય…

વધુ વાંચો >

અરાળુ-બરાળુ

અરાળુ-બરાળુ (1973) : કન્નડ કાવ્યકૃતિ. કન્નડના ખ્યાતનામ કવિ સીતારામૈયાકૃત અને 1973નો શ્રેષ્ઠ કન્નડ પુસ્તકનો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પામેલા આ કાવ્યસંગ્રહમાં 51 રચનાઓ છે. તેમાં વિષય અને કાવ્યરીતિનું પ્રચુર વૈવિધ્ય છે. સીતારામૈયાનું કન્નડ કાવ્યસાહિત્યમાં સૌંદર્યના ગાયક તરીકે અનન્ય સ્થાન છે. તેમના પ્રથમ કાવ્યમાં જ એમણે કહ્યું છે : ‘‘જગતની ગરીબી ખોરાક…

વધુ વાંચો >