બેરેટો ફ્રાંસિસ્કો

બેરેટો, ફ્રાંસિસ્કો

બેરેટો, ફ્રાંસિસ્કો (જ. 1520, ફેરો, પૉર્ટુગીઝ; અ. 9 જુલાઈ 1573, મોઝાંબિક) : પૉર્ટુગીઝ સેનાપતિ અને ભારતનાં સંસ્થાનોમાં ગવર્નર. વસાઈના કૅપ્ટન ફ્રાંસિસ્કો બેરેટો 1555માં ભારતમાં પૉર્ટુગીઝ સંસ્થાનોના ગવર્નર બન્યા. તેમણે સપ્ટેમ્બર 1558 સુધી આ હોદ્દો ભોગવ્યો. આ દરમિયાન ચાર ખ્રિસ્તી ધર્મગુરુઓ તેમને મળ્યા અને કહ્યું કે તે પોતાના પ્રદેશોના બધા લોકોને…

વધુ વાંચો >