મુલ્લાં, જીવણ : મુઘલ શહેનશાહ ઔરંગઝેબ(1658–1707)ના અધ્યાપક તથા અરબીના વિદ્વાન. તેમણે ‘અલ્-તકસિર અલ્-અહમદિયા ફી બયાન અલ્-આયાત અલ્ શરૈયા’ નામનો ગ્રંથ લખ્યો છે. તેમાં કુરાનની આયાતોમાં જણાવેલા આદેશો તથા પ્રતિબંધો વિશેની સમજૂતી આપી છે. તેમનો બીજો ગ્રંથ ‘નૂર અલ્-અન્વાર’ છે. તેમાં તેમણે નસફીના પ્રસિદ્ધ ગ્રંથ ‘અલ્-અન્વાર’ વિશે ટીકા (ભાષ્ય) લખી છે.

જયકુમાર ર. શુક્લ