રેડ્ડી, કૃષ્ણા (જ. 1925, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય શિલ્પી. તેઓ શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીમાંથી લલિત કલાના સ્નાતક થયા.

1981માં તેમની કલાકૃતિઓનું પશ્ચાદવર્તી (retrospective) પ્રદર્શન ન્યૂયૉર્ક શહેરના બ્રૉન્ક્સ મ્યુઝિયમ ખાતે યોજાયું હતું, પછી તે પ્રદર્શન મુંબઈમાં ત્યાંની શેમૂલ્ડ આર્ટ ગૅલરી દ્વારા પણ યોજાયું.

કલાક્ષેત્રે અપૂર્વ સિદ્ધિને કારણે 1972માં ‘પદ્મશ્રી’ના ખિતાબથી તેમનું સન્માન થયું. હાલમાં (2002) તેઓ અમેરિકા રહી કલાસર્જનમાં સક્રિય છે.

અમિતાભ મડિયા