નલિન પંડ્યા

આટરબોમ, પેઅર ડાનિયલ આમાડેઅસ

આટરબોમ, પેઅર ડાનિયલ આમાડેઅસ (જ. 19 જાન્યુઆરી 1790, ઑસ્બૉર્ન, સ્વિડન; અ. 21 જુલાઈ 1855, સ્ટોકહોમ, સ્વિડન) : સ્વિડિશ કવિ અને વિવેચક. અપ્સાલ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું અને ત્યાં જ 1835માં પ્રાધ્યાપક થયા. સ્વિડનના સ્વચ્છંદતા આંદોલનમાં આગેવાની લીધેલી. સ્વૈરવિહારી સાહિત્યમંડળના સામયિકમાં સંખ્યાબંધ કાવ્યો અને લેખો તેમણે લખેલાં. કાવ્ય વિશેના તેમના વિચારોમાં શેલિંગની…

વધુ વાંચો >

આન્દ્રિવ, લિયોનીદ નિકોલાઇવિચ

આન્દ્રિવ, લિયોનીદ નિકોલાઇવિચ (જ. 21 ઑગસ્ટ 1871, ઓર્યોલ; અ. 12 સપ્ટેમ્બર 1919, ફિનલૅન્ડ) : રશિયન વાર્તાકાર અને નાટ્યકાર. રશિયન સાહિત્યમાં તે નિરાશાવાદી લેખક તરીકે જાણીતા છે. તેમણે 1894માં અનેક વાર આપઘાતના પ્રયત્નો કર્યા હતા. કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરીને તેઓ બૅરિસ્ટર થયેલા. તેઓ ગુનાઓના અખબારી અહેવાલ લખતા. મૅક્સિમ ગૉર્કીના તેઓ મિત્ર હતા.…

વધુ વાંચો >

ઍન્ડ્રિચ, ઇવો

ઍન્ડ્રિચ, ઇવો (જ. 10 ઑક્ટોબર 1982, ત્રાવનિક, યુગોસ્લાવિયા અ. 13 માર્ચ 1975, બેલગ્રેડ) : સર્બો-ક્રૉએશિયન નવલકથાઓ અને ટૂંકી વાર્તાના લેખક. તેમને 1961માં નોબેલ પુરસ્કાર અપાયો હતો. ઍન્ડ્રિચનો ઉછેર વિવિધ ધર્મ અને જાતિના લોકોના સંઘર્ષયુક્ત વાતાવરણમાં થયો હતો. શિક્ષણ સરજેવો નામના શહેરમાં. પ્રિય વિષય ફિલસૂફી. ઉચ્ચશિક્ષણ ઝગ્રેબ, વિયેના, ક્રેકો અને ગ્રેઝ…

વધુ વાંચો >

ધ્રુવ, આનંદશંકર

ધ્રુવ, આનંદશંકર (જ. 25 જાન્યુઆરી 1869, અમદાવાદ; અ. 7 એપ્રિલ 1942) : શિક્ષણ, સાહિત્ય, ધર્મ અને સંસ્કૃતિના વિષયોના સમર્થ તત્વચિંતક. પિતા બાપુભાઈ અને માતા મણિબા; બાળપણ વડોદરા અને રાજકોટમાં સુખમાં ધાર્મિક પરંપરામાં વીત્યું હતું. એમ.એ., એલએલ.બી. સુધીનું તેમણે શિક્ષણ લીધેલું. ષડ્દર્શનોનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો. 1893માં ગુજરાત કૉલેજમાં સંસ્કૃતના…

વધુ વાંચો >