મૃગેશ શુક્લ

નાઇટ્રીકરણ (nitrification)

નાઇટ્રીકરણ (nitrification) : સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિજ અને પ્રાણિજ અવશિષ્ટ દ્રવ્ય તેમજ મૃત અવશેષોમાંના એમોનિયાનું ઉપચયન કરી નાઇટ્રેટમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા. એમોનિયામાંથી નાઇટ્રેટ બનવાની પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. નાઇટ્રીકરણ વિશેની માહિતી 1877માં સૌપ્રથમ સ્ક્લોશિંગ અને મુન્ટ્ઝ નામના વૈજ્ઞાનિકોએ મેળવી હતી. જ્યારે વિનોગ્રાડ્સ્કીએ આ પ્રક્રિયા માટે જવાબદાર બૅક્ટેરિયાની શોધ કરી હતી.…

વધુ વાંચો >

નાઇટ્રોજન સ્થાપક જીવાણુ (nitrogen fixing bacteria)

નાઇટ્રોજન સ્થાપક જીવાણુ (nitrogen fixing bacteria) : હવામાં રહેલ નાઇટ્રોજનનું અપચયન કરી તેને સંકીર્ણ પદાર્થમાં ફેરવવાની ક્ષમતા ધરાવતા સૂક્ષ્મજીવો. ડાયેઝોટ્રૉફ નામે ઓળખાતા આ બૅક્ટેરિયાનો સમૂહ મુક્ત નાઇટ્રોજન(N2)ને એમોનિયા(NH3)માં ફેરવી શકે છે. વીજળી(lightning), પારજાંબલી કિરણો અને દહનને લીધે સ્થિરીકરણ થતું હોય છે. પણ  જેટલું વૈશ્વિક સ્થિરીકરણ માત્ર જૈવિક પ્રક્રિયાને આભારી હોય…

વધુ વાંચો >

નીલ-હરિત લીલ (blue-green algae)

નીલ-હરિત લીલ (blue-green algae) : મોનેરા સૃષ્ટિના સાયેનોબૅક્ટેરિયા વર્ગના સૂક્ષ્મજીવો. દેખાવમાં તે લીલ (algae) સાથે સાદૃશ્ય ધરાવે છે; પરંતુ તેની રચના બૅક્ટેરિયા જેવી હોય છે. બૅક્ટેરિયાની જેમ તેનું કોષકેન્દ્ર આવરણ વિનાનું હોય છે. લીલી વનસ્પતિની જેમ પ્રકાશ-સંશ્લેષણ દરમિયાન આણ્વિક ઑક્સિજનને તે મુક્ત કરે છે. કેટલાક નિષ્ણાતો આજે પણ તેને સાયનોફાયસી…

વધુ વાંચો >

પાશ્ચર લુઇ

પાશ્ચર, લુઇ (જ. 27 ડિસેમ્બર 1822, ડોલે, ફ્રાન્સ; અ. 28 સપ્ટેમ્બર 1895, સેન્ટ ક્લાઉડ, પૅરિસ નજીક) : પ્રસિદ્ધ ફ્રેન્ચ રસાયણવિદ અને સૂક્ષ્મજીવાણુશાસ્ત્રી. વિજ્ઞાનમાં આંતરસૂઝ અને  પ્રાયોગિક નિપુણતા ધરાવતા હોવાથી તેમણે જે કોઈ ક્ષેત્રમાં કાર્ય કર્યું તેમાં પાયાનાં સંશોધનો કર્યાં અને આ સંશોધનોનો ઉદ્યોગો અને માનવજાતના કલ્યાણ માટે ઉપયોગ કર્યો. ખાદ્ય…

વધુ વાંચો >