અપભ્રંશ-પાલિ-પ્રાકૃત સાહિત્ય

અક્ખાણમણિકોસ (‘આખ્યાનમણિકોશ’)

અક્ખાણમણિકોસ (‘આખ્યાનમણિકોશ’) (ઈ. સ. અગિયારમી–બારમી સદી) : આર્યા છંદમાં રચાયેલો બાવન ગાથાનો પ્રાકૃત ભાષાનો ગ્રંથ. કર્તા નેમિચંદ્રસૂરિ. આમ્રદેવસૂરિએ (ઈ. સ. 1134) તેના પર પ્રાકૃત પદ્યમાં ટીકા લખી છે, જેમાં યત્ર તત્ર સંસ્કૃત પદ્ય અને પ્રાકૃત ગદ્ય પણ જોવા મળે છે. ગ્રંથમાં 41 અધિકાર અને 146 આખ્યાન છે. બુદ્ધિકૌશલ સમજાવવા માટેના…

વધુ વાંચો >

અટ્ઠકહાઓ

અટ્ઠકહાઓ : ત્રિપિટકના મૂળ ગ્રંથો ઉપરની ભાષ્યવજ્જા નામની પ્રથમ ટીકા. ત્રિપિટક જેટલા જ મહત્વપૂર્ણ ગ્રંથો ઉપરની ટીકાને અટ્ઠકહા નામ આપ્યું હોય તેમ લાગે છે, જેમ કે ‘નેત્તિપકરણ અટ્ઠકહા’, ‘મહાવંસ અટ્ઠકહા’ વગેરે. પાલિ ભાષાના મૂળ ગ્રંથોને વાંચવા માટે ‘અટ્ઠકહા’ની જરૂર પડે છે. તેથી જુદા જુદા પ્રદેશમાં રહેનારા વિદ્વાનોએ ‘અટ્ઠકહા’ રચી હોવી…

વધુ વાંચો >

અણુઓગદ્દારસુત્ત (અનુયોગદ્વારસૂત્ર)

અણુઓગદ્દારસુત્ત (અનુયોગદ્વારસૂત્ર) : શ્વેતાંબર જૈન આગમશાસ્ત્રનો તત્વગ્રંથ. અણુઓગદ્દારસુત્ત(વિકલ્પે : -દ્દારાઈ, દ્દારા. સં. અનુયોગદ્વારસૂત્ર)ની ગણના નંદિસુત્ત પછી થાય છે. શ્વેતાંબર પરંપરામાં આ બે ગ્રંથોનું સ્થાન ‘મૂલસૂત્રો’ની પહેલાં અને ‘છેદસૂત્રો’ની પછી આપવામાં આવ્યું છે. ‘આવસ્સયનિજ્જુત્તિ’ના બીજા સંસ્કરણ (redaction, સંવૃદ્ધ સંસ્કરણ) દરમિયાન અલગ પડી ગયેલા આ ‘નંદી-અનુયોગદ્વાર’નું જોડકું, મૂળે તો આવશ્યક પરંપરાના બે…

વધુ વાંચો >

અણુવય-રયણ-પઇવ (1256)

અણુવય-રયણ-પઇવ (1256) (સં. અણુવ્રત–રત્ન–પ્રદીપ) : કોઈ જાયસવંશીય કવિ લક્ષ્મણકૃત અપભ્રંશ ભાષાની કાવ્યકૃતિ. કવિ યમુનાતટ પર સ્થિત કોઈ ‘રાયવડ્ડિય’ (રાયવાડી) નામક નગરીનો નિવાસી હતો. તેના પિતાનું નામ સાહુલ અને માતાનું નામ જઈતા હતું. યમુનાતટ પરની જ ચંદવાડ નામે નગરીના ચૌહાણવંશી રાજા આહવમલ્લનો મંત્રી કણ્હ (કૃષ્ણ) કવિનો આશ્રયદાતા અને પ્રેરણાદાતા હતો. પ્રસ્તુત…

વધુ વાંચો >

અપભ્રંશ ભાષા અને સાહિત્ય

અપભ્રંશ ભાષા અને સાહિત્ય પ્રાકૃતો અને આધુનિક ભારતીય આર્યભાષાઓની વચ્ચેની કડીભાષા. પ્રાકૃત ભાષાઓના અંતિમ તબક્કાને અપભ્રંશ તરીકે ઓળખવામાં આવે છે. હિંદી, ગુજરાતી, મરાઠી, બંગાળી આદિ આધુનિક ભારતીય આર્યભાષાઓ તેમાંથી ઊતરી આવી છે. ભાષાસંદર્ભે અપભ્રંશનો જૂનામાં જૂનો ઉલ્લેખ પતંજલિના મહાભાષ્યમાં મળે છે, જેમાં તે કહે છે – ‘દરેક શુદ્ધ શબ્દનાં ઘણાં…

