માડગૂળકર વ્યંકટેશ દિગંબર

માડગૂળકર, વ્યંકટેશ દિગંબર

માડગૂળકર, વ્યંકટેશ દિગંબર (જ. 6 જુલાઈ 1927, માડગૂળ, જિ. સાંગલી, મહારાષ્ટ્ર) : મરાઠી વાર્તાકાર, નિબંધકાર, નાટ્યકાર તથા નવલકથાકાર. તેમની નવલકથા ‘સત્તાંતર’ માટે તેમને 1983ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઔપચારિક શિક્ષણ ઓછું હોવા છતાં તેમણે સ્વપ્રયત્ને વાઙમયનો વ્યાસંગ કર્યો. જાતે અંગ્રેજી ભાષા શીખ્યા અને પાશ્ચાત્ય સાહિત્યનુ્ં વાચન કર્યું.…

વધુ વાંચો >