દશરથલાલ ગૌ. વેદિયા
બ્રહ્મવૈવર્ત-પુરાણ
બ્રહ્મવૈવર્ત-પુરાણ : ભારતનાં અઢાર પુરાણોમાંનું દસમું પુરાણ. આ પુરાણને દેવીભાગવત સાતમા, ભાગવત અને કૂર્મપુરાણ નવમા ક્રમે હોવાનું ગણાવે છે. આ પુરાણનું નામાભિધાન બ્રહ્મમાંથી વિવર્ત રૂપે થયેલ બ્રહ્માંડ કે સૃષ્ટિરચનાનું સૂચન કરે છે. વિષ્ણુપુરાણ, માર્કંડેયપુરાણ, લિંગપુરાણ, વાયુપુરાણ, કૂર્મપુરાણ અને પદ્મપુરાણ આ પુરાણની શ્ર્લોક-સંખ્યા આપતાં નથી. શિવમહાપુરાણ, દેવીભાગવત, ભાગવત, નારદીય, મત્સ્ય અને…
વધુ વાંચો >સંપ્રદાય
સંપ્રદાય : કોઈ એક વિચારધારાને અનુસરનારો વર્ગ. સામાન્ય રીતે કોઈ એક દાર્શનિક વિચારધારાને અનુસરનારા વર્ગ માટે ‘સંપ્રદાય’ શબ્દ પ્રયોજાય છે. સંપ્રદાય, મજહબ, પંથ વગેરે પર્યાયો છે. સંપ્રદાયો આચારભેદ, કર્મકાંડભેદ, માન્યતાભેદ અથવા વ્યક્તિ કે ગ્રંથના અનુસરણને કારણે અસ્તિત્વમાં આવે છે. सम्प्रदीयते यस्मिन् इति सम्प्रदाय: । જેમાં આચાર, વિચાર, વ્યક્તિ, ગ્રંથ આદિને…
વધુ વાંચો >સાહિત્ય
સાહિત્ય : વાઙ્મયનો એક પ્રકાર. વાક્ એટલે ચોક્કસ પ્રકારના અર્થવાળી શબ્દરચના. વાક્ની બનેલી રચના તે વાઙ્મય. વાઙ્મયના સાહિત્ય અને શાસ્ત્ર બે પ્રકાર છે. દંડી અને રાજશેખર તેને (1) વક્રોક્તિનું બનેલું કલ્પનોત્થ લલિત સાહિત્ય અને (2) વાસ્તવિક સૃષ્ટિનું યથાતથ નિરૂપણ કરતું લલિતેતર સાહિત્ય – બે પ્રકાર આપે છે. આમ શાસ્ત્રમાં સ્વભાવોક્તિનું…
વધુ વાંચો >સિદ્ધાંતતત્વવિવેક
સિદ્ધાંતતત્વવિવેક : સિદ્ધાંત જ્યોતિષશાસ્ત્રનો એક પ્રમાણિત ગ્રંથ. ‘સિદ્ધાંતતત્વવિવેક’ કમલાકરનો પ્રસ્થાપિત સિદ્ધાંત પણ છે. વિદર્ભ દેશના પાથરી નામના ગામની પશ્ચિમે લગભગ અઢી યોજન દૂર ગોદા નદીના કિનારે આવેલા સોલા ગામનું એક વિદ્વત્કુલ કાશી જઈને વસ્યું હતું. આ કુળમાં વિષ્ણુ નામના પુરુષના કુળમાં પ્રસિદ્ધ ટીકાકાર વિશ્વનાથ અને ‘સિદ્ધાંતતત્વવિવેક’કારનો જન્મ શકસંવત 1530માં થયો…
વધુ વાંચો >સિદ્ધાંતશિરોમણિ
સિદ્ધાંતશિરોમણિ : ભાસ્કરાચાર્યનો જ્યોતિષશાસ્ત્રનો એક પ્રખ્યાત ગ્રંથ. આ ગ્રંથના ‘ગોલાધ્યાય’ના ‘પ્રશ્ર્નાધ્યાય’ શ્લોક 54 અનુસાર તેમનો જન્મ શક 1036માં થયો હતો. તેમણે 1072(શક)માં ‘સિદ્ધાંતશિરોમણિ’ અને શક 1105ના આરંભે ‘કરણકુતૂહલ’ નામે ગ્રંથો રચ્યા હતા. ‘સિદ્ધાંતશિરોમણિ’ના ગ્રહગણિત અને ‘ગોલાધ્યાય’ ઉપર તેમની ટીકા ‘વાસના ભાષ્ય’ નામે છે. તેમાં એક સ્થળે (‘વાતાધિકાર’માં) તે કહે છે…
વધુ વાંચો >સિદ્ધાંતશેખર
સિદ્ધાંતશેખર : શ્રીપતિનો જ્યોતિષશાસ્ત્રનો એક પ્રમાણિત ગ્રંથ. ભાસ્કરાચાર્યે શ્રીપતિના ‘સિદ્ધાંતશેખર’ ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે. ‘જ્યોતિષદર્પણ’ (શક 1479) નામના મુહૂર્તગ્રંથ અને ‘સિદ્ધાંત-શિરોમણિ’ની ‘મરીચિ’ નામની ટીકામાં તેમનાં વચનો છે. ‘સિદ્ધાંત-શેખર’ અને ‘ધીકોટિકરણ’ નામના ગ્રંથો શ્રીપતિએ રચેલા છે. ‘રત્નમાલા’ નામે ‘મુહૂર્તગ્રંથ અને ‘જાતકપદ્ધતિ’ નામે જાતકગ્રંથો પણ તેમના નામે છે. તેમનાં ચંદ્ર-સૂર્યગ્રહણનાં પ્રકરણો (19…
વધુ વાંચો >સુદર્શનચક્ર
સુદર્શનચક્ર : ભગવાન વિષ્ણુનું એક જાણીતું આયુધ. तेजस्तत्त्व सुदशनिम्(ભાગવતપુરાણ 12-11-14)માં તેને તેજતત્વ કહ્યું છે. ગોપાલોત્તરતાપનીય ઉપનિષદ (25) અનુસાર બાળકસમું અતિચંચળ સમદૃષ્ટિમન જ સુદર્શનચક્ર છે. (बालस्वरूपमित्यन्तं मनश्चक्रं निगद्यते ।)સુદર્શનચક્રનો મંત્ર जं खं वं सुदर्शनाय नम: છે. તે અગ્નિપુરાણમાં મળે છે. અગ્નિપુરાણમાં સુદર્શનચક્રનાં ન્યાસ, ધ્યાન વગેરેનું વર્ણન પણ છે. ‘सहस्रार हुं फट्…
વધુ વાંચો >સુબુદ્ધિ મિશ્ર
સુબુદ્ધિ મિશ્ર : સોળમા સૈકામાં થઈ ગયેલા એક નૈયાયિક અને આલંકારિક. સુબુદ્ધિ મિશ્ર મહેશ્વર ન્યાયાલંકાર તરીકે પણ પ્રસિદ્ધ હતા. તેમણે વામનાચાર્ય ઉપર ‘આદર્શ’ નામે ટીકાગ્રંથ લખ્યો છે. આ ગ્રંથ કોલકાતાથી પ્રકાશિત થયો હોવાનું શ્રી એમ. કૃષ્ણાયાચારિયરે સંસ્કૃતસાહિત્યના ઇતિહાસમાં નોંધ્યું છે. તેમના જીવન અને સાહિત્યોપાસના વિશે અન્ય કોઈ વિગતો મળતી નથી.…
વધુ વાંચો >સૂર્યપૂજા
સૂર્યપૂજા : વિશ્વના આદિદેવ સૂર્યની પૂજા. સૂર્ય ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ એક સળગતો ગોળો છે. જુદા જુદા જલદી સળગી ઊઠે તેવા વાયુઓ સૂર્યની ભઠ્ઠી(ઊખા)ની રાસાયણિક પ્રક્રિયા જીવિત રાખે છે. તેમાંથી જન્મતાં ઉષ્ણતા અને પ્રકાશ ઘણા કિલોમિટરો સુધી પથરાય છે. તેનો અખૂટ જથ્થો ઘણાં વર્ષોથી ચાલે છે. મુખ્યત્વે સૂર્ય પ્રકાશ અને ઉષ્ણતા આપે…
વધુ વાંચો >સૂર્યવંશ
સૂર્યવંશ : સૂર્યથી પ્રવર્તેલો માનવવંશ. પૌરાણિક સાહિત્યમાં સૂર્ય, સોમ, સ્વાયંભુવ, ભવિષ્ય અને માનવેતર વંશોનું વર્ણન મળે છે. સૂર્ય-વંશના આદ્ય સ્થાપક વૈવસ્વત મનુએ પોતાનું રાજ્ય પોતાના નવ પુત્રોને વહેંચી દીધું હતું. તેમાંથી પાંચ પુત્રો અને પૌત્ર વંશકર થયા હતા. ઇક્ષ્વાકુ વંશનું પ્રવર્તન અયોધ્યામાં ઇક્ષ્વાકુએ કર્યું. ઇક્ષ્વાકુપુત્ર નિમિએ વિદેહમાં વંશીય શાસન પ્રવર્તાવ્યું.…
વધુ વાંચો >