વધુ વાંચો >

અભયદેવસૂરિ

અભયદેવસૂરિ (પ્રથમ) (ઈ. 10મી સદી) : રાજગચ્છના પ્રસિદ્ધ વિદ્વાન જૈનાચાર્ય. તેઓ સોલંકી વંશના સ્થાપક રાજવી મૂળરાજ(942-997)ના સમકાલીન હતા. તેમણે સિદ્ધસેન દિવાકરે રચેલા ‘સન્મતિપ્રકરણ’ ઉપર ‘તત્વબોધવિધાયિની’ નામની ટીકા રચી હતી. (આ ટીકા ‘વાદમહાર્ણવ’ નામથી પણ પ્રસિદ્ધ છે.) આ દાર્શનિક સાહિત્યકૃતિથી તેઓ ‘તર્કપંચાનન’ અને ‘ન્યાયવનસિંહ’ જેવાં બિરુદો પામ્યા હતા. માલવપતિ મુંજની સભામાં…

વધુ વાંચો >

અભિધાન-રાજેન્દ્રકોશ

અભિધાન-રાજેન્દ્રકોશ : સૌધર્મતપાગચ્છીય શ્વેતામ્બર જૈન આચાર્ય વિજયરાજેન્દ્રસૂરિએ પંદર વર્ષ (ઈ.સ. 1890-1904)ના પરિશ્રમથી જૈન સૈદ્ધાંતિક પ્રાકૃત શબ્દોનો આ મહાકોશ રચ્યો હતો, અને જૈન શ્વેતાંબર સંઘ, રતલામ દ્વારા ઈ.સ. 1913થી 1934 દરમિયાન તે સાત ભાગમાં પ્રકાશિત થયો હતો. આમાં અકારાદિ વર્ણાનુક્રમથી લગભગ 60,000 પ્રાકૃત શબ્દોનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. પ્રત્યેક શબ્દની…

વધુ વાંચો >

અર્ધમાગધી કોશ

અર્ધમાગધી કોશ (1923-1938) : સંસ્કૃત, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પર્યાયો આપતો અર્ધમાગધી ભાષાનો કોશ. જૈન મુનિ રત્નચંદ્રજીએ રચેલો અને શ્વેતામ્બર સ્થાનકવાસી કૉન્ફરન્સ, ઇન્દોર દ્વારા પાંચ ભાગમાં પ્રકાશિત થયેલો છે. પ્રથમ ચાર ભાગમાં અર્ધમાગધી ભાષામાં રચાયેલાં 11 અંગો, 12 ઉપાંગો, 6 છેદસૂત્રો, 4 મૂળસૂત્રો અને 7 પ્રકીર્ણકો એટલા આગમગ્રંથો ઉપરાંત કર્મગ્રંથો,…

વધુ વાંચો >

અંગવિજ્જા

અંગવિજ્જા (ઈ. સ. ચોથી સદી) : અંગવિદ્યાને લગતો જૈન આચાર્યો દ્વારા પ્રણીત, પ્રાકૃતનો એક મહત્વપૂર્ણ ગ્રંથ. તેમાંથી મનુષ્યની વિવિધ ચેષ્ટાઓના નિરીક્ષણ દ્વારા તેના ભવિષ્યનું જ્ઞાન મળી શકે છે. બૌદ્ધોના ‘દીઘનિકાય’ પછી ‘બ્રહ્મજાલસુત્ત’(1, પૃષ્ઠ 1૦)માં તથા કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’ (1.11.17) અને ‘મનુસ્મૃતિ’(6.5૦)માં અંગવિદ્યાનો ઉલ્લેખ છે. વરાહમિહિરકૃત ‘બૃહત્સંહિતા’(51)માં આનું 88 શ્લોકોમાં વિવેચન કરવામાં…

વધુ વાંચો >

આણંદસુંદરી

આણંદસુંદરી : ઘનશ્યામ (જ. 1700; અ. 1750) નામના કવિએ લખેલું પ્રાકૃત સટ્ટક (નાટક). તે 4 અંકોની પ્રાકૃત ભાષામાં રચાયેલી નાટિકા છે. આ સટ્ટક 22 વર્ષની વયે કવિ ઘનશ્યામે રચ્યું છે. આરંભમાં નાંદી અને પ્રસ્તાવના બાદ પ્રથમ જવનિકાન્તરના મુખ્ય દૃશ્યમાં શિખંડચંદ્ર નામનો રાજા સિંધુદુર્ગના વિભંડક નામના રાજાએ ખંડણી ન આપતાં પોતાના…

વધુ વાંચો >