નગીનદાસ જીવણલાલ શાહ

વિજ્ઞાનવાદ

વિજ્ઞાનવાદ : બૌદ્ધ ધર્મના તત્વજ્ઞાનનો સિદ્ધાંત. અદ્વય શુદ્ધ વિજ્ઞાન જ પરમાર્થ સત્ છે. જગતના બધા પદાર્થો મિથ્યા છે. વિજ્ઞાનવાદનો મૂળભૂત સિદ્ધાંત આ છે. તે કેવળ વિજ્ઞાનને જ પરમાર્થ માનતું હોઈ તેને ‘વિજ્ઞાનવાદ’ નામ મળ્યું છે. તે વિજ્ઞાનને ગ્રાહ્ય-ગ્રાહકના દ્વૈતથી રહિત માનતું હોઈ, તેને અદ્વયવિજ્ઞાનવાદ કે વિજ્ઞાનાદ્વૈતવાદ પણ કહેવામાં આવે છે.…

વધુ વાંચો >

વૈશેષિક દર્શન

વૈશેષિક દર્શન : પ્રાચીન ભારતીય આસ્તિક દર્શન. પ્રસિદ્ધ છ દર્શનો(ષડ્દર્શન)માંનું તે એક છે. ‘વૈશેષિક’ નામ ‘વિશેષ’ શબ્દ ઉપરથી બન્યું છે. ‘વિશેષ’ નામનો સ્વતંત્ર પદાર્થ માનતું હોવાથી આ દર્શનનું નામ ‘વૈશેષિક’ પડ્યું છે. આ દર્શનના પ્રણેતા કણાદ ઋષિ છે. કણાદે ‘વૈશેષિક સૂત્ર’ની રચના કરી છે. તેનો સમય ઈ. સ.ની પ્રથમ શતાબ્દી…

વધુ વાંચો